________________
= = = = == = = = = = = = == == પાપ નવિ તીવ્ર ભાવે કરે, જે હને નવિ ભવ રાગ રે; || ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે. ૨. ૨૧ થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજ આત્મા જાણ રે. ૨.૨૨ ઉચિત વ્યવહાર અવલંબને, ઈમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના, પાવનાશય તણું ઠામ રે. ૨.૨૩ દેહ મન વચન પુદગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ૨. ૨૪ કર્મથી કલ્પના ઊપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દષ્ટિ સ્થિર મેલ રે. ૨.૨૫ ધારતાં ધર્મની ધારણા, મારતાં મોહ વડ ચોર રે; જ્ઞાન રૂચિ વેલ વિસ્તારમાં, વારતાં કર્મનું જોર રે. ચે. ૨૬ રાગ વિષ દોષ ઉતારતાં, જારતાં ફેષ રસ શોષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં, જારતાં કર્મ નિઃશેષ રે. ૨. ૨૭ દેખીએ માર્ગ શિવ નગરનો, જે ઉદાસીન પરિણામ રે;] તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે. ૨.૨૮ શ્રી નય વિજય ગુરૂ શિષ્યની, શિખડી અમૃત વેલ રે; એહ જે ચતુર નર આદરે, તે લહે સુજસ રંગ રેલ રે. ૨. ૨૯
“અપૂર્વ અવસર ) અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વ સંબંધનું બંધન તીણ છેદીને, વિચરશું કબ મહપુરુષને પંથ જો? તો અપૂર્વ. ૧