________________
મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઇ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. ૬ અમૃત ઝરે તુજ મુખ રૂપી ચંદ્રથી તો પણ પ્રભુ, ભીંજાય નહિ મુજ મન અરે રે ! શું કરું હું તો વિભુ; પથ્થર થકી પણ કઠણ મારું, મન ખરે કયાંથી દ્રવે, મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. ૭ ભમતાં મહા ભવસાગરે પામ્યો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂ પી રત્નત્રય દુ ક ર ઘણાં; તે પણ ગયા પ્રમાદના વશથી પ્રભુ કહું છું ખરું કોની કને કિરતાર આ પોકાર હું જઇને કરું . ૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મનો ઉપદેશ રંજન લોક ને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. ૯ મેં મુખને મેલું કર્યું દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા પરનારીમાં લપટાઇને; વળી ચિત્તને દોષિત કર્યું ચિંતી નઠારું પરતણું, હે નાથ ! મારું શું થશે ચાલાક થઇ ચૂક્યો ઘણું. ૧૦ કરે કાળજાની કતલ પીડા કામની બિહામણી,
એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી; || તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપ તણી કને, જાણો સહુ તેથી કહું કર માફ મારા વાંક ને. ૧૧
૧૮