SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવર્ધમાન તપે મહાત્મ્ય સમ્યગ્ જ્ઞાનીના જ્ઞાન ઉપર અગર કહેલા કથન ઉપર વિશ્વાસ રાખવા તેનું નામ શ્રદ્ધા છે. સમજી વર્ગને કે અણુસમજી વર્ગને દરેક કાર્યની સિદ્ધિ કરતાં પહેલા શ્રદ્ધાનાં પાયાની દઢતા સ્વીકારવી પડે છે. દુનિયામાં જ્ઞાન જેવી ચીજ ન માનીએ, જ્ઞાની મહાત્માઓને સ્વીકારીએ નહિ અને જ્ઞાનના સાધનોની પરવા જ ન કરીએ તે। શ્રદ્દા રહેવાની કયાં ? અર્થાત્ શ્રદ્ધાના પ્રવાહ પ્રવર્તે શી રીતે ? જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધન સ્વીકારનારાઓને શ્રદ્ધાનુ અસ્તિત્વ સ્વીકારવું જ પડે છે, અને શ્રદ્દાનું મૂલ ત્યાંથી જ શરૂ થાય છે. આપણે એકડા શીખ્યા ત્યારે સાહજાર લાખની જરૂરતનું ભાન ન હતુ, મા અને બાપા ખેલતા થયા ત્યાં સુધી મા કાને કહેવાય અને બાપા કોને કહેવાય તે પણ સમજતા ન હતા. બાલ્યકાલની અધશ્રદ્ધા ખેલતાં લખતાં શીખવાડે તે સજ્ઞના ચરણમાં શીર ઝુકાવનારા શ્રદ્દામલે આગલ વધે તેમાં નવાઈ શી ? ખેલ્યા પછી બાલક સમજ્યા કે સમજ્યા પછી એલ્યા ? અને લખ્યા પછી સમજ્ગ્યા કે સમજ્યા પછી લખ્યું ? એવી જ રીતે ધાર્મિક ક્રિયામાં કરવાનું પહેલાં અને સમજવાનું પણ પછી જ છે. અણસમજુ આત્માને, સમજ જ્ઞાન અને સન-ચારિત્રમાં આગલ વધવુ હોય તા શ્રદ્દાની અનિવાય જરૂર છે. “ લકીરના ફકીર ” બનીને એકડા ઘુટનારાએ પણ આજે વિદ્વાનની કક્ષામાં બિરાજે છે એ મહેતાજી-માસ્તર-વિદ્વાન-મેફેસરા પર શ્રદ્ધાનુ સુંદર પરિણામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ४४
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy