SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શીવદ્ધમાન તપ મહામ્ય. તેથી જ માનવજીવનને સફળ કરવાના સાધનોમાં લાંબા આયુષ્યની સાથે શાસ્ત્રકારોએ આર્યદેશ, ઉત્તમ જાતિ,૪ ઉત્તમ કુળ, પાંચ ઇંદ્રિયની પૂર્ણતા અને પટુતા, નીરોગી શરીર, સન્માર્ગદર્શક વડીલેન્ડ અને સદુપદેશક ગુરુવર્યો, તેઓશ્રીના વચનની વિનયપૂર્વકની ઉપાસના, ધર્મોપદેશાદિકનું શ્રવણ, પઠન, પાઠન અને પરિશીલનરક તથા તેના પરિણામે વિવેકને ૧૪ વધારે અને તેના પરિણામે હેય અને ઉપાદેય વિભાગમાં કરાતી યથાશક્તિ નિવૃત્તિ અને પ્રવૃત્તિ,૬ અને તેના પરિણામે આવી પડનારાં વિદનેની સમજણ તથા તેને નિવારણ કરવાનું બુદ્ધિકૌશલ્ય, ધૈર્ય ૯ અને સામર્થ્ય,° શરૂ કરેલા સત્કાર્યની સિદ્ધિ માટે અપૂર્વ શ્રદ્ધાબળ અને વિર્યબળ,૨૨ શ્રદ્ધાબળ અને વીર્યબળના વધતા વેગથી પ્રાપ્ત કરેલી સત્કાર્યની સિદ્ધિનું ૨૩ ગ્ય આત્માઓને પ્રેમપૂર્વક પ્રદાન, ૨૪ સત્કાર્યસિદ્ધિ-પ્રદાનની પુનિત પરંપરાએના પુનિત-પ્રબંધે વિગેરે પુણ્યની પૂરી જોગવાઈઓ અનુક્રમે પ્રાપ્ત થાય છે. પૂર્વે જણાવેલા પ્રબળ પુણ્યના પ્રભાવે ચતુર્વિશતિ પ્રશસ્ય–સંગે મનુષ્યપણુને પામેલે જીવ જ પોતાના માનવજીવનને વધારેમાં વધારે સાફલ્ય બનાવી શકે છે, અર્થાત્ તે અંગેના સહકારથી માનવજીવનની સફળતાને પ્રાપ્ત કરી શકે છે. અન્યથા પૂર્વે કોઈએ માનવજીવન સફળ કર્યું નથી, વર્તમાનમાં કોઈ સફળ કરતે હોય એવું જણાતું નથી અને ભવિષ્યમાં કોઈ સફળ કરશે એવી કલ્પના પણ થઈ શકતી નથી. માનવજીવનને સફથી કરવામાં સાનુકૂળ સંજોગોને સહકાર અત્યંત જરૂર છે. આ કથનને પૂર્વાચાર્યોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy