SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવમાન તો મહાત્મ્ય આપવા છતાં જે તે ટાઈમસર સારી રીતે કામ ન કરે તા તેના ઉપર શેઠની આંખ લાલ થયા વગર રહેતી નથી, પરંતુ આત્મારૂપી શેઠ અને શરીરરૂપી ગુમાસ્તાની બાબતમાં તે એથી ઊલટું જ જોવામાં આવે છે. એના કારણમાં શાસ્રકારે જણાવે છે કે-માહરાજાએ પીવડાવેલી મિદરાના મદ ચઢવાથી મદોન્મત્ત થઈને ભાન ભૂલી ગયેલા આત્મા પાતે શેઠ હાવા છતાં પેાતાને ગુમાસ્તા અને શરીરને શેઠ માની બેઠેલા છે. તેથી જ ધોળે દહાડે ધાડપાડુની માફક સ`સ્વ લૂંટીને ભિખારી જેવી હાલત બનાવીને અનંતીવાર આત્માને દુર્ગતિ પ્રાપ્ત કરાવી છતાં હજી સુધી શરીરરૂપી શત્રુને ઓળખી શકતા નથી, એના જેવું ખીજું કયુ આશ્ચર્ય હાઇ શકે. જ્યાં ગુમાસ્તા કરતા કારવતા થઈ પડ્યો હાય, મધી બાબતમાં તેની જ સત્તા ચાલતી હાય, તેની ઇચ્છાની વિરુદ્ધ કાઇ ચું કે ચાં નહિ કરી શકતું હાય, શરીરરૂપી ગુમાસ્તાના રૂઆબ જોઇને આત્મારૂપી શેઠના હાજા' જ ગગડી જતાં હાય ત્યાં સારું પરિણામ આવે જ ક્યાંથી ? ૧૮ ' આવી ભાનભૂલેલી દશામાં પડેલા આત્માને હું... કયાંથી આવ્યા ? કયાં જઇશ ? શુ લઈને આવે ? શું લઇને જઇશ ? હું કાણુ ? અને મારી વાસ્તવિક સંપત્તિ શી છે ? વિગેરે ખાખતાની કાંઈ પડી નથી. એને તેા પડી છે પાતે માની લીધેલા શરીરરૂપી શેઠની સારવારની તથા પાંચે ઇંદ્રિયા તે વિષય-વિકારના સાધના-ગુલામગીરી માટે દોડધામ કરવાની. આ જગતમાં આપણે જોઈએ છીએ કે-પેાતાની આબરૂને સાચવવા માટે સંકટમાં આવી પડેલા આબદાર ગૃહસ્થા જ્યારે પેાતાની જંગમ મિલ્કત દેવામાં ખલાસ થઈ ગઈ હાય અને સ્થાવર મિલ્કત ગિરવી મુકાઈ ગઈ હોય ત્યારે પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy