SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ અરીઠાં १६५ - अरीठां ૩૯૭ આપણી ભારતભૂમિમાં ઉપન્ન થનારી ઔષધિઓ કાડીને મૂલ્યે યૂરોપમાં મોકલીએ છીએ અને ત્યાંથી તે ઔષિધઓનુ રૂપાંતર થઇને કરી ભારતમાં આવે છે. અને તે લાખા રૂપિયાથી વેચાઇ ભારતની સમૃદ્ધિ ત્યાં ચાલી જાય છે. આપણા હિંદી ભાઇએ અમૃતતુલ્ય ઔષધિના લાભ લેવાનુ જાણતા નથી અગર તેા ચાહતા નથી; પરંતુ વિલાયતી એસડેાની સુંદર લેબલવાળી સુંદર શીશીએ તેમને આંજી નાખે છે. આ સ્થિતિ દૂર કરવાના પ્રયત્નતરીકે અને સર્વસાધારણના ઉપયાગ માટે સુજ્ઞાત વૃદ્ધ વૈદ્યોએ ઔષધિને પરિચય કરાવવા જોઇએ. હું તેવી એક ઔષધિ વિષે અહીં લખું છું. અરીઠાં એ પ્રસિદ્ધ ફળ છે. ખૈરાંએ પણ તેનેા નહાવા ધાવા વગેરેમાં પુષ્કળ ઉપયાગ કરે છે. એ ફળની છાલમાં ૧૧૫ ટકા સાબુ, ૧૦ ટકા શર્કરા અને ૨૦ ટકા કફઘ્ધ પદાર્થો છે. એ સિવાય તેના ખીજમાં રંગ વગરની ચરબી છે તેથી તે વડે પહેલા વર્ગના સાબુ ખનાવી શકાય તેમ છે. અરીઠાના પાનમાં પારાને એક કલાક ધુંટવાથી પારે। ભસ્મ જેવા થઇ જાય છે. અરીઠાનાં પી ઉષ્ણ, કડવાં, ચીકણાં, કદ્મ, વાતહર અને વામક છે. વધારે માત્રામાં દેવાથી રેચક અને વામક બન્ને ગુણા દેખાડે છે. તે અંગ્રેજી એપીકાયુઆના અને સિનેગાથી ઉત્તમ છે. તે દેવાથી ઝેર નીકળી જાય છે અને નિર્બળતા આવતી નથી. અધિક માત્રા દેવાથી એપીકાની પેઠે સઘોમારક નથી, તેને લેપ પીડાને મટાડે છે અને સાજાને ઓછા કરે છે. માત્રા પ રતીથી ૧૦ રતી સુધી, અને તેથી પણ વધારે આપી શકાય છે. શ્વાસરેગમાં ફેફસાંમાં કફ જામી જવાથી દાક્તર લેાક્રેા સિનેગા અને ઇપીકા દે છે. તેનાથી નબળાઇ આવે છે, પણ અરીઠ દેવાથી કફ પાતળા પડીને જલદી નીકળી જાય છે અને કેટલેક વખતે શ્વાસપર પણ સારા ફાયદા થાય છે. અજીર્ણથી ઉત્પન્ન થયેલ પેટપીડમાં ફળની અંદરની ગેાટલી એ રતી વજને આપવાથી તે શાંત પડે છે અને અરીઠાના ફળના નસ્યથી શ્વાસનેગ શાન્ત પામે છે. અજ઼ીણુ ખાનાર માણસને અરીઠા ખવરાવવાથા અફીણનું ઝેર આશ્ચર્યકારક રીતે નાશ પામે છે. અણુના મેટા ગાળાપર થોડા અરીઠા વાટી પાણીમાં મેળવી ચેાપડવાથી ઘેાડી વારમાં અણુ રાખ જેવુ થઈ જાય છે. અરીઠા થુંક વધારનાર છે. તેના ફળતું ચૂર્ણ' ખાવાથી શ્વાસકાસ મટાડે છે તથા હરિપાંડુ મટાડે છે. મૃગી(ફેફ)માં તેના ચૂર્ણનું નસ્ય દેવાથી તુરત ચૈતન્ય આવે છે. બાળકની હેડકી બધ કરવાને અરીઠાનું ફળ તેના ગળામાં બાંધવુ જોએ. સર્પ કરડતાંજ ૬ માસા અરીઠાની છાલને પાણીમાં મથન કરી વખતેાવખત પીવરાવવાથી સર્પવિષ નાશ પામે છે. જ્યાંસુધી વિષ પૂરેપુરૂં ન ઉતરે ત્યાંસુધી કલાકે કલાકે તે પાવું જોએ. વિબ્રૂચિકા(ક઼ાલેરા)માં અરીઠાનું મંથન કરેલ પાણી દેવાથી વમનમાં વધારા થઇ ઝાડા એછા કરે છે, અને પછી વગરદવાએ વમન પણ બંધ થઇ જાય છે. સ્ત્રીઓના અપતત્રક હિસ્ટીરિયા રોકવા માટે મૂળનુ નસ્ય અને ખાફ આપવા જોઇએ. વિષયુક્ત જીવડાં કરડવાથી તેના ડંશ ઉપર અરીઠાને સુરકામાં ધરીને ચોપડવુ જોઇએ; તેમજ ગલગ’ડના સોજા પર તેને લેપ કરવા જોઇએ. પ્રસૂતા સ્રી કષ્ટ પામતી હાય અને પ્રસવ થતા ન હેાય તે અથવા ઋતુઅવરેાધને માટે અરીઠાની મજ્જાનિયતી યાનિમાં રાખવી. મજ્જામાં પણ ફળના જેવા ગુણ છે. * (‘‘વૈદ્યકલ્પતરુ”ના એક અંકમાં લખનારઃ-ભાઇશકર ગૌ. સિંહેારી. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આયુર્વેદમહામહે પાધ્યાય રસાયનશાસ્ત્રી ભાગીરથ સ્વામી આયુવેદાચાયના એક લેખના આધાર ઉપરથી www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy