SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા છે એમ ભલે તમે સ્વીકારે નહિ પરંતુ “આત્મા નથી એવી ઈન્કારની દોરીથી તમારા મનને બાંધી ન દે. ખુલ્લા રહે, બિલકુલ ખુલ્લા રહે. મુક્ત મનમાં સત્યને પ્રવેશવા દે. આ વેજ્ઞાનિક પદ્ધતિ છે. “આત્મા નથી એમ માની લેવું એ અજ્ઞાનિક છે. બ્રિટિશ પદાર્થ વિજ્ઞાની રેઈનર સી. જેનસન તેમના A Religious Out-look for Modern Man nahi dug: કહેવાય છે કે સર વિલિયમ હેમીલ્ટન પાંચ વર્ષની ઉંમરે ગણિતના અઘરા સવાલોના જવાબ સરળતાથી આપતા અને તરત જ પિતાની નાની રમકડા ગાડીથી રમવા માટે હર્ષભેર દેડી જતા. જે આપણે આત્માનું અસ્તિત્વ સ્વીકારીએ, પૂર્વભવને માનીએ તે જ આવી આશ્ચર્યજનક શક્તિઓને સમજાવી શકીએ. શાશ્વત આત્મામાં ડહાપણું, ભલાઈ કલાની સૂઝ અને ભૂતકાળની આવડત જે સંઘરાયેલાં છે તે નવા વ્યક્તિત્વમાં પ્રગટ થતાં દેખાય છે.” ડો. જોનસન દઢતાથી માનતા કે આપણી અંદર જમ્બર સત્ત્વ ભરેલું છે, આ શક્યતાઓને પ્રગટાવવાની અગત્ય છે. આત્મા સ્મૃતિ સંઘરનાર સ્વતંત્ર તત્વ છે. કેમ્બ્રીજ યુનિવર્સિટીના પ્રસિદ્ધ બ્રિટિશ તત્ત્વજ્ઞાની સી. ડી. બ્રોડે ઈ. સ. ૧૫૮માં માયર્સ મેમોરિયલ લેકચર્સ Personal identity and Survival વ્યક્તિગત અસ્તિત્વ અને પુનર્જન્મના વિષય ઉપર આપ્યાં હતાં. આ ભાષણે “Lectures on Psychical Research' માનસ સંશોધન ઉપરનાં વ્યાખ્યાને એ ગ્રંથમાં છપાયાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy