SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ-ભાગ પાંચમ આગળ વધતું હતું. યુદ્ધમાંથી નિશ્ચિત થયેલા સૈનિકો ગંભીર નિદ્રામાં મગ્ન હતા. કોઈ કોઈ નાની ટેળીમાં એકઠા થઈ ગપ્પાં હકતા હતા. સૈકાની પ્રાણેશ્વરી એક ઠેક-ચેરમાં ૨ ધનાદ્રિત અવસ્થામાં પડી પડી જલયાનની મજા લૂંટતી હતી. મનમાં ને મનમાં કંઈ વિચાર કરતે હૈા આમ તેમ આંટા મારતો હતો. એવામાં એવા શબ્દો તેના કાનપર પડ્યા કે તે ચોંકી ઉઠ્યો. એ શબ્દોએ તેના અતઃકરણના ચૂરેચૂરા કરી નાખ્યા. સૈન્કાએ આંટા મારવા બંધ કર્યું અને લયપૂર્વક સિપાઈઓની ટોળીમાં થતી વાત તે સાંભળવા લાગે. સિપાઈ છે કહેતા હતા કે “ આપણે નાયક આ એ સરાને સ્વતંત્રતાથી પણ અધિક ચાહતા હોય એ લાગે છે. આ શબ્દો સ્ટેન્કાના હદયને મથ નાખવા લાગ્યા, તેના મર્મમાં એ શબ્દ વિષદધ તીરની માફક ખટકવા લાગ્યા. તેનું મન વિધવલ થઈ ઉઠયું. જો વીર એ કા ધારત તે એ મિથ્યા ઉક્તિ કરનાર સૈનિકને કઠોર શિક્ષા ફરમાવત; પણ તેમ કરવું એ એના ઉદાર મનને ઉચિત લા ગ્યું નહિ. તેનું મન વિરોધી ભાવનું ક્રીડાસ્થળ બની ગયું. તેણે વિચાર કરવામાં ઝાઝો સમય લી નહિ. તેણે તે સૌંદર્યલનિકને અનિકિત અવસ્થામાં પોતાની વિશાળ ભુજમાં ઉંચકી લઈને ગદ્દ સ્વરે કહ્યું: એ યોગા ! વેળા ! તે મને વિપુલ સુવર્ણ, રૂ૫ અને બહુમૂલ્ય વસ્તુઓ આપી છે. આજે તું તારા પુત્રના હાથે, તેની અત્યંત મૂલ્યવાન અને પ્રિયતમ વસ્તુનો સ્વીકાર કર.” એટલું કહી તેણે પિતાની ભાગ્યલક્ષ્મીને ગાના અગાધ વિસ્તૃત જળમાં ફેંકી દીધી. વગાએ તેને પિતાના વક્ષ:સ્થલમાં લઈ લીધી. સ્ટેકાના હદયના ચૂરેચૂરા થઈ ગયા; પણ પિતાના નિશ્ચયથી પાછા ડગે નહિ. એક સૈનિકના માત્ર એક મિથ્યા ઇશારા માટે તેણે પિતાની પ્રિયતમ વસ્તુ સદાને માટે ત્યાગી. દેવી સીતાને ત્યાગતાં શ્રી રામચંદ્રજીની જેવી સ્થિતિ થઈ હતી તેવી વીર સ્ટેન્કાની સ્થિતિ હતી. સૈનિકે તેનું આ કૃત્ય જોઈ આભા જ બની ગયા. પેલા વાત કરનારના મનને ઘેર પશ્ચાત્તાપ થયો કે કેવી અભાગી પળે તેના મુખમાંથી એવું કુણ નકિયું ને આવું ઘાર કન્ય થઈ ગયું! થવાનું હતું તે થઈ ગયું. પશ્ચાત્તાપ કર્યો કંઈ વળે તેમ હતું. એટલું તે. ખરું કે, ત્યારબાદ સ્ટેન્કાના દિવસે કર્યા છે કે આ કૃત્યથી તે તેના સૈનિકામાં દિવસમાન પૂજાવા લાગ્યો. સૈનિકે તેને માટે પ્રાણ પાથરવા લાગ્યા. આવા એક નહિ પણ અનેક બનાવો તેના જીવનચરિત્રમાં મળી આવે છે. વીર સૈન્યા પિતાના પ્રજાજનોને પિતાના કરતાં અધિક ગણતો હતો. તેમનું કલ્યાણ કરવું, તેમના હિતને માટે યત્નશીલ રહેવું એ પિતાનું કર્તવ્ય લેખતો હતો. તેની આવી ભાવનાને લીધે, પ્રજાને માટે તેના મહાન આત્મોત્સર્ગને લીધે, રૂશયાના ઈતિહાસમાં તેનું નામ અમર છે. જો કે તેનું ભૌતિક શરીર નષ્ટ થયું છે કિંતુ રૂશિયાનાં ખંડેરોમાં પણ તેના રકતથી સિંચિત વ્યાપ બનેલી પ્રજાતંબની ભાવના, ઝારની ઉંચી અટ્ટાલિકાનો નાશ કરી, પ્રજાતંત્રના નિશ્ચિત તિમ વિજ ને સંદેશ આપતી આજ પણ તેની અમરતાને પરિચય આ સંસારને આપે છે. દેશનું કલ્યાણ સાધવાનું વ્રત જેઓ લે છે તેને અનેક કષ્ટ ઝીલવાં પડે છે, વિવિધ પ્રકારની વિટંબના સહેવી પડે છે; પરંતુ જેઓ પોતાના નિશ્ચયને ધવની માફક ડગવા દેતા નથી, તેઓજ તે પરમ પુણ્ય પ્રાપ્ત કરે છે. એવા વીરપુંગવાની પ્રતિજ્ઞા હોય છે કે ગર મૂકકી ખાતિર મેરી દુનિયામેં યહ તોકીર હે હાથમેં હે હલ્થકડી ઓર પાઉ જજ હે આંકી ખાતર તીર હો. મિલતી ગલે સીસીર છે મૂલી મિલે. ફાંસી મિલેગર માત દામનગીર હે ઈસે વાઢ કર ગાર કઈ દૂનિયામેં યહ તોકીર હે મંજૂર છે, મંજૂર , મંજાર હે મંજૂર છે. (૫-૭-૨૮ ના “ગુજરાતીમાં લેખક:-શ્રી. રમણીક અ. મહેતા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy