SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્તમાન તપે મહાભ્ય દુર્ગતિનો નાશ થાય છે એમ સ્વીકારવા માત્રથી આત્મા ભાવ ધર્મની સન્મુખ જઈ શકતું નથી, કારણ કે દાન ધર્મના સંસ્કારને પામેલે જીવ દરિદ્રતાને નાશ થયા પછી ભેગાધીન ભેગી બની જઈને ભેગના સાધનોની પ્રાપ્તિ, ટકાવ અને વૃદ્ધિની ભાંજગડમાં જે ફસાઈ જાય તો ભાવ ધર્મના સ્વરૂપને સ્પશી શકતું નથી. તેવી જ રીતે શીયલ–સદાચારાદિના સેવનથી દુર્ગતિ મળવાની નથી એટલે સદ્ગતિ તે મળવાની જ છે છતાં તેની ઝંખના કર્યા કરે છે. એટલું જ નહિ પણ સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર સાધનની સાધના કરવા મંડી જાય છે એ રીતિએ દાન ધર્મના અને શીલ ધર્મના અભ્યાસીઓ ભાવ ધર્મના ભવ્યભાવમાં ભીંજાતા જ નથી. છેવટે સર્વસંગના ત્યાગ માટે આ પ્રાથમિક ત્યાગ કલ્યાણકારી છે એવું સમજીને આગળ વધવાવાળા દાનેશ્વરીએ, શીયળવંતાઓ અને તપસ્વીઓ આગળ વધી શકે છે, પરંતુ સંસારરસિક આત્માઓ આ ધ્યેયથી સૂકીને પામવા લાયક વસ્તુ પામી શક્તા નથી એ અત્યંત ખેદને વિષય છે ! ભાવધર્મની સન્મુખ ગતિ કરાવનાર, ભાવધર્મમાં ઓતપ્રેત બનાવનાર અને ભાવધર્મની શુદ્ધિ તથા વિશુદ્ધિ કરાવનાર દાનધર્મ અને શીયળધર્મ કરતાં પધર્મ મુખ્ય છે, પરંતુ તપાધર્મના રહસ્યને નહિ સમજેલા મનુષ્યની પણ તેવી દશા થાય છે કારણ કે દાન-શીયળધર્મના સેવન દ્વારા સાંસારિક સંપદાઓને પ્રાપ્ત કરે છે, વધારે છે અને ટકાવે છે તેવી રીતે તધર્મમાં પણ સમજવું. અર્થાત ગઢવી ઘરના ઘેર. તપધર્મની સાથે ભાવધર્મને એ સંબંધ છે કે તપોધર્મમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy