SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ છુપી દીક્ષાને તાંત્રિક તપાસ. ૧૧૪ શેઃ ચીમનલાલે તરતજ જવાબ આપ્યા “ હા સાહેબ! મધું ખરેખરૂં લખાવ્યું છે. સાહેબ! આચાર્યને પુછેને! તે ખુલાસા આપશે, ભાંજગડમાંજ તે હતા. અમારી સાથે તેમણે પણ એ દિવસના ઉજાગરા કરેલા છે, તે પૂરા વાંકેગાર છે. કહા, મેં આમાં શે। ગુન્હો કર્યો છે ?” આ શબ્દોની સાથે કારટમાં ખુબ હસાહસ ચાલી રહી, આચાર્યનું મ્હાં વ્હીલું પડી ગયું, નૂર ઉડી ગયું, શેઠ ઉપર જરા ગુસ્સા થયે પણ શું કરે? શેઠ પણ આધાપાછા થાય તેમ નહેતું. આ કાંઈ અનેાની વ્યાખ્યાનની સભા નહોતી કે આચાર્ય સિંહગર્જના કરી શ્રોતા જતાને આવે ! કલેકટર—“ શેઠ ! તમે કલ્યાણને આળખે છે ?” ચીમનલાલ—“ ત્રણ વરસથી ખવરાવી પીવરાવી, પાળી પાષી, ભણાવી ગણાવી મારી પાસે રાખી માટે કરેલા છે તેને કેમ ન ઓળખુ? તે તે મારા દીકરા કુમારપાળ કરતાં પણ ઘણા વહાલા છે, ( ત્યારે એને શું કરવા દીક્ષા આપી ? એવા ધીમેા ઉદ્ગાર–હસાહસ) આવા મારા દીકરા જેવા કલ્યાણને મેં દીક્ષા આપી તેમાં મે શે ગુન્હા કર્યાં ? મેં તે ધર્મનું કામ સમજી આ આચાર્ય મહારાજના આગ્રહથી તેમણે કાઢી આપેલા ઉત્તમમાં ઉત્તમ મુદ્દતે અનુસાર માહે વદ ૭ ના સવારે ચેાધડીઉં, ઘડી પળ બરાબર સાધી પાસે રહી દીક્ષા અપાવી કલ્યાણના આત્માના ઉદ્ધાર કર્યો છે અને આચાર્યશ્રીને પણ પૂરેપૂરા સંતાષ આપ્યા છે, છતાં પોલીસ મારે ત્યાં ધાંધળ કરી મારા જામીન લે અને મને જૈત કરે તેમાં મારે શા અપરાધ તે મને સમજાતું નથી. મેટા લેાકેાની લડાઈમાં હું નિર્દોષ માણસ મા જાઉં છું.” ( ખુબ હસાહસ ) 1, કલેકટર——“ શેઠ ચીમનલાલ! તમે આ પ્રમાણે જુબાની આપે છે તેથી આચાર્ય મહારાજ તમારા ઉપર નાખુશ નહીં થાય? ચીમનલાલ——“સાહેબ ! નાખુશ થાય તે તેમાં હું શું કરૂં ? મારા શેા દેય ? મેં તે। તેમણે કહ્યું તે પ્રમાણે કર્યું અને સાચે સાચુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034736
Book TitleAmrut Sarita Athva Ayogya Diksha Uper Drushtipat
Original Sutra AuthorN/A
AuthorMahasukhbhai Chunilal
PublisherMahasukhbhai Chunilal
Publication Year1930
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy