________________
૨૧૨ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
બધાનાં પેટ તે વળી પાછાં પાતાળ ઊતરી ગયાં, જેથી તે ખાડો પૂરવા માટે ગામમાંથી ચવાણું મંગાવી કળી, ચેવડે, ચટણી ઈત્યાદિ તીખી-તમતમતી કચુંબર ઉપર વરસમેત બધાએ પુષ્કળ હાથ માર્યો. સૂર્યાસ્ત થવા આવ્યું તે પણ ટ્રેનના કશા વાવડ નહેતા. અમારા તથા વેવાઈના એક સામાન્ય સગા નામે કચરાભાઈ માંડવા અને જાનીવાસા વચ્ચે હફિલ કર્યા કરે; અને વારેઘડીએ માંડવેથી અમારી પાસે આવીને અમને કહ્યા કરે કે‘કાં હવે છાબને શી વાર છે?” “અમારા વડીલો આવી પંચે ત્યારે દેવાય'—એમ અમે તેને ઉત્તર વાળતા. વળી કચરાભાઈ આવીને ટપારે કે-માજન માંડવે આવી ગયું છે, તે જલદી છાબ લઈને ચાલે !' જો કે છાબનું જોખમ અમારી સાથે જ ભળાવ્યું હતું, પરંતુ વડીલની ગેરહાજરીમાં અમારાથી તે ક્રિયા કેમ પતાવાય ? વળી પાછા કચરાભાઈ એ હોંકારો કર્યો કેગાડી તો આજ બે કલાક મોડી છે. માંડવે માજન બેસી રહ્યું છે, છાબ નહીં લાવો તે શેઠિયા ઊઠી જશે અને આપણી આબરૂ જશે.' અમારી સાથે કઈ ઘરડું માણસ પણ નહોતું કે ગાડાં વાળે, જેથી અમારી અક્કલ વાપરીને છાબ માંડવે દઈ આવ્યા. અને “વાહ-વાહ' કરતું મા'જન ઊઠી નીકળ્યું. જરા વારે અમારા વડીલો અને મેટેરાંઓ સ્ટેશનેથી જાનીવાસે આવી પિચ્યાં. અને “છાબ તૈયાર કરો”—એમ તાકીદ અમને થઈ.
એ ક્રિયા તે હમણાં જ ઉકેલી લીધી ”—એવું અમે કહેતાં, મારા વડીલની મારા પ્રત્યે લાલ આંખ થઈ. “મૂખ! આ બધા મોટા માણસોને છાબ માટે માંડ માંડ જાનમાં લઈ આવ્યા. અને અમારી રાહ પણ ન જોઈ? ” મારા ઉપર કેપ ઊતર્યો.
પણ-ગાડી મોડી છે અને આપણી આબરૂ જાય છે એમ કચરાભાઈએ કહેતાં અમારે આબરૂ જાળવવી જોઈએને?”
“ગધેડે છે; અને ચરે એથી મેટે લંબકર્ણ છે', અમને ઈલ્કાબ મળ્યા.
જાનમાં આવેલ મેટેરાંઓ બધાં છાબના દાગીના ગણતાં હશે તેનું આપણને તે કાળે ભાન ન હોવાથી હું તે મુંગે થઈ ગયો. મારા વડીલે વેવાઈ પાસે ધેખ કરતાં વેવાઈએ ખુલાસો કર્યો કે-“ભાઈ-સાહેબ ! અમે તે તમારી રાહ જોતા હતા. કલાક બે કલાક મોડું થાય એમાં ક્યાં ખાટું મેળું થઈ જવાનું હતું? પરંતુ કચરાભાઈ વારેઘડીએ અમને કહી જતા કે-“છાબ તૈયાર છે અને શા માટે ઢીલ કરે છે ? ગાડીનું કશું ઠેકાણું નથી; અને જાનીવાશેથી ઉતાવળ કરે છે. લાઈલાજે માજનને બોલાવી છાબ મારે વધાવવી પડી.’ “ઓત્તારી !! આતો બધા કચરાના કામા !” મારા વડીલ બોલી ઊઠ્યા. અને મારા માથેથી વાદળ વીખરાઈ ગયું.
અલવા-કલવાની ક્રિયા પતી, અને વરરાજા તેરણે આવ્યા; તે જ વખતે વરના પેટમાં ભારે ચૂંક ઊપડી. બાજોઠ ઉપર ઊભા રહેવાની પણ શક્તિ ન મળે ! મારા વડીલને કાને એ વર્તમાન પેચતાં, વળી વાતાવરણ ગરમાગરમ... અને આ વખતે મોટે ધડાકે થશે એવી ભીતિને લીધે હું તે ત્યાંથી ગ૭ન્તી કરી ગયો ! પેનકિલર ઇત્યાદિ દવા આપવાથી ઈશ્વરકૃપાએ પીડા તે-તાત્કાલિક શમી ગઈ, અને લગ્નક્રિયા સમાપ્ત થયા બાદ વરરાજાને બે ચાર દસ્ત થયા ત્યારે તેને કાંઈક શાંતિ થઈ. આવી અચબુચ પીડા થવાનું કારણ ખેળવા માટે જાની વાસે સંક્ષિપ્ત તપાસ ચાલી, અને અપરાધી તરીકે મને પકડી મંગાવી ખડો કરવામાં આવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com