SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ માંગલિક સંભળાવ્યુ. પછી બધા સાથે જય બોલી વિખરાઇ ગયા હતા. આજે બે પ્રભાવના થઈ હતી. આઠમે દિવસ માગશર સુદ ૪ તા. ૨૯-૧૧-૫૪ સોમવાર જે પણ આચાર્યશ્રીએ માંગલિક કર્યા બાદ બેન્ડવાજા સાથે કંઇએળ રતનપોળમાં થઇ ઝવેરીવાડમાં આવેલ ચૌમુખજીના દેરાસરે દર્શન કરવા પધાર્યા હતા. મૂલનાયક શ્રી છે છે. શાન્તિનાથ ભગવાનની આગળ ચિત્યવંદન અને ચારે બાજુ પ્રતિમાજીના દર્શન વંદન કર્યા. એક બાજુ ભેંયરામાં પણ દર્શન ભાવથી ર્યા, અહી પ૯અને ૬૮ પ્રતિમાજી છે. તે પછી બાજુમાં આવેલ દેરાસરમાં મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનના દર્શન કર્યા. અહીં ૨૧અને ૪૯ પ્રતિમાજી છે, . ઝવેરીવાડ વાઘણપોળના નાકે ઝવેરી મોહનલાલ હેમચંદના ઘર દેરાસરમાં પધરાવેલ આદીશ્વર ભગવાનના દર્શન કર્યા. અહી કેવલ ધાતુની ૧૨ પ્રતિમાજી છે. - ત્યાંથી વાધણપાળના દેરાસરમાં મૂલનાયકશ્રી અજીતનાથ ભગવાનની પ્રેમથી સ્તવના કરી ભમતીનાં ભેંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના પણ દર્શન કર્યા પછી સુવિધિનાથ અને કેશરિયાનાથના ભેંયરામાં પણ સ્તવના કરી, અહીં ૧૩૭ અને ૧૬૯ પ્રતિમાજી છે. અહી પીતલની કાઉસગ દશામાં રહેલી દશમા સૈકાની સુન્દર પ્રતિમા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034733
Book TitleAhmedabad Shaher Yatra
Original Sutra AuthorN/A
AuthorBhavyanandvijay
PublisherDahelano Upashray
Publication Year1955
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy