________________
ક ૧૪
તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહીં ઉદાસીન અભકતથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નથી એકે સગુણ પણ, મુખડું બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પભુજી હાથ. અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન; સેવ્યા નહીં ગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. કરી ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઉગ્યો ન અંશ વિવેક. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યા બંધન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સદ્ગુરુ પાય; દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કવણ ઉપાય ? ૧૮ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; નાટક એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ / પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માંગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ. ૨૦,
૧૬
==================