________________
૨૧૦ - સુવાસ : ભાદ્રપદ ૧૯૯૫
હવે એ ફાવે તેટલા માણસોને વાત કરે!” અખીલે હથેળીઓ ઘસતાં વિચાર્યું; “જખ મારે છે! તે જે વાત શરૂ કરો કે હું એને ચેપડાવીશ, “મારા પ્રિય મિત્ર, તમારી જીભને તસ્દી ન આપશે. અમે બધાં કયારનાં યે જાણીએ છીએ !”
આ વિચારથી અખીલને અત્યંત સંતોષ થયો. તેણે જોઈએ તે કરતાં ચાર ખાલીઓ વધારે પીધી. ખાણું પછી તેણે નવપરણિત યુગલને વધૂના ઓરડા તરફ દેવું; અને તે પથારીમાં પડી લાકડા જેમ ઊંઘવા લાગ્યો.
બીજી સવારે તે તે બરફીની વાત છેક ભૂલી ગયો હતો. પણ નશીબ બે ડગલાં આગળ ને આગળ! માણસ ધારે છે કંઈ અને ઈશ્વર કરે છે કંઈ! ભૂંડી જીભે અખીલની ચાલાકી કોણ જાણે કયાં ઉડાડી દીધી હતી. બરોબર અઠવાડિયા પછી બુધવારે ત્રીજો પાઠ શરૂ થયો હતો ત્યારે અખીલ વર્ગમાં ઊભો ઊભો વિનું નામ વિદ્યાર્થીના હસ્તાક્ષરના મરોડ સુધારતા હતા. આ વખતે સંચાલકે પ્રવેશ કર્યો અને તેને ખૂણામાં બોલાવ્યા.
“મારા પ્રિય બાબુ અખીલ સંચાલકે કહ્યું, “ માફ કરજે...જે કે મારે પંચાત કરવાની જરૂર નથી, છતાંયે મારે કહેવું જોઈએ !...મારી ફરજ છે...તમે જાણતા તે હશે કે શહેરમાં અફવા ઊડી છે કે તમારે તમારી રસોયણ સાથે અમુક પ્રકારને સંબંધ છે... અલબત્ત, મારે તેની સાથે કંઈ લેવાદેવા નથી. હું તે કહું છું કે તમે તેની સાથે રહે, ચુંબન કરો...ફાવે તેમ મઝા ઉડાવો. પણ આમ છડેચોક નહિ. હું તમને વિનંતિ કરું છુંતમારી પ્રતિષ્ઠાને ભૂલશે નહિ.”
એક ઠંડી ઝણઝણાટી અખીલની કરેડમાંથી વહી ગઈ. તેણે આત્મવિશ્વાસ ગુમાવ્યો. જાણે જંગી મધમાખોનું ટોળું તેને ડંખ મારતું ન હોય; અથવા કોઈએ ઉકળતું પાણી તેના પર ન રેડયું હોય તેમ તે ઘરભણી ભાગો. રસ્તામાં તેને આખું શહેર પોતાની તરફ તાકીને જોઈ રહ્યું છે એમ લાગ્યું. જાણે એણે આખા શરીરે ડામર ન ચાલ્યો હોય તે
પર ન ચોળ્યો હોય ને પીછાં ન પહેર્યા હોય !......ઘેર એક નવી આફત તેની રાહ જોતી હતી.
કેમ ખાવું નથી ?” તેની પત્નીએ જમવાના સમયે પૂછ્યું, “ કેમ, કેનાં સ્વપ્નાં આવે છે? માશુકનાં? રજની પર પ્રેમ જાગ્યો છે? તુરકડા જેવા! હું બધું ય જાણું છું ! મારી આંખ ઉઘાડી છે ! જંગલી જેવા!” - એક તમાચો તેના ગાલ પર સણસ. તે ભાણા પરથી ઊઠયો ને તંદ્રામાં હોય તેમ ખેશ કે ટોપી પહેર્યા સિવાય સુરેન્દ્રને ત્યાં ગયે. સુરેન્દ્ર ઘરમાંજ હતો.
“નિદાખેર !” અખીલ તેને જોઈ બરાડો કર્યો, “તેં દુનિયામાં મારી આબરૂના કાંકરા કર્યા છે ! મારી નિન્દા કરવાનું તારે શું કારણ છે ?”
“ તમે મને “નિશાખોર” કહી શું કહેવા માગે છે ? તમારા મગજમાં એવો ખ્યાલ કયાંથી આવ્યો ?”
ત્યારે શા માટે તમે હું રજનીને ચુંબન કરતો હતો એમ વાત ઉડાવી ? તમે નથી ઉડાવી ...એમ મારે ધારવું, કેમ ?”
સુરેન્દ્રની આંખનાં પોપચાં ફફડયાં. તેણે વિચિત્ર રીતે મુખ બગાડયું. તેણે ખૂણામાં જેઈ બુમ પાડી કહ્યું, “ભગવાન મારૂં સત્યાનાશ વાળે ! મા દુર્ગાના સેગન ખાઈને કહું છું કે મેં આ વાતને ફરીથી એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. મારે સર્વનાશ થજે જે મેં...
સુરેન્દ્રની સહૃદયતા માટે હવે શંકાને સ્થાન ન રહ્યું. એટલું તે સ્પષ્ટ થયું કે તેણે ગપ ઉડાવી નહોતી.
ત્યારે કાણું હશે ? કેણુ?” છાતીએ મુક્કો મારતાં અખીલ બબડશે અને મનમાં બધા મિત્રોના નામ ગણી ગયે, “ ત્યારે કેણ હશે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com