SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્તિક ૧૯૯૬ ને પરદેશીએએ સત્તા જમાવવા માંડી. સત્તાની છાયા નીચે પરસંસ્કારનું વિષ ફેલાયું. ભારતે શસ્ત્ર સજ્યાં. તે મેટા ભાગના પરદેશીઓએ તેની સામે શીશ નમાવ્યાં, થેાડાક ભાગી છૂટયા. પણ તકાલીન ભારતીય રાજનીતિ એ સર્વને ભારતમાંથી નિર્મૂળ કરવાની અનિવાર્યતા ન સ્વીકારી શકી. પરિણામે પરદેશીએ ધીમે ધીમે પારાવી બળ વધારી પાછા ફર્યાં. તેમણે ન એક નીતિ સાચવી, ન જીવનધર્મ જાળવ્યે!. ને પરાજિત વૈરીને વારંવાર ક્ષમા અક્ષવાને અચૂક નીતિધર્મ સાચવી રાખનાર ભારતને છેલ્લા મહાન સમ્રાટ પૃથ્વીરાજ દુષ્ટાની અનીતિના ભાગ ખની ૧૨૪૮ માં જીવતા ચણાયે।. તે પછી ભારત ભારત નથી રહ્યું. અવનવા ધર્મ, પરપ્રાદેશિક સંસ્કૃતિ, સ્વાર્થ ને નિર્બળતાએ તેને કચર્યા જ કર્યું છે. 300.. • સુવાસ : છતાં જ્યાંસુધી વિધર્મીઓ! કે એમની સંસ્કૃતિની વલણ આક્રમણકારી રહી ત્યાંસુધી ભારતીય પ્રજાનું લેાહી રેડાયું, પણ એની આંખે પડળ ન છાયાં. પ્રતાપ કે બીમ, શિવાજી કે ગાવિંદસિંહ જેવાઓએ દુષ્ટતાનાં અડધાં ખીજ ઉખેડી પણ નાખ્યાં. પણ મા ભારતીનાં ભાગ્ય હજી વધારે કઠીન હતાં. તેને ગૂંથવાને દૂરથી ગેારાં ટાળાંએ ઊતરી આવ્યાં. ને પુત્ર ને લૂટારા વચ્ચે ખેંચાતી રમણી ત્રીજા જ લૂટારાને હાથ જઇ પડી. તેનું તિલક ભૂંસાયું, તેનાં કઇંક તૂટયાં. તેના હાથમાં લાડુની જંજીરા પડી. લેહી ચૂસાઈ ને તેની કાયા એટલી કૃશ બની ગઇ કે તેના પુત્રો પણ તેને ભૂલી સ્વાર્થની ઘેલછામાં પરાવાયા. છતાં ગારા વિજેતાઓની વલણ જ્યાંસુધી આક્રમણકારી રહી ત્યાંસુધી ભારતીય પ્રજાએ એને કંઇક સામનેા તા કર્યાં જ; એ વિષની તે કિંમત સમજતી રહી. પણ જ્યારથી એ વલણે સંરક્ષકનું બિરુદ ધારણ કર્યું; ભારતીય સંસ્કાર, સંસ્કૃતિ, તે ધર્મનાં ઝરણાને સૂવીસડાવી, કેળવણીના યન્ત્રથી ઊગતી પ્રજાને એ સ્થિતિ પ્રત્યે ઉશ્કરી, એ સ્થિતિના ઉકેલ તરીકે વિલાયતી સંસ્કૃતિના ક્રમિક સ્વીકાર જ એક માત્ર માર્ગ હાવાની એનાં મગજો પર છાપ પાડવા માંડી; પ્રજાની આક્રમણુશક્તિ કે એનાં શૈાર્ય-સાહસને કચરવાને શરીરમાંથી આંતરડાંની જેમ ધર્મગ્રન્થેામાંથી ખેંચી કાઢેલાં સંબંધહીન પ્રચારવાકયે। કે માનવતાના કૃત્રિમ સિદ્ધાંતા ફેલાવવા માંડયા; એની વ્યવસ્થા કે એનું સુખ તેડવાને ઊગતાં હૈયાં પર સમાનતાના મદ સીંચવા માંડયા—તે મોટા ભાગની પ્રજાની આંખે પાટા બંધાયા. એક પણ વિષયના સૂક્ષ્મ અભ્યાસ વિના તે અનેક વિષયા પર અભિપ્રાય આપતી થઈ. કેળવણીનાં વિષમંદિરામાં પાયલાં બીજમાંથી પ્રગટેલાં વૃક્ષાને તે કલ્પવૃક્ષે માનવા લાગી. માતાને મુક્ત કરવાના પ્રથમ-પવિત્ર ધર્મ વીસરી તે પેાતાનાં જ આંતરડાં ચૂંથવા માંડી; પેાતાનાં જ અંગેા પર, પેાતાના જ ઇતિહાસ પર, પોતાના જ પરમ પુરુષવરા પર તેણે આક્રમણ આદર્યું. તેની બુદ્ધિ પણ પાંગળી અને પરાધીન બનતી ચાલી. આર્યસ્મૃતિવિધાયકાએ સ્ત્રી અને પુરુષને-પ્રજાના ભિન્નભિન્ન વર્ગને સાંસ્કૃતિક વિશુદ્ધિ અને રાષ્ટ્રીય અસ્મિતા જળવાઈ રહે એ રીતે, તેમનાં નૈસર્ગિક સ્વરૂપ અને શક્તિ અનુસાર જીવન, સમાજ અને રાષ્ટ્રમાં યેાગ્ય યેાગ્ય ક્ષેત્રના અધિકાર સોંપ્યા. પણ નવા પાઠ ભણેલી પ્રજા એ સ્મૃતિવિધાયકાને મૂર્ખશિરામણું ઠેરવવા નીકળી-કેમકે એને એમ શીખવવામાં આવ્યું છે. આગળ વધીને એને જો એમ શીખવવામાં આવે ૐ નાક અને આંખને ભિન્નભિન્ન અધિકાર સાંપનાર કે સ્ત્ર અને પુરુષનાં અંગેાપાંગમાં ફેરફાર રાખનાર કુદરત મૂર્ખ અને પક્ષપાતી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034629
Book TitleSuvas 1940 01 Pustak 02 Ank 07
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages54
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy