SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧ ) એને ભાવાર્થ આ પ્રમાણે છે – દરેક સુધા, દરેક વિકાર, દરેક જ્ઞાનની અપૂર્ણતામાંથી જન્મે છે [= જ્ઞાન અધુરું છે તેથી જ ઇચ્છા કે વિકાર ઉત્પન્ન થાય. ] આપણે સ્વભાવ આપણને પૂર્વ કર્મ યોગે મળે છે; તે પણ આપણે આપણુ મનેવિકાને કાબુમાં રાખતાં શિખવું જોઈએ. [અહીં કમને પ્રધાનપદ આપવા છતાં પુરૂષપ્રયત્નની હિમાયત કરે છે. ] અને આપણે દરેક બાબતમાં સ્વતંત્ર, બુદ્ધિમાન, સદ્ગુણી અને ન્યાયયુકત વર્તન ચલાવવું જોઈએ. આપણું જીવન બુદ્ધિમાન લેવું જોઈએ. આપણે સર્વ સુખો અને અને સર્વ દુઃખે ઉપર સમભાવથી મનન કરવું જોઈએ. આપણે કદી ભૂલવું જોઈએ નહિ કે આપણે સ્વતંત્ર માણસ છીએ નહિ કે જનમંડળના ગુલામ. આપણે યાદ રાખવું જોઈએ કે આપણી આસપાસના સર્વ પદા નું રૂપાતર થયાં કરે છે; વસ્તુ સડે છે, પછી ફરી ઉત્પન્ન થાય છે; ફરી ઉત્પન્ન થતી વસ્તુને નાશ થાય છે. માટે જે દુનિયામાં સર્વ ચીને મૃત્યુ છે તે દુનિયામાં આપણે મૃત્યુને શેક તે કરવો જ ન જોઈએ. જેમ કોઈ પહાડમાંથી એક ધેધ પડતા હોય તે વરસે વરસ એ જ આકારમાં વહે છે, જે કે એ પ્રવાહમાંનું પાણી હમેશ નવું જ આવે છે. તેવી જ રીતે કુદરતનો દેખાવ એ બીજું કાંઈ નહિ પણ હમેશ રૂપ બદલતો પરમાણુને સમુહ છે. આપણે યાદ રાખવું જોઈએ કે મનુષ્યને મહટ ભાગ અપૂર્ણ રીતે કેળવાયલે હાઈ. આપણા જમાનાના લેકના ધર્મ સિમ્બન્ધી વિચારોને આપણે નિરર્થક દુઃખવવા જોઈએ નહિ. એટલું જ બસ છે કે આપણે પિતે પિતા માટે નણવું કે કોઈ સર્વોપરી સત્તા (Power) છે ખરી, જે કે સર્વોપરી પ્રાણી ( Being ) નથી; કોઈ અદ્રશ્ય તત્વ છે ખરું, પણ પુરૂષાકાર પ્રભુ નથી. માટે હેને માણસના જેવું રૂ૫, માણસના જેવા વિ. ચારે અને માણસના જેવા વિકાર આપવા એ જેટલે દરજે પરમેશ્વરને ગાળ ભાંડવા જેવું ગણુય તેથી પણ વધારે દરજે મૂર્ખતા કરવા જેવું ગણાય. પરમેશ્વર અમુક શાસ્ત્ર કે અમુક ભવિષ્યકથન પ્રેરે છે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy