SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ શુભસંગ્રહ-ભાગ પાંચ સ્કીને સ્ટેન્કાની હિલચાલની ખબર પડી. તે એક વિશાળ સેના લઈ સિબ્રીસ્કી નામના નગરમાં માર્ગ રોકી બેઠા હતા અને સ્ટેન્કાની માર્ગ પ્રતીક્ષા કરતો હતો. જે જમથી સ્ટેન્કા શત્રુસૈન્યની સામે થતું હતું તે જેમથી તેણે હલ્લો કર્યો; પણ કહેવત છે કે “સમય બડે બલવાન હૈ. નહીં પુરુષ બલવાન તે પ્રમાણે અત્યાર સુધી વિજયને વરનાર વીર સ્ટેન્કાને નવયુવક પ્રિન્સની સેનાએ હાર આપી. એક વાર નહિ, પણ બે વાર સ્ટેન્કાના સૈન્યને પાછું હઠવું પડયું. પ્રિન્સની સુસજિજત વિશાળ સેનાને ભેદી આગળ વધવું અસંભવિત જોઈન્કાએ વોલ્ગા નદીના માર્ગે કૂચ કરી. આ સમયે વોલ્ગા ઓકા અને રવીના આદિ શહેરોમાં ક્રાંતિની આગ ફેલાઈ હતી. લોકોને નોકરશાહી તરફ એવી તે નફરત થઈ ગઈ હતી કે તેઓ તેનું મેં સુદ્ધાં જોવા છતા ન હતા. મોટા અધિકારીઓ, જમીનદારો અને શાસકે, જેઓએ પ્રજાપીડનના કાર્યમાં કમી પણું દેખાડયું ન હતું તે સર્વ જનતાના વધતા જતા ભીષણ ક્રોધાગ્નિમાં ભસ્મીભૂત થતા હતા આ ક્રાંતિએ એવું તે ભયાવહ રૂપ ધારણ કર્યું હતું કે શું થશે અને શું નહિ, તેની લોકોને કલ્પના પણ ન હતી. સૌના પ્રાણ પડીકે બંધાયા હતા. જયારે દેશના આ ભાગમાં આવી સ્થિતિ હતી ત્યારે સ્ટેન્કા ભાગ્યદશા ફરવા લાગી. તેને ઉલટી ગ્રહદશા બેઠી. બે સ્થળે તેને હાર ખાવી પડી. વિજય અને લક્ષમી સદાકાળ કોઈનાં થયાં નથી અને થતાં નથી. આકાશના રંગની માફક માણસની દશાના રંગ પટાય છે. કવિ વાસ્તવિક કહે છે કે – લંક લહી દિન એક નિશાચર સીત હરી દિન ઐસો હી આયા, એક દિન પાંડવ ગયે બન અ એક દિન શિર છત્ર ધરાયો આ સમયે એક પાદરીએ દેવળમાંથી ઘોષણા કરી કે “ટેકા એક નાસ્તિક માણસ છે અને તેને આજથી ધર્મયુત કરવામાં આવ્યો છે.” સરકારી માણસે તો પ્રથમથી જ સૈકાની વિરુદ્ધ હતાં અને તેઓ તેને માટે ફાવે તેમ યકા તદા વાત ફેલાવતાં હતાં. વળી તે તેની સેનામાં ફાટફૂટ પડાવવાને યત્ન કરી રહ્યાં હતાં. આવી પરિસ્થિતિમાં એ પાદરીના ધાર્મિક ફરમાને અગ્નિમાં ઘતાહુતિનું કાર્ય કર્યું. તેની સેનાનાં માણસ ગમે તેટલાં તો એ માનવી હતાં, કંઈ દેવતાઈ મનુષ્ય ન હતાં. તેઓ લાંબી મજલોથી કંટાળી ગયાં હતાં, સતત યુદ્ધના પશ્ચિમથી થાકી ાં હતાં. બે વખત સામટી હાર ખાવાથી તેમની હિંમત તૂટી ગઈ હતી. આગળ વધવામાં તેમને વિપત્તિની આશંકા થતી હતી. ભાગ્યોદયના સમયે હજાર જણ આવી સહાય આપે છે; પણ પડતીના વખતે કેાઈ સામ્ય જોતું નથી. સૈકાનાં ઓસરતાં પાણી જેમાં કેટલાંક માણસે એની સેનામાંથી ચાલી જવા લાગ્યાં. સ્ટેન્ક ચતુર હતે, સમય પ્રતિકૂળ છે એમ સમજી તેણે પોતાની છિન્નવિચ્છિન્ન શક્તિને એકત્ર કરીને થોડા વખત એક સુરક્ષિત સ્થાનમાં રહેવાનો નિશ્ચય કર્યો. આ વિચાર કરી તેણે કગાનિક નામની દુર્ગમાં પડાવ નાખ્યો. જો કે સ્ટેન્કાએ એ દુગને આશ્રય મરો પણ શત્રન્ય તેને જપીને બેસવા દે એમ થોડ હતું. તેમને તો એવી તક જોઈતી હતી. શત્રુસૈન્ય કગાજ્ઞિકને ઘેરો ઘાલ્યો. કવિશ્રેષ્ઠ ચંદ બારોટે કહ્યું છે દિન પલટો પલટી ઘડી, પલટી હથ્થકમાન; પિથલ એ હીપારખું, દિન પલટયે ચહુઆન, તેમ સ્ટેન્કાના દિવસ પણ પલટાયા હતા. ઈ. સ. ૧૬ ૭૧ ના એપ્રિલ માસમાં સ્ટેન્કા પિતાના ભાઈ કોલની સાથે રૂશિયન સૈન્યને હાથે કેદ પકડાય. કગાનિકમાંથી તેને રાજકેદીતરીકે મોસ્ક મેકલી દેવામાં આવ્યું. સિંહને એક વાર પાંજરામાં પૂર્યા પછી તેના પર ગમે તે જાતના અત્યાચાર કરવામાં આવે તો તે કંઈ પણ કરી શકતા નથી. નરશાર્દૂલ ટૅન્કની પણ એવી જ દશા હતી. રશિયામાં જે કઠેરમાં કઠેર શિક્ષા હતી તે તેને ફરમાવવામાં આવી. દયાહીન સરકારી અમલદારોએ તેના પર પાવિક અત્યાચાર કર્યો. અનેક પ્રકારની નિયંત્રણ તેને ભોગવવી પડી. અંતે ઈ. સ. ૧૬૭૧ ની ૬ ઠ્ઠી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy