________________
૩૨૨ - સુવાસ : ડીસેમ્બર ૧૯૪૦
મેં એક દર્દભરી આહુ નાંખી. તે તે આહના ઉત્તરમાં હાય તેમ ચંદુના એક યુવાન શિષ્યે પોતાનાં મુખ–મસ્તક વાદળી રંગના એક રેશમી રૂમાલથી ઢાંકી દીધાં; ચંદુએ અમને મૂક શાન્તિ રાખવા કહ્યું; યુવાન સાધુએ મસ્તક ધૂણાવ્યું તે થેડી પળ પછી સંન્યાસી ઝમીં પોતે જ ખેલતા હોય તેમ તેણે ચંદુને કંઈક કહ્યું. ચંદુએ અમને કહ્યું કે ઝએ મને તરતમાં મુલાકાત આપવાનું કબૂલ્યુ છે. આંખામાં નૂર ન હાવાથી આ બધી ક્રિયાની કેટલીક વિગત તા પાછળથી મેં મિત્રો પાસેથીજ જાણેલી.
ઝમેતિ મળવાને અમે ગાર્ચથી આગળ વધ્યા, ત્યારે અમને સહીસલામત પહેાંચાડવાને ચંદુ અને યુવાન સાધુ પણ અમારી સાથે જોડાયા. ચારેક કલાકની પાર્વતીય મુસાફ્રી પછી અમે સંધ્યાએ રાંડુ લાધા નામે સ્થળે આવી પહોંચ્યા. ત્યાંના મઠમાં અમને ખારાક-પાણી અપાયાં અને મંદિરમાં બુદ્ધની ભવ્ય મૂર્તિની સમીપમાં જ અમારે માટે સૂવાની વ્યવસ્થા થઈ. આ સ્થળે પણ યુવાન સાધુએ પ્રથમની જેમ ઝર્માની સાથે દૂરથી વાતચીત કરી ને ઝોએ અમને મધ્યરાત્રે પેાતાનો ગુફામાં આવવાનું આમંત્રણ આપતાં અમે તે સમયે ત્યાં પહોંચ્યા.
ઝર્માએ અમારી સાથે મીઠાશથી વાતચીત કરી. તે વાતચીત પરથી મને અમજ લાગ્યું કે આ ઋષિ અહીં ખેડાં .બેઠાં આખા જગતને ને તેમાં ચાલતી ક્રિયાઓને જોઈ શકે છે; દૂર દૂર રહેલા તેના શિષ્યાની સાથે વાતચીત કરી શકે છે. તેણે મારી આંખા પર, પવિત્ર અક્ષરાથી તે કઈ અગમ્ય તેજક્રિયાથી મંત્રેલું પાણી છાંટયું. તે એ રીતે ત્રણ દિવસ પાણી છંટાતાં મારી આંખેાની રાશની પુનઃ ઝગમગી ઊઠી; હું અંધ મટીને દેખતા બન્યા.
ઝર્માના સહવાસ મતે ખૂબ પ્રિય થઇ પડયા. તેણે મને પ્રાચીન તિબેટ અને હિંદની વિજ્ઞાનસિદ્ધિની અદ્દભુત વાતા સંભળાવી. તેને લગતા કેટલાક અતિ પ્રાચીન ગ્રન્થા હજી પણ તિબેટના યુદ્ધમંદિરામાં જળવાઈ રહેલા છે. રેશમ જેવાં ધેરાં-પીળાં પાનાં પર સાનેરી અક્ષરે લખેલા એ ગ્રન્થા ભૂતકાલીન તિબેટની મનહર ક્લાનું દર્શન કરાવે છે. તે ગ્રન્થાના ઉકેલની ભાષા અધિકારી લામાને જ શીખવવામાં આવે છે. ઝર્મા પાસે પણ એવી ત્રણેક પ્રતા હતી. મારામાં તેને તે અંગે પવિત્ર જિજ્ઞાસા જણાતાં તેણે ત્રને તે પ્રતામાંથી, અતિ ગુપ્ત નહિ એવા, કેટલાક વિભાગે। વંચાવવા માંડયા.
તે વાંચનમાં એક સ્થળે વજનને ઓછું કે વધતું કરવાના પ્રયાગ આવ્યેા. મને એના પર પૂરતી શ્રદ્ધા ન ખેડી. ઝર્માએ એ પ્રયાગ મને નજરે બતાવવાનું વચન આપ્યું. ખીજે દિવસે પ્રભાતમાં ઝર્યાં મને સમીપમાં જ પડેલા એક વજનદાર પત્થર નજીક લઈ ગયા. તેણે મને તે પત્થર ઊંચકી આશરે તેનું વજન જણાવવાનું કહ્યું. મેં જોરપૂર્વક એ પત્થરને અદ્ધર કરી તેનું વજન સવાએક મળુ જેટલું હાવાનું જણાવ્યું. તેણે તરતજ પેાતાના ઝબ્બામાંથી ધાતુની એક નાની શીશી કાઢી. ને તે શીશોમાંના તેલ જેવા પ્રવાહીમાં ત્રાંબાના તાર ખેાળી તેને પત્થર પર ફેરવ્યેા. થાડીક પળ જવા દઇ તેણે મને તે પત્થર કી ઊંચકવા કહ્યું. મેં તે પત્થરને રમકડાની જેમ ઊંચકી લીધા ને તેનું વજન મને બશેર કરતાં પશુ કંઇક એઠું લાગ્યું. હું આ કરામતથી આશ્ચર્ય પામ્યા. પણ ઝમેર્માએ કહ્યુંઃ
“એમાં આશ્ચર્ય જેવું કંઈ નથી. જે આકષણશક્તિ પદાર્થાત વજનીલ બનાવે છે તે આ ક્રિયાથી થાડાક સમયને માટે સુષુપ્ત અની જાય છે. ”—તે થોડાક સમય જવા દઈ હું એ પત્થરને કરી ઊંચકવા ગયા તે તે મને અગાઉની જેમ સવા મધુ જેટલે જ જડ્ડાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com