SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ બનશે કે હે દેવાનુપ્રયે! તમે બરાબર પૂરા નવ માસ અને સાડા સાત રાત દિવસ વીતાવી દીધા પછી પુત્રને જન્મ આપશે. એ પુત્ર હાથેપગે સુકુમાળ થશે, પાંચ ઈંદ્રિયાએ અને શરીરે હાણા નહીં પણ ખરાખર સંપૂર્ણ-પૂરો થશે, સારાં લક્ષણવાળા થશે, સારાં વ્યંજનવાળા થશે, સારાં ગુણાવાળા થશે, માનમાં, વજનમાં તથા પ્રમાણે કરીને એટલે ઉંચાઇમાં ખરાખર પૂરા હશે, ઘાટીલાં અંગેાવાળા તથા સર્વાંગ સુંદર-સર્વઅંગેાએ સુંદર-હશે, ચંદ્ર જેવા સૌમ્ય હશે તથા મનેાહર-નમણુંા, દેખાવે વહાલા લાગે તેવા, સુંદર રૂપવાળા અને દેવકુમારની સાથે સરઆવી શકાય તેવે હશે. હૂ વળી, તે પુત્ર, જ્યારે ખાલવય વટાવી સમજણા થતાં મેળવેલી સમજગુને પચાવનારા થઈ જુવાન વયમાં પહેાંચશે ત્યારે તે રિગ્વેદ, યજી, સામવેદ અને અથર્વવેદને-એ ચારે વેદોને અને તે ઉપરાંત પાંચમા ઇતિહાસને-મહાભારતને-છઠ્ઠા નિશ્ચંદુ નામના શબ્દફેશને જાણનારા થશે. તે, એ બધાં પૂર્વોક્ત શાઓને સાંગેપાંગ જાણનારા થશે, રહસ્યસહિત સમજનારે થશે, ચારે પ્રકારના વેદોના પારગામી થશે, જે વેદ વગેરેને ભૂલી ગયા હો તેમને એ તમારા પુત્ર યાદ કરાવનાર થશે, વેદનાં છએ અંગાને વત્તા-જાણકાર થશે, ષષ્ટિતંત્ર નામના શાસ્ત્રના વિશારદ થશે, તથા સાંખ્ય શાસ્ત્રમાં કે ગણિત શાસ્ત્રમાં, આચાના ગ્રંથામાં, શિક્ષાના ઉચ્ચારજીના શાસ્ત્રમાં, વ્યાકરણ શાસ્ત્રમાં, શાસ્ત્રમાં, વ્યુત્પત્તિશાકુમાં, જ્યાતિષશાસ્ત્રમાં અને એવા બીજા પણ ઘણાં બ્રાહ્મણશાસ્ત્રમાં અને રિવ્રાજકા સ્રોમાં એ તમારો પુત્ર ઘા જ પંડિત થશે. ૧૦ તા હૈ દેવાનુંપ્રયે! તમે ઉદાર સ્વપ્ના જેયાં છે. યાવત્ આરેાગ્ય કરનારાં, સંતાય પમાડનારાં, દીર્ધઆયુષ્ય કરનારાં, મંગલ અને કલ્યાણુ કરનારાં સ્વપ્નો તમેં જોયાં છે. ૧૧ પછી તે દેવાનંદા માહી રિષભદત્ત માહણ પાસેથી સ્વપ્નાના ફુલને લગતી આ વાત સાંભળીને, સમજીને હરખાઇ, ૩ડી યાવત્ દશ નખ ભેગા થાય એ રીતે આવર્ત કરીને, અર્જાલે કરીને રિષભદત્ત માહણુને આ પ્રમાણે કહેવા લાગીઃ ૧૨ હે દેવાનુ પ્રય! જે તમે ભવિષ્ય કહે છે એ એ પ્રમાણે છે, હું દેવાનુપ્રિય ! તમારૂં કહેલું એ ભવિષ્ય તે પ્રમાણે છે, હે દેવાનુપ્રિય! તમારૂં ભાખેલું એ ભવિષ્ય સાચું છે, હે દેવાનુપ્રિય! એ સંદેહ વગરનું છે, હે દેવાનુપ્રિય! મેં એવું ઈચ્છેલું છે, હે દેવાનુપ્રિય! મેં તમારા એ વચનને સાંભળતાં જ સ્વીકારેલું છે-પ્રમાણભૂત માનેલ છે, હું દેવાનુપ્રિય! એ તમારૂં વચન મેં ઇચ્છેલ છે અને મને માન્ય પણ છે, હું દૈવાનુપ્રિય! જે એ હકીકત તમે કહો કે તે એ સાચી જ હકીકત છે, એમ કહીને તે વપ્નાનાં લાને For Private And Personal Use Only
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy