________________
જવાહિર - ૩૨૯
ચારાઇ જવાની ખીÝ, રત્નાનું વેચાણ જાહેર કરતાં ખાનગીમાં કેટલીક વખત વિશેષ પ્રમાણમાં થાય છે. કેટલાંક વર્ષોં અગાઉ ન્યુયેાના એક ઝવેરીએ સાડા સાત લાખની કિંમતના ૧૨૭ કેરેટના એક હીરાનું અને પંદર લાખની કિંમતના ૫૯ મેાતીના એક હારનું એક શ્રીમંતને વેચાણ કર્યું, પણ એ શ્રીમંતનું નામ હજી બહાર સાવ્યું નથી.
હીરાના મોટા ભાગ આજે આફ્રિકામાંથી મેળવાય છે. હિંદમાં પણ ગાવળકાંડા વગેરે ઠેકાણેથી મળી આવે છે.
હીરા, મણિ, લીલમ કે પાખરાજ ઉપરાંત જવાહિરમાં બીજા પણ કેટલાક ક્રિમ્મતી પથ્થર અને મેાતીનેા સમાવેશ થાય છે જે આછી કિંમતે મેળવી શકાય છે.
સાચાં મેાતી સાગરમાંથી મળી આવે છે અને તેની કિંમત કેટલીક વખત લાખાની પણ થવા જાય છે. પણ પહેરવેશમાં જાપાનનાં બનાવટી મોતી કાઈ પણ રીતે સાચાં મેતી કરતાં ઓછાં નથી ઊતરતાં.
જેડ, અલેકઝાંડ્રીટસ, ટુમૈલાઈન, જર્ગાન, હાયસીન્ગ, જેસીન્ય, પેરીડાટસ વગેરે પશુ રત્નની સમાન ઊભા રહે એવા વિવિધ રંગના ચકચકતા પત્થર છે. તે ૧૫થી ૨૦૦ રૂપિયે કેરેટના ભાવે મેળવી શકાય છે અને રત્નને ઠેકાણે પહેરી શકાય છે. પેરીડેાટસને તા કેટલીક વખત ‘સંધ્યાનાં લીલમ'ની પણ ઉપમા અપાય છે.
મણિના વિષયમાં પાશ્ચાત્ય જગતે હજી પ્રાચીન હિન્દ જેટલે વિકાસ નથી સાધ્યા. ચન્દ્રકાન્ત મણિ, સૂર્યાંકાન્ત મણિ, જળકાન્તમણિ, પારસમણિ, નાગણુ વગેરેના ગુણુ કે ચમત્કાર એવા અલૌકિક દાખવવામાં આવ્યા છે કે આજનું જગત એને કલ્પનાનું જ પરિણામ ગણી લે છે. પણ એ કેવળ કલ્પના ઢાવી મુશ્કેલ છે. દરેક મણના વિશિષ્ટ ગુણાના સેંકડા ઠેકાણે ઉલ્લેખ થયેલા છે.
પહેલાં રત્નાના બજારમાં મણિ પછી માણેકની કીંમત વધારેમાં વધારે અંકાતી, પણ ધીમેધીમે શ્રીમંત સ્ત્રીઓના પહેરવેશમાંથી લાલ રંગને વિદાય મળતાં માણેકનું સ્થાન લીલમે ઝૂંટવી લીધુ છે.
ફૂલડાંને—
ALB
જીવ્યે ત્યાં લગી ગીત-કાવ્ય ગુંથી મેં સુહાવીયાં આપને હાવાં ખીલી તમે બધાં કમરપે મ્હારી, સુહાવા મને; મૂર્છાઈ નહિ જાવ, ખાત્રી મુજને, કેાઈ કુમારી અહીં આવી રાજ સવાર સાંજ સીંચશે અશ્રુની સંજીવની ! *
Robert Herickના એક મુક્તકના ભાવાનુવાદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નાતમ
www.umaragyanbhandar.com