SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શુભસમહ-ભાગ પાંચમા મૃત્યુ પામવાનું તે કારે રહ્યું પણ સહેજ માઠી અસર પણ જેને નહિ થયેલી એવા એક પ્રાકેસર”ના “ખેલ” મુખની માછલી પ્રજાએ સ્વલ્પ કાળ ઉપરજ જાહેર નાટકશાળામાં કે એવે બીજે સ્થળે અનેક વાર જોયેલા છે ને તેવી અકલિત અનન્ય સાધારણ શક્તિ ધરાવનાર તે પુરુષ કયા અસ્વાભાવિક બળને લઈને આમ નિક્ષેપ રહી શકે છે તે વર્તમાનકાળના વૈદ્યો કે દાક્તરો પણ સમજી શકયા નથી. મેં પાતે ચેારવાડ મુકામે એક પાણી જેવા દેખાતા ફકીરને પાંચ શેર જેટલાં માં ખાઇ જતા જોયા છે. તેની સાથે બીજા સ્વાદિષ્ટ પદાર્થ પણ ખાવામાં તે પાછે હઠે એવા ન હતા. કાચુ' અનાજ કે કાચા લેટ પણ ખાઇ જતા ને પાણીના આખા ડખા (કેરેાસીન તેલ ભરવાને) પી શકતા, છતાં શરીરે તે શુષ્કજ હતા. આમાં પણ કયી ઇંદ્રિય કયા કારણથી આવી ખળવાન થઈ હશે તે સમજી શકાતું નથી. વિદ્યુત્–પ્રવાહના અદૃશ્ય પણ રાક્ષસી બળવડે કરીને ગતિમાં આવતાં અને શબ્દ તથા પ્રકાશનું ચમત્કારી રૂપાન્તર કરી બતાવતાં અસંખ્ય યંત્રા આજકાલ યુરોપ-અમેરિકામાં શોધાયાં છે. તેથી મનુષ્યની બુદ્ધિ બીજુ શુ નહિં શેાધી શકે તે આપણાથી કહી શકાતું નથી. આકાશમાં રહેતા ગ્રહેા જોડે વાયરલેસ ટેલીગ્રાફ કે ટેલીફેનથી કે હવાઇ વિમાનથી સંબંધ બાંધવાનું પણ કેટલેક કાળે વૈજ્ઞાનિકાના હાથમાં આવી જશે એમ કહે છે; તેપણુ મનુષ્યમાત્રની અહિત, ગૂઢ, નિઃસીમ શક્તિએના ઉપર જણાવેલે આવિર્ભાવ કયા નિયમેાને અનુસરીને થઇ શકે છે તેનુ જ્ઞાન મેળવવાને કાઇ સમ થશે કે કેમ એ તેા સંદિગ્ધજ છે. સર્વશક્તિમાન સચરાચરવ્યાપી પ્રભુની અટપટી માયાજાળ તા કાઈથી ઉકેલી શકાય એમ લાગતું નથી. (‘એ ધડી મેાજ’’ના તા–૨૦~૧-૨૯ના અંકમાં લેખકઃ-સાક્ષરશ્રી છગનલાલ હરિલાલ પંડયા) ३९ - आपणुं संगीत હિંદનું અને પાશ્ચાત્ય સંગીત ધણી ભિન્ન પ્રતિભાનાં છે. એ એ સંગીત તદ્દન જૂદા પાયાપર રચાયાં લાગે છે. ડા. ટાગારથી માંડીને જે કાઇ સ`ગીતમાં પ્રવેશ કરવા માંડે છે તે કહે છે કે, પાશ્ચાત્ય સંગીતમાં સંવાદ (હાર્માંની) અને હિંદના સંગીતમાં (હિંદનુ', કારણ કે પૌર્વાત્ય સંગીતના પણ ઘણા પ્રકાર છે.) લય મુખ્ય માલમ પડે છે. હિંદનું તત્ત્વજ્ઞાન અને ધમ, ખરી રીતે કહીએ તે હિંદની સમગ્ર સંસ્કૃતિ અંતરલક્ષથી રચાઇ છે તેમ એનું સંગીત પણ 'તરલક્ષી છે. આપણું સંગીત જીવનના ઉંડાણમાં, જીવનની ઉંડી ભાવનાઓમાં, જીવનની ઉંડી લાગણીઓમાં અને જીવનના ઇંડા અને ભવ્ય વિચારપ્રદેશમાં આપને લઈ જાય છે. એ સગીત આપણને સ્થૂલ ભૂમિકામાંથી આધ્યાત્મિક ભૂમિકામાં ખેંચી જાય છે. જ્યારે પાશ્ચાત્ય સંગીત બહારની સમાજ અને બહારની સૃષ્ટિ સાથે આપણને જોડતા માલમ પડે છે, ત્યારે આપણુ સગીત આપણા અંતરપ્રદેશ તરફ આપણને વાળે છે. સંગીત અને કલાના જખરા વિવેચક ભરતમુનિ, એમની પુરાણી પ્રથા પ્રમાણે જણાવે છે કે, સ’ગીતનુ' મુખ્ય ધ્યેય મુક્તિ આપવાનુ છે. મુક્તિ ઘણી રીતે સધાય, પણ સંગીતનું સેવન એના મા બહુ સરળ કરી આપે છે. સ`ગીત સંગીતને ખાતર નિહ પણ મુક્તિને માટે છે-અર્થાત્ સંગીત સંગીત ખાતર નહિ પણ મનુષ્યને આત્મસાક્ષાત્કાર કરાવી તેને પરમાત્માની સવિત્ સાથે એક કરવાના એક સુંદર સાધનતરીકે ઉપયાગી છે. ઉત્તમ સંગીતકાર સંગીતના ભાવ સાથે લય પામે છે અને સહૃદય મનુષ્યને એની તરફ અનિવાય રીતે આકર્ષે છે. પાશ્ચાત્ય સ’ગીતનું ધ્યેય ખીજા સાથે સંવાદ્રિતા સાધવાનુ` છે. તેમાં એકસામટા ઘણા ભાવાનું મિશ્રણ સભવે છે અને એ ભાવાનુંજ જેમ પૂ પ્રકટન થાય તેમ તે ઉત્તમ લેખાય છે. આપણા સંગીતમાં એક ગાયનમાં એકજ મુખ્ય ભાવ પ્રકટ થાય છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy