________________
પ્ર-સ્તા-વ-ના.
જૈન દર્શનના વિદ્વાન, પ્રતિભાશાળી, જનસમાજનું કલ્યાણ કરનારા, પૂજય પૂર્વાચાર્ય મહારાજાઓએ પ્રાચીન અર્વાચીન કાળના પવિત્ર જેના દર્શનના તીર્થંકર પરમાત્માઓ, મહાપુરુષો, સત્વશાળી ઉત્તમ નરેની જેમ સતીધર્મની પવિત્ર રમણીઓના ઉત્તમ ભાવનાથી ભરપૂર, અનુપમ, સુંદર, આનંદ ઉત્પન્ન કરનાર અને આદર્શ ગૃહિણ, જૈન સ્ત્રીરત્નની રસમય કથાઓ ચરિતાનુગમાંથી લઈ જેને કથા સાહિત્યમાં જે ગુંથણ કરી છે તેમાંથી વીણી લઈ આ આદર્શ જે સ્ત્રીરને બીજા ભાગમાં અનુપમ કથાઓ આપવામાં આવેલી છે. છવીસ વર્ષ પહેલાં આદર્શ જૈન સ્ત્રી રત્નને પ્રથમ ભાગ અમોએ પ્રગટ કર્યો હતે; આજે આ તેના બીજા વિભાગનું પ્રકાશન કરી જૈન સમાજ પાસે મૂકીએ છીએ, કે જે ચરિત્રોમાં આવેલ પવિત્ર સતી સ્ત્રીઓએ પિતાના સમય અને શીલવતનું રક્ષણ કરવા અનેક પ્રકારની આપત્તિઓને સામને કરી, અનેક સંકટે શાંતિપૂર્વક સહન કરી, તેનું અનુપમ રીતે રક્ષણ કર્યું છે.
સ્ત્રી જીવન ઉપર જગતના જીવન અને ઉન્નતિને મુખ્ય આધાર છે, કારણ કે ઉત્પન્ન થએલા અને થનાર મહાપુરુષોને પ્રાથમિક સંસ્કાર પ્રેરનાર તેની માતાઓ છે, જેથી સ્ત્રી જીવન શુદ્ધ, સંસ્કારી હોવાની ખાસ જરૂર છે, તેથીજ પૂર્વાચાર્ય મહારાજાઓએ અનુકરણીય, દબંતરૂપ લખેલા ઉત્તમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com