SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ^ ^^ ^ ^ ^ ~ ~ સરિતાનાં મામા માસી. ૧૮૩ ~~ ~ ~~~ સરિતા જરા હસીને બોલી “તેમાં મને શી ખબર પડે? કાકા કહે તે તેમની સાથે ત્યાં જાઉં, અહીં કહો તે અહીં રહું.” ચંદ્રકુમાર–“તારા મામાને અને માસીને ઓળખે છે?” સરિતા–“મળે તે ઘણે વખત થયો, તેઓ કેઈક દિવસ આવતાં.” ચંદ્રકુમાર–“આ તારાં સગાં મામા માસી છે?” સરિતા – “ના, સગાં તે કઈ નથી, પણ દૂરનાં સગાં હશે, હું બરાબર જાણતી પણ નથી.” ચંદ્રકુમાર–“તે ઘરના સુખી છે?” સરિતા–“મને કશી ખબર નથી.” અવંતીલાલ–“સરિતાને કયાંથી ખબર હોય? પણ હવે અત્રે મારે કાંઈ કામ જેવું નથી. આચાર્ય પણ ગઈ કાલે ઉપડી ગયા એટલે કાંઈ નવાજુની સાંભળવા જેવું નથી. માટે કાલે સવારની ગાડીમાં સરિતાને લઈને જાઉં. લોકાચાર અને ભાણુને મળવા માટે તે બંને આવ્યાં છે તે વિના કારણે તેમને ત્યાં રોકી રાખવાં ઠીક નહીં. કલ્યાણને લઈ જવાની જરૂર નથી.” સરિતા–“ કલ્યાણને ચંદ્રકુમારભાઈની પાસે જ રાખ છે. અહીં ભણશે.” એ રીતે નિશ્ચય કરી બીજા દિવસે સવારે અવંતીલાલ સરિતાને લઈ અમરાપુર ગયા. સાંજે અમરાપુર પહોંચ્યાં. ગાડી કરી ઘેર ગયાં. ઘરમાં સરિતા પગ મુકે છે કે તેને દેખી બાહ્ય પ્રેમને આડંબર કરી તેની માસી નવલકુંવર રેવા લાગી અને “આવ મારી ભાણું તને ખુબ દુઃખ પડયું” એમ કહી વળગી, તેની માને સંભારી મેં વાળવા લાગી. સરિતા પિતાનું દુઃખ જરા જરા વિસરી ગઈ હતી, તે તેને પાછું સ્મરણ કરાવી રડાવી. આ અવંતીલાલને પસંદ પડયું નહીં, પણ તેમને ખેટું લાગશે એટલા વિવેકની ખાતર તે બોલ્યા નહીં. માસી તે ટુંકામાં નહીં પટાવતાં જુના બાપદાદાના પરીઆના પરીઆ સંભારી મેટ ઘાંટો કાઢી ખૂબ માં વાળવા લાગી, અવંતીલાલનાં પત્ની મેનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy