SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વર્ધમાન તપ મહાભ્ય જાણનાર બાલકનું શરીર હષ્ટપુષ્ટ થાય છે કે નહિ? રે ગાડી અને મેટર કેવી રીતે બની, કેવી રીતે ચાલે અને કેવી રીતે ઊભી રહે તેનું બિલકુલ જ્ઞાન ન હોય તે બેસનારાઓ સહીસલામત સ્થાને પહેચે ખરા કે નહિ ? આ પ્રશ્નોના સમાધાનમાં સમજણને અભાવ છતાં વર્તન કરનારને લાભ મળે છે. તેવી રીતે સમજણ વગરની વીતરાગકથિત ક્રિયાઓ કરવાથી અને નહિ કરવાથી અનુક્રમે લાભ અને નુકશાન જરૂર મલે છે તેમાં નવાઈ નથી. બાળકને સમજણ ન આવે ત્યાં સુધી ગલથુથી નહિ આપવી, મુસાફરને સમજણ ન આવે ત્યાં સુધી ગાડીમાં બેસવું નહિ, સેનું ઝવેરાત ન સમજાય ત્યાં સુધી પહેરવાનું નહિ, આવાં આવાં અનેકવિધ વ્યવહારોને સમજણ વગર અપનાવવામાં આવે છે તે પછી જેન શાસનમાં સમજણ વગરની ક્રિયા કરે તે અવશ્યમેવ લાભ મેળવે તેમાં શંકાને સ્થાન જ નથી. આથી સ્પષ્ટ થયું છે કે જ્ઞાન–સમજણ અગર હેય-ઉપાદેયનું વિશુદ્ધ વિજ્ઞાન થયા વગરની ક્રિયા કે વર્તન કરવું એ નકામું છે એ માન્યતા ભૂલભરેલી છે. અલબત અણસમજુ ક્રિયારુચિ-જીવ સમજદારને આશ્રિત હોવો જોઈએ. સમજણપૂર્વકના સંસારના વ્યવહાર નભી શકતા નથી અને નભાવી શકાતા નથી, પરંતુ સમજણવાળા માતા-પિતાના વિશ્વાસે સેંકડે બાલક પિતાના જીવન લગભગ પગભર બનાવીને માનવ જીવનની ઉન્નતિના પંથે વિહરી રહ્યા છે. પૂર્વે રહ્યા હતા અને રહેશે એ નગ્ન સત્ય સ્વીકાર્યા વગર કેઈથી પણ રહેવાય તેમ નથી. આ સિદ્ધાંતની વિરુદ્ધ વર્તવાવાલાએ અર્થાત્ સમજણ વગર કોઈ પણ કાર્ય-ક્રિયા કે વર્તન કરવું નહિ તે દવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034653
Book TitleVarddhaman Tapomahatmya
Original Sutra AuthorN/A
AuthorChandrasagar Gani
PublisherRushabhdevji Chhaganiramji Pedhi
Publication Year1946
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy