SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ વસ્તુ ટેપરેક પર ટેપ થતી રહી અને બ્રાઈડે માઁ છાસઠ વર્ષની થઈ મૃત્યુ પામી ત્યાં સુધીના પ્રસંગો કહ્યા. રૂથ કયારે પણ આયલેન્ડ ગઈ ન હતી. આમાંની એકેય વાત જાણતી ન હતી. આયરીશ કોન્સ્યુલેટ, બ્રિટિશ ઈન્ફોર્મેશન સર્વિસ, ન્યુયોર્ક પબ્લીક લાયબ્રેરી અને બીજી કેટલીક જગ્યાએ આ માહિતીની ચકાસણી કરતાં તેમાંની હકીકતા સાચી પુરવાર થઈ. આવતા ભવમાં હું તમારી ભાષા શીખીશ. ‘ન્યુયાર્ક હેરલ્ડ ટ્રીબ્યુન’માં લખતાં ડૉ. રાઈન જણાવે છે, પદાર્થ વિજ્ઞાનથી વિપરીત અને મન જેવા કાઈ સૂક્ષ્મ પદાર્થને અનુરૂપ અનેક પુરાવાઓ અતીન્દ્રિય વિજ્ઞાનના સ ંશોધન વડે પ્રાપ્ત થતા જાય છે........આત્મા Psyche જેવા અપૌદ્ગલિક પદાર્થ જેના નિયમા જડના નિયમાથી વિપરીત છે તેના અસ્તિત્વની શકયતા પ્રત્યે પ્રેરે છે.” રશિયન વિચારક નિકાલસ બડેવ (ઈ. સ. ૧૮૭૪ થી ઈ. સ. ૧૯૪૮) પેાતાના Transmigration of Souls ગ્રંથમાં આત્માનું અસ્તિત્વ અને પુનર્જન્મના સ્વીકાર કરે છે. પ્રખ્યાત જર્મન વિચારક ડૉ. આલ્બર્ટ વેન્નુર (ઈ. સ. ૧૮૭પ થી ઈ. સ. ૧૯૬૫) તેમના Indian Thought and Its Development પુસ્તકમાં ભારતીય વિચારધારાની આત્મા સબંધી તથા પુનર્જન્મની માન્યતાની પુષ્ટિ કરે છે. The Saturday Review પત્રના ૧૯૬૫ સપ્ટેમ્બર ૨૫ ના વેટઝર સ્મૃતિ અંકમાં એમેરિસના અમેરિકામાં વેટઝર’ નામના લેખ છે તેમાં તેમણે નીચેના પ્રસંગ આપ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy