SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પ્રકરણ ૧૮ મું..” * * * 2સાહેબ તથા પેલે ટેકો આપે નહીં! પહેરે બધા હાથે બંગડીઓ અને એઢે સાડીઓ! ધર્મ માટે તે લોહીં છાંટવું જોઈએ.” આવી મધુર વચનામૃતની વૃષ્ટિએ વરસવાથી લાલભાઈ શેઠ ધીમે રહી બોલ્યા “મહારાજ ! આટલા બધા ગુસ્સે ન થાઓ. અમે કાંઈ મરી ગયા નથી. વખત આવે જોઈ લેવાશે ! તે લોકોને છુંદી નાખતાં વાર શી? લાખ બે લાખ રૂપીઆ તોડી નાખીશું પણ તેમને ખરાબ કરીશું. તમે જરા પણ ગભરાશે નહીં, શાંતિ ધારણ કરે.” આચાર્ય–“શાંતિ તે શી રીતે રહે? આ છી બીજા દિવસે ચીમનલાલ શેઠ પોલીસે ધમકાવ્યો અને દાબ દીધો છે બકી વળ્યો. ફોજદારને ઘરમાં શું કરવા પેસવા દીધો ? કે વાતને કાઢી મુકવો હતો. પેલો સાળો મનહરીએ સાધુ પણ પોલીસથી ડરી ગયો. મને આવી ખબર હોત તો આ ગામમાં પગ મુકત નહીં. “સાહેબ રહે, સાહેબ રહે, આમ કરીશું તેમ કરીશું,' એમ કરી મને વળગ્યા અને મને રોક્યો. પેલો સાળો ધરમચંદ શેઠ અઠ્ઠાઈઉત્સવ લઈ બેઠે અને હાથે કરી આ તેફાન કરાવ્યું. બાયલાથી કાંઈ બને નહીં અને મોટી મેટી વાતો કરે. અણુ વખતે સૈ નાશી જાય. લાલભાઈ શેઠ ! આ શહેર મને હવે કડવું ઝેર જેવું થઈ ગયું છે માટે તમે કાલે જામીન આપી અમને છુટા કરે એટલે અહીંથી વિહાર કરી ઉપડી જઈએ. હવેથી અહીંનું પાણી પીવામાં મહા પાપ છે. જ્યાં આવા અધમ અને નાસ્તિક રહે ત્યાં ક્યાંથી સુખ હોય ? આ તમામ તોફાનને માટે ધરમચંદ જોખમદાર છે. આ શહેરમાં આવા ભયંકર માણસો હતા તે જખ મારવા મને અહીં રોકવા આગ્રહ કર્યો? મીઠું મીઠું બેલી નાશી જાય, મોટી મોટી બડાઈએ હાંક્યા કરે પણ અણુને વખત આવ્યો કે તેમનું પિકળ જણાઈ આવ્યું. ધરમચંદ! હું તમને ઓળખું છું, તમે માત્ર બોલવામાં જ છે. આ બનાવનું પાપ તમારા માથે છે, સમજ્યા? તમારા જેવા દગાબાજ ભક્તો માટે જોઈતા નથી. જાઓ તમારું કાળું કરે. શું મોં બતાવતા હશે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com કરાવ્યું. જે નાશ
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy