SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા અને પ્રતીતિનું રહસ્ય પ્રસંગમાં આવીએ. પ્રશ્નનના ઉત્તર દેનારી પુત્રીઓમાં એક પુત્રીને તેની માતુશ્રીએ શીખવ્યું કે-બેટા, તારા પિતા “રાણું બનવાનું અને દાસી બનવાનું ” પૂછે તે જવાબમાં દાસી બનવાનું બોલજે. પુત્રી પૂછે છે કે માતાજી ચાકરડી બનવા કરતાં રાણુંપણુમાં જ છે. છતાં માતા તું આમ કેમ કહે છે? માતા મૂળથી બધી પુત્રીઓના બનેલા બનાવને સંભળાવે છે. રાણપણામાં સાધ્વીપણું મળવાનું છે. રેતીને પિયરીયાં મળે” તેવી રીતે પુત્રીને સંસાર છોડ નહેાતે અને માતાએ સમજાવીને ભણાવી દીધી. પિતાએ પૂછ્યું અને જવાબમાં પુત્રીએ દાસી બનવા જણાવ્યું. ઉત્તરને અમલ કર્યો. એક સામાન્ય સાળવી વીરા સાથે પરણાવી દીધી. અને વિરા સાળવીને કહ્યું કે તારા ઘરની રીતિએ આની સાથે વર્તાવ કરજે. રાજ-મંદિરમાં રમણ કરનારી પુત્રી વિરા સાળવીથી કંટાળી ગઈ અને પછી ફરિયાદ સાંભળી. પિતાએ રાણી બનાવવારૂપ સાવી બનાવી. કથાનું તત્વ એટલું જ છે કે દાસી બનવાના શબ્દ બોલનાર પુત્રીને રાજમંદિરની રાણી બનવાની પ્રતિતિ હતી પરંતુ દાસી બનવાના ઈરાદે લેશ માત્ર નહતો તેવી રીતે આજના ધમીં દેવ, ગુરુ, ધર્મ અને તારનાર તેની આગળ સંસારની બધી સાહ્યબી નકામી તે બોલવા માત્ર છે. બોલેલા શબ્દોની પ્રતીતિ શ્રી કૃષ્ણની પુત્રીની જેમ પોતાના હદયમાં ધમીઓને પણ નથી. ધન, માલ, મિલક્ત, શરીર, ઈન્દ્રિય, પુત્રપરિવારની કિંમત મગજમાં જે સ્થિર થઈ છે તેના કોડમા હિસે ધર્મની પ્રતિતિ નથી અર્થાત્ શ્રદ્ધા પરતા શબ્દ બોલવા છે પણ શબ્દ બોલનારાઓને વતન અવસરે પ્રતિતિ પલાયન થઈ જાય છે. ધર્મના સેગન ખાઈને સોદો કરનાર વેપારીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy