SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ઉથાપન ૪૪૩ પણ ચક્રવર્તિપણ કરતાં જૈનધર્મ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિને શ્રેટ ગણાવતાં જે કહે છે કે – जिनधर्माद् विनिर्मुक्तो मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि जैनधर्मानुवासितः ॥१॥ અર્થાત્ જૈનધર્મ એટલે સમ્યક્ત્વના ગુણથી રહિત એવો ચક્રવર્તી પણ ન થાઉં, પણ ચાકર અગર ગુલામની અવસ્થામાં પણ હું જૈનધર્મથી એટલે સમ્યગ્દર્શનના ગુણથી વાસિત થાઉં. આવી રીતે શાસ્ત્રકારોએ જણાવેલા અને શ્રાવકેએ કરાતા પ્રણિધાનને સૂક્ષ્મદષ્ટિએ વિચારનારે મનુષ્ય જૈનધર્મ એટલે સમ્યગ્દર્શનની દુઃપ્રાપ્યતા સમજ્યા સિવાય રહેશે નહિ, અને જે સમ્યગ્દર્શનની દુઃપ્રાપ્યતા ધર્મપ્રેમીને અંતઃકરણથી લાગશે તો તે ધર્મપ્રેમી મનુષ્ય સમ્યગ્દર્શનને વ્યવહારથી કે નિશ્ચયથી ધારણ કરનારા ઉપર અપ્રતિમ પ્રેમ ધારણ કરશે તેમાં નવાઈ નથી. સાધર્મિપણુના સંબંધની ઘણુજ અ૮૫તા આજ કારણથી શાસ્ત્રકારે સાધર્મિક સાથે સાધમિકપણાનો સંબંધ પ્રાપ્ત થવો મુશ્કેલ ગણે છે, કેમકે આ અનાદિ સંસારચક્રમાં વ્યવહારરાશિના સર્વ જીની સાથે Shree Sudharmaswami Gyanbhandarmarærágyainbhandar.com
SR No.034640
Book TitleTap ane Udyapan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1936
Total Pages696
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy