SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાને બેધ. ૨૦૩ -.... . . . - - ~ ઉકલી. હાથમાં આવેલા રત્નને કાચને કડકે ગણું ફેંકી દે છે, અહા ! કે તેમને પાપને ઉદય? તેમને જોઈ મારું હૃદય બળી જાય છે. તરણ તારણ સાધુઓ, ભવસાગરથી પાર ઉતારનાર સાધુઓ, દીક્ષા આપી મેક્ષમાં લઈ જનાર સાધુઓ અને જેમને વંદના કરતાં જ પાપ ધોવાઈ જાય એવા સાધુઓના પુણ્યપ્રભાવથી આવેલા વેગને વધાવી નહીં લેતાં તેમની સામે બંડ ઉઠાવવા તૈયાર થયા છે. અને તેમની શી દશા થશે ? સાધુઓની વૈયાવચ કરનારને ભવ કેવો સુધરે છે! ઉત્તમ પ્રકારનાં આહારપાણ આપવાથી કેટલા બધા છો તરી ગયા? એ બધે કેને પ્રતાપ? અમારા જેવા સાધુઓને. આ પ્રમાણે એક સાધુ કેટલા બધા જીવોને તારી શકે છે? મારા જેવા ઘણું સાધુઓ થાય તે જૈનકેમ કેટલી બધી તરી જાય? લોકે કેટલા બધા સુખી થાય ? કેટલાક ભામટી કે બરાડા પાડે છે કે જેનવસ્તી ઘટી ગઈ, પણ તેવા બરાડાથી શું? અમે ફક્ત ૩૫૦ થી ૪૦૦ સાધુઓ છીએ અને આશરે ૧૫૦૦ સાધ્વીઓ છે. જૈનેની વસ્તી પ્રમાણે તે ઓછામાં ઓછા બે હજાર સાધુઓ અને પાંચ હજાર સાધ્વી જોઈએ. જ્યાં સુધી એટલી સંખ્યા નહીં થાય ત્યાં સુધી જૈનોના ઉદ્ધારની આશા. રાખવી તે આકાશકુસુમવત છે. વર્ધમાન વિધાલય, દવાખાનાં, સુવાવાખાનાં, નિશાળો, બરડીગે, ઇત્યાદિ રાખવાથી કાંઈ પણ ફાયદો નથી, તે તે માત્ર પૈસાનું પાણું છે. તેમાં પૈસા ભરનાર અને તેને લાભ લેનાર નરકને પંથે ચાલી રહ્યા છે, તેમાંથી અધર્મી, નાસ્તિક અને અંગારા પાકે છે. જુઓ અયોગ્ય દીક્ષા પ્રતિબંધક સમાજમાં કણ જોડાયા? તે કેળવણું લેવાવાળા. કેળવાયેલાની પાછળ બીજા પણ ઝંપલાયા. જુઓ આપણ પુણ્યશાળી શેઠ લાલભાઈ અને બીજા શેઠીઆઓ! તેવી કેળવણી તરફ તિરસ્કારથી જુએ છે, તે પુણ્યાત્માઓ મેટા મોટા સંઘે કાઢી કયારનાં તીર્થકરગાત્ર બાંધી ચુક્યા છે. ઉજમણું કરી નામ અમર કર્યો છે. ધન્ય છે લાલભાઈ શેઠને! હમણું થોડા વખત ઉપર સુવર્ણપુરમાં સામટી ત્રણ જણને દીક્ષા અપાવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy