SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેમાં બીજી દવાઓ કરતાં હિનેસીસની અસર વધુ છે. દેહની તંદુરસ્તીને આધાર મનની સ્થિતિ ઉપર છે. મનને તીવ્ર ભાવ શરીર ઉપર ધારી અસર કરે છે. શાસ્ત્રોમાં દર્શાવેલ દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાને સંબંધ સ્પષ્ટપણે વિજ્ઞાનિક છે. દેહ મનનું સાધન છે મનની તીવ્ર અસર દેહ ઉપર કઈ રીતે થઈ શકે તેને એક અદ્દભુત પ્રગ વિજ્ઞાનમાં નોંધાયેલ છે. ન્યુર્કના મેડિકલ ન્યુઝમાં આ પ્રસંગ છપાયે હતું અને માયસે પિતાના Human Personality ગ્રંથમાં આપે છે. એક ગરીબ સગર્ભા બાઈની હાજરીમાં કઈ શત્રુએ તેના પતિની છાતીમાં ગોળી મારી. બાઈને સખત આઘાત થયે. એ આખા દશ્યથી ધ્રુજી ઊઠી. છાતીમાં પડેલે ગોળીને ઘા બાઈની નજર સામેથી એક ક્ષણ પણ ખસતું ન હતું, આ સગર્ભા બાઈ કહેતી, “મારા બાળકની છાતીમાં પણ ગેળીને ઘા દેખાશે. અને પૂરા દિવસે બાળકને જન્મ થતાં તેની છાતીમાં બરાબર તે જગ્યાએ ગળીને ઘા હતે. ડૉકટરે અને વિજ્ઞાનિકોને પણ આથી અત્યંત આશ્ચર્ય થયું. આ કઈ રીતે શક્ય બન્યું તેને હજી વિજ્ઞાન પાસે કઈ જવાબ નથી. શ્રદ્ધાનું બળ આંતરમનની શકિત સાથે સંબંધ ધરાવે છે. બિમાર વ્યકિત દવા ઉપર, ડોકટર ઉપર કે ભગવાન ઉપરની શ્રધ્ધાથી દઢપણે બિમારી દૂર થશે જ એવું માને અને આ સૂચના Suggestion તેના આંતરમનમાં ઓતપ્રોત થતાં અવશ્ય અસર ઉત્પન્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034721
Book TitleAatmsiddhi
Original Sutra AuthorN/A
AuthorKiranbhai
PublisherSiddhgiri Bhaktivihar
Publication Year1976
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy