SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ A -૧૩ સહકાર મળે. અમદાવાદ પાંજરાપોળ, સેલાપુર પાંજરાપિળ, રાવળગામ કેટલફાર્મ, પુના પાંજરાપોળ વી ને અત્રેથી દુધ ઉપરથી ઉતરી ગયેલી ગાયે ભેસે ત્યાં લઈ જઈ તે દ્વારા ડેરી ફાર્મો શરૂ કરી, ભેંસે ગાયે કત્તલથી બચે અને જનતાને દુધ મળે એવી વ્યવહારૂ ચેાજના જીવદયામંડળી દ્વારા થઈ અડધા પૈસા પાંજરાપોળવાળાઓ આપે અને અડધા પૈસા જીવદયા મંડળી આપે. રેલવેમાં લઈ જવાનું પાંજરાપોળને હિસાબે નક્કી થયું. આ દરેકને તબેલે તબેલે ફરીને જાતિવંત ભેંસો અપાવવાનું કાર્ય જીવદયા મંડળી તરફથી મેં સ્વિકાર્યું. આ રીતે પણ સેંકડે ભેંસે પાંજરાપોળમાં ગઈ અને ડેરી ફર્મો શરૂ થયા. પર્યુષણમાં સંવત્સરીને દીવસે તે સવારે ૭ વાગ્યેથી જીવ છોડાવવા માટે નીકળી જાઉં અને સાંજે એક જીવન જીવિતદાન આપી તે બધા પાયધુની ત્રાંબાકાંટાના બગીચા પાસે પ્રદર્શન કરૂં. તે દીવસે ઉપવાસ પૂર્વક આ પ્રવૃત્તિ ચાલતી. મારી રૂમ પણ ત્યાં જ ઝવેર ગુમાનનાં માળામાં જ હતી. ૧૨ વરસમાં મારે સંવત્સરી પ્રતિક્રમણ તે થયું જ નથી, પરંતુ જીવદયા અભયદાનનું કાર્ય કરી સંવત્સરીઓ ઉજવી છે. એક વખત એ રીતે પર્યુષણમાં મારે ઉપવાસ હતા. હે શેઠને તબેલે કામ હોવાથી ગયેલ. અમારે સંવત્સરીનાં દૈવસે જ છેડાવવા હતા. પરંતુ તેઓએ ૭ ભેંસે કસાઈને મારી જાણ બહાર વેચેલી તેને વાંદરા કત્તલખાને લઈ જવા માટે કસાયે દેરડા લઈ આવેલા. મેં શેઠને પુછ્યું કે શા માટે આવ્યા છે? શેઠે હકીકત જણાવી એટલે મેં કહ્યું કે આ ભેંસે કત્તલખાને હવે નહીં જઈ શકે એમ લઈ લઈશું. શેઠે કષાયોને ભેંસમાં દુધ છે એવું બાનુ કાઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034735
Book TitleAmar Jivdaya Sadhna
Original Sutra AuthorN/A
AuthorAmarchand Mavji Shah
PublisherAmarchand Mavji Shah
Publication Year1965
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy