SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૯ એની પાસે વિશાળ વિસ્તારવાળાં સેન અને વાહુના હશે અને તે, ચારે સમુદ્રના છેડાથી સુશોભિત એવા આ ભૂમંડળના ચક્રવર્તી રાજ્યતિ રાજા થશે અથવા ત્રણલોકને નેતા, ધર્મના ચક્રવર્તી ધર્મચક્ર પ્રવર્તાવનાર એવા જિન થશે. તો હું દેશનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉદાર સ્વમે જોયેલાં છે યાવત્ હે દેવાનુપ્રિય! એ સ્વમા આરોગ્ય કરનારાં, તુષ્ટિ કરાવે એવાં, દીર્ધો આયુષ્યનાં સૂચક, કલ્યાણુ અને મંગળ કરનારાં એવાં ત્રિશલા ક્ષત્રિયાણીએ જોયેલાં છે, ૭૭ ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા તે વપલક્ષણપાકા પાસેથી સ્વપ્નને લગતી એ વાતને સાંભળીને સમજીને રાજી રાજી થઇ ગયા, મુખ તુષ્ટિ પામ્યું અને હર્ષને લીધે એનું હૃદય ધડકવા લાગ્યું. તેણે પોતાના અને હાથ જોડીને તે સ્વપ્નલક્ષણપાકાને આ પ્રમાણે કહ્યુંઃ ૭૮ હે દેવાનુ પ્રિયે ! જે તમે કહેલ છે એ એમ જ છે, તે પ્રકારે જ છે, એમાં કશી વિતથા નથી જ. હું દેવાનુપ્રિયે! તમારું એ કથન અમે ઇચ્છેલું જ હતું, સ્વીકારેલું જ હતું, તમારું એ કથન અમને ગમે એવું જ થયું છે અને અમે એને બરાબર એ રીતે કબુલ કરેલ છે, હે દેવાનુપ્રિયે! એ વાત સાચી છે જે તમાએ કહેલી છે, એમ કરીને તે, એ સ્વપ્નને લગતી કહેલી ખત્રી હકીક્તને નિય સાથે સારી રીતે સ્વીકારે છે, એમ સ્વીકારીને તે સ્વપ્નલક્ષણપાકાના તેણે ઘણા આદર સત્કાર કર્યો એટલે તેમને વિપુલ ભાજન આપ્યું. પુષ્પા, સુગંધી ચૂર્ણી, વસ્ત્રો, માળાઓ, ઘરેણાં વગેરે આપીને તેમના ભારે સત્કાર કર્યો, સંમાન કર્યું, એમ સત્કાર સંમાન કરીને તેણે તેમને ચાખી જીંદગી સુધી પહોંચે એવું ભારે પ્રતિદાન આપ્યું, એવું દગી સુધી પહેચે એવું ભારે પ્રીતિદાન આપીને તેણે તે સ્વપ્નલક્ષણુપાડાને માનભરી વિદાય આપી. ૭૯ પછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય પોતાના સિઁઘાસણ ઉપરથી ઉભું થાય છે, સિંઘાસણ ઉપરથી ઉભા થઇને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદામાં ખેડેલા છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેણે ત્રિશલા ક્ષત્રિયાણીને આ પ્રમાણે કહ્યું; ૮૦ ‘હું દેવાનુપ્રિયે !' એમ કહીને સ્વપ્નશાસ્ત્રમાં ખેતાળીશ સ્વપના કહેલાં છે ત્યાંથી માંડીને ‘માંડિલક રાજા ગર્ભમાં આવેલા હાય ત્યારે તેની માતા એ ત્રીશ મહાસ્વપ્નોમાંનું ગમે તે એક મહાસ્વપ્ન જોઇને જાગી જાય છે’ ત્યાં સુધીની જે બધી હકીકત એ સ્વપ્નલક્ષણપાકાએ કહેલી હતી તે બધી ત્રિશલા ક્ષત્રિયાણીને કહી સંભળાવે છે. ૮૧ વળી, હે દેવાનુપ્રિયે! તમે તે આ ચૌદ મહાસ્વપ્ના જોયેલાં છે, તા એ અધાં સ્વપ્ન ભારે મેટાં છે’ ત્યાંથી માંડીને ‘તમે ત્રણ લેકને નાયક, ધર્મચક્રને For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy