SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ પ્રકરણ ૨૫ મું. આ નૌકાને ઉડાડી દેવા સુરંગ જે જે હતી શત્રુની, તે તે શત્રુથી અથડાઈ પડી ભાગી સૌ પ્રપંચી રચના ખાડે છેદે તે જ પડે છે એ ન્યાયે સૌ શત્રુ હાર્યા, વિજયધ્વજા નૌકાની ફરકી, શ્રદ્ધા ચેટી આ દુનિયાની. આ નૌકામાં બેસી જે જે સફર કરે છે તે તે સર્વે, પાર ઉતરે નિર્ભય રીતે, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે. જેવો સીલ્વર જ્યુબીલીને ઉત્સવ આજે ઉજવાયે છે, તે ઉત્સવ સુવર્ણ કેરે ઉજવાઓ આ કનકનગરમાં. દિન દિન ચડતી નૌકાની હે, પ્રભુપ્રાર્થના એજ અમારી, વિદ્યાર્થી રૂપ મુસાફરોની સફર થાય સૌ સફળ સુખેથી. એવી જનતાને સુખદાયક વર્ધમાન વિદ્યાલય નૌકા અમર રહો આ ભારતવ, મહા સુખ ને શાંતિ માંહે. જય જય બોલો જય જય બોલો ! મહાવીરનો જયજય બોલો! શાંતિ શાંતિ ઓમ ! શાંતિ શાંતિ એમ! એમ ! શાંતિ ! શાંતિ ! શાંતિ ! આ કટાવથી શ્રાતાજના ઉત્સાહમાં ખૂબ જાગૃતિ આવી, અને એકદમ શાંતિ ફેલાઈ ગઈ. પછી સેક્રેટરીએ મોટા અવાજે સભા ભરવાને હેતુ કહી સંભળાવી, આ સભાના પ્રમુખ તરીકે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ મીસ્ટર માટનને નીમવા દરખાસ્ત રજુ કરી, અને તેને જુદા જુદા ગૃહ તરફથી અનુમોદન મળતાં તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓ પ્રમુખ સ્થાને બિરાજમાન થયા. તે પછી પ્રમુખની આજ્ઞાથી વર્ધમાન વિદ્યાલયના વ્યવસ્થાપક મંડળના કાયમના પ્રમુખે મોટા અવાજે વર્ધમાન વિદ્યાલયને પચીસ વર્ષને હેવાલ સવિસ્તર વાંચી સંભળાવ્યું. તેમાં તેના સંસ્થાપક તરીકે પદ્મવિજયનું નામ જાહેર થતાં ખૂબ જોરથી તાળીઓ પડી. પ્રમુખને ગુજરાતી ભાષાનું ભાગ્યે તુટયું જ્ઞાન હોવાથી તેમની જોડે બેઠેલા વિદ્યાલયના પેટ્રન રા. બ. ભારતીકુમાર વિશ્વકુમાર પ્રમુખને દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કરી અને તે જ રીતે
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy