SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માર્ગોમાં અને બીજી અવરજવરના રસ્તાઓમાં તમામ ઠેકાણે પાણી છંટા, ચેકબું કરે અને જ્યાં ત્યાં તમામ શેરીઓમાં તથા તમામ બજારોમાં પાણી છટા, સાસૂર કરો, તે તમામ ટેકાણે જોવા આવનારા લોકોને બેસવા માટે ઉપરાઉપર માંચડા બંધાવે, વિવિધ રંગથી સુશોભિત ધજા અને પતાકાઓ બંધાવે, આખા નગરને લિપ, વેળાવ અને સુશોભિત બનાવે, નગરનાં ઘરની ભીંત ઉપર ગશીર્ષ ચંદનના, સરસ રાતા ચંદનના તથા દર્દર ચંદનના પાંચ આંગળી ઉઠેલી દેખાય એવા થાપા લગાડ, ઘરની અંદર ચેકમાં ચંદનના કલશ મુકા, આરણે બારણે ચંદનના ઘડા લટકાવેલાં સરસ તોરણ બંધાવા, જ્યાં ત્યાં શોભે એ રીતે જમીનને અડે એવી લાંબી લાંબી ગોળ માળાઓ લટકાવે, પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલેના ઢગલા કરો-લો વેરા, ફૂલેના ગુચ્છા મુકાવો, ઠેકઠેકાણે મળતા કાળે અગર ઉત્તમ કુંદર અને તુર્કી ધૂપની સુગંધિત વાસથી આખા નગરને મધમધતું કરી મેલ-ઉચે ચડતી ધૂપની વાસથી નગર મહેકી રહે એવું કરે -સુગંધને લીધે ઉત્તમ ગંધવાળું કેમ જાણે ગંધની ગુટિકા હેય એવું મઘમઘતું બનાવે તથા ઠેકઠેકાણે નગરમાં ન રમતા હોય, નાચનારા નાચ કરતા હોય, દેરડા ઉપર ખેલ કરનારા દેરડાના ખેલ બતાવતા હોય, મલે કુસ્તી કરતા હોય, મુષ્ટિથી કુસ્તી કરનારા મૂઠિથી કુસ્તી કરતા હોય, વિદૂષકે લેકને હસાવતા હોય, ફકનારા પિતાની ફૂદના ખેલો બતાવતા હોય, કથાપુરાણીઓ કથાઓ કરીને જનમનરંજન કરતા હોય, પાઠક લે કે સુભાષિત બેલતા હોય, રાસ લેનારાઓ રસ લેતા હોય, ભવિષ્ય જેનારા ભવિષ્ય કહેતા હોય, મેટા વાંસડા ઉપર ખેલનારા વાંસના ખેલ કરતા હોય, મંખલક, હાથમાં ચિત્રના પાટિયાં રાખીને ચિત્ર બતાવતા હોય, તૃણી લેક તૃણ નામનું વાજું વગાડતા હોય, વીણ વગાડનારાઓ વીણા વગાડતા હોય, તાલ દઈને નાટક કરનારાઓ નાક દેખાડતા હોય, એ રીતે જનમનના રંજન માટે નગરમાં ઠેકઠેકાણે ગોઠવણ કરે અને કરો. ઉપર કહેલી એવી તમામ ગેઠવણ કરીને એટલે કે નગરને સુશોભિત કરવાથી માંડીને લોકરંજન કરવા સુધીની તમામ ગોઠવણ કરે અને કરાવો, એવી ગેડવણ કરીને તે કરાવીને હારી ગૃપ અને હજારો સાંબેલાઓને ઉંચા ભૂકા એટલે કે યુપથી ને સાંબેલાથી થતી હિંસાને અટકાવો અને એ હિંસાને અટકાવીને મારી આ આજ્ઞાને પાછી આપી એટલે કે મેં જે ઉપર કહ્યું છે તે બધું તમે કરી આવ્યા છે એમ તમે મારી પાસે આવીને જણાવે. ૯૮ ત્યાર પછી સિદ્ધાર્થ રાજાએ જેમને ઉપરનો હુકમ ફરમાવ્યા છે એવા નગરગૃપ્તિક એટલે નગરની સંભાળ લેનારાએ રાજીરાજી થયા, સંતોષ પામ્યા અને યાવત્ ખુશ થવાને લીધે તેમના હૃદય પ્રફુલ્લ થયાં. તેઓ પોતાના બન્ને હાથ જોડીને સિદ્ધાર્થ રાજાના હુકમને વિનયપૂર્વક સ્વીકારીને તરત જ કુડપુર નગરમાં સૌથી પહેલું જેલને ખાલી કરવાનું કામ કરે છે. અને એ કામથી માંડીને છેક છેલ્લાં સાંબેલાં ઉચાં મૂકવાનાં કામ સુધીનાં સિદ્ધાર્થ રાજાએ ફરમાવેલાં બધાં કામ કરીને જ્યાં સિદ્ધાર્થ રાજા છે ત્યાં તે નગરગૃપ્તિકે જાય છે. જઈને પિતાના બન્ને હાથ જોડીને અને માથામાં For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy