________________
સુવાસ કાર્યાલયના નિયમ સુવાસ દરેક અંગ્રેજી મહિનાની પાંચમી તારીખે પ્રગટ થશે. બારમી તારીખ સુધીમાં અંક ન મળે તે વડોદરા-ઓફિસના સરનામે ફરિયાદ કરવી. નમુનાનો અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ બીડવી.
સુવાસ’માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની યોગ્યતા પ્રમાણે પાના દીઠ રૂ. થી ૧ સુધી આપવામાં આવશે. આ પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધો ન હોય તેમણે પોતાનો લેખ મોલતી વખતે તે લેખના હાંસિયામાં પુરસ્કાર' શબ્દ લખવો. લેખકેને તેમને લેખ પ્રગટ થયા પછી સાત દિવસની અંદર પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને “સુવાસેના ગ્રાહક ગણી તેમને મળતા પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ “આઉટ પ્રીન્ટસ મોકલાશે.
તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયેલા સુવાચ્ય લેખો માટે “સુવાસ'માં ઉચિત સ્થાન છે. જોડણી સબંધમાં લેખકે એ ગુજરાત-વિદ્યાપીઠના કોષને અનુસરવું. અશુદ્ધ લે માટે અસ્વીકારને ભય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખની એક અઠવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય જે શ્રેમપૂર્વક આલેખાયેલા હશે તે તે ઉચિત નોંધ સાથે તે જ મુદતમાં પાછા મોકલવામાં આવશે. તે સિવાયના લેખે જે લેખકે ટપાલ ખર્ચ મોકલી એક મહિનાની અંદર પાછા નહિ મંગાવી લે તો તે રદ કરવામાં આવશે.
તરતમાં પ્રગટ થયેલ ગ્રન્થને અમે “ગ્રન્થ પરિચયમાં સ્થાન આપીશુ. તે સિવાયના ગ્રન્થની કેવળ નેધ જ લેવાશે. ‘સુવાસ સંબંધી પત્રવ્યવહાર કરતી વખતે પોતાનું નામ અને સરનામું પૂરેપૂરું લખવું.
સુવાસ કાર્યાલય • રાવપુરા • વડોદરા ભારતવર્ષની પ્રાચીન ગરવતા તથા મહત્ત્વતા જાણવી હેય
અનુભવવી હોય તો ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ
એલ. એમ. એન્ડ એસ. કૃત . સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધી
૧૦૦૦ વર્ષને
પ્રાચીન ભારતવર્ષ ખરીદે
તમે સ્વદેશપ્રેમી છો? ત્યારે તે તમે ભારતવર્ષને ઇતિહાસ જાણતા જ હોવા જોઇએ
ન જાણતા હે તો ઉપલા પુસ્તક માટે આજે જ ઓર્ડર લખે અગાઉથી ગ્રાહક થનારને પાંચ ભાગના આખા સેટના રૂા. ૨૨
ત્યાર પછી અને છુટક આખા સેટને રૂા. ૩૦)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com