SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને નિર્વાણમા ३१ - भगवान बुद्ध अने निर्वाणमार्ग વૈશાખી પૂર્ણિમાને દિવસ હિ ંદુસ્તાનના ધામિઁક ઇતિહાસમાં અતિ અગત્યના છે; કારણ કે લગભગ પચીસસે વર્ષ પૂર્વે આજ દિવસે આ દેશમાં એવા મહાત્માને જન્મ થયા હતા કે જેનુ ઉદાર દિલ વિશ્વનાં દુઃખી-દરીદ્રીઓને જોઇને દ્રવી જતું. પેાતે રાજકુમાર હેાવા છતાં સર્વાં વૈભવના ત્યાગ કરી ભરજુવાનીમાં તેમણે સંન્યાસ ગ્રહણ કર્યાં અને પેાતાને માટે તેમજ સં વિશ્વવાસીએને માટે આધ્યાત્મિક ઉન્નતિના અને સાંસારિક દુઃખનિવારણના માર્ગો શોધી કાઢયેા. ઐાદ્ધ ધર્મ પ્રાચીન વૈદિક ધર્મથી ભિન્ન નથી. ભગવાન મૌદ્ધના જન્મ થયા તે અરસામાં પ્રાચીન વૈદિક ધર્મીમાં અનેક જાતના સડાએ પેસી ગયા હતા; અવિનાની ધાર્મિક ક્રિયાઓ અને ક્રૂર પશુયનેએ ધર્મના સત્ય સ્વરૂપને ઢાંકી દીધુ હતું, પેાતાની શ્રેષ્ઠતા જાળવી રાખવા માટે બ્રાહ્મણાએ વેદના ઉંધા અર્થ કરવા માંડયા હતા અને પેાતાના સિવાય ખીજી વર્ણની વ્યક્તિએ વિરુદ્ધ આડચેા ઉભી કરી હતી. આનું પરિણામ એ આવ્યુ` કે, પ્રજામાં બ્રાહ્મણેા વિરુદ્ધ જીસ્સા પેદા થયા અને તેમના આ જુલ્મ સામે અન્ય વર્ણીએ માથુ ઉંચુ કર્યું. ભગવાન બુદ્ધ બ્રાહ્મણાની આ સ્વકલ્પિત શ્રેષ્ઠતાની સામે થવામાં મુખ્ય હતા. તેમણે સર્વ મનુષ્યાની સમાનતા જાહેર કરી. જો મનુષ્ય સત્ય માર્ગે ચાલે તે જાતિ અથવા વના ભેદભાવવિવના દરેક વ્યક્તિ નિર્વાણુના અધિકારી છે એવા ઉદાર મત તેમણે ફેલાવ્યેા. તેઓ કહે છે કે, જે માણસે દરેક દુષ્ટ વાસના દૂર કરી છે, જે દરેક જાતની અપવિત્રતાથી દૂર છે, જેણે પેાતાના સ્વભાવ ઉપર વિજય મેળવ્યા છે, તેજ ખરા બ્રાહ્મણ છે. વૈવિષે પણ તેઓ કહે છે કે, નિર્વાણની પ્રાપ્તિ કરવી એજ સથી શ્રેષ્ઠ યજ્ઞ છે. આ દૃષ્ટિએ જોતાં બ્રાહ્મણાએ ઘુસાડી દીધેલા વહેમેાને દૂર કરી પ્રાચીન વેદનુ' ખરૂ' સ્વરૂપ દર્શાવવામાં મુદ્દે પેાતાની શક્તિને ઉપયેાગ કર્યાં હતા, એમ કહેવામાં જરા પણ અતિશયેાક્તિ નથી. બુદ્ધ ભગવાનની સિદ્ધાવસ્થા અને અષ્ટાંગ મા જૂદી જૂદી જાતની સાધના કર્યાં પછી છેવટે ગયાના સુપ્રસિદ્ધ વડ નીચે તેમને સત્યજ્ઞાન અને ચાર મુખ્ય સત્યાની પ્રાપ્તિ થઈ:-- (૧) સ’સારમાં દુ:ખ સર્વત્ર છે. (ર) તેનુ કારણ તૃષ્ણા અથવા લાલસા છે. (૩) નિર્વાણની પ્રાપ્તિથી તેનુ' નિર્વાણ થઈ શકે છે. (૪) નિર્વાણના મા યુદ્ધના મત પ્રમાણે મધ્યમ માર્ગનું અવલંબન કરવાથી નિર્વાણું મેળવી શકાય છે. અતિ દેહદમન કરવાથી અથવા તેા તેથી ઉલટું સંપૂર્ણ વિલાસી જીવન ગાળવાથી જન્મ-મરણની દુગ્ધામાંથી બચી શકાતું નથી. આ સ્થિતિની પ્રાપ્તિ માટે તેમણે આઠ વિભાગવાળા માગ ખતાન્યેા છે. “સત્ય વિશ્વાસ, સત્ય નિશ્ચય, સત્ય વાણી, સત્ય ક, સત્ય મનેાભાવના, સત્ય પ્રયત્ન, સત્ય વિચાર અને સત્ય ધ્યાન-ધારણા. ”હુંકામાં કહીએ તે પવિત્ર આચારવિચાર એ સંસારબં ધનમાંથી છૂટવાના ઉપાય છે. મનુષ્યજાતિ માટે અગાધ પ્રેમ આ જાતનું સત્ય જ્ઞાન મેળવી ભગવાન બુદ્ધે તેના દેશવિદેશમાં ફેલાવે કર્યાં, તેમનુ વિશાળ હૃદય સંસારી મનુષ્યેાનાં દુઃખ જોઈ રડી ઉઠતું અને તેથી આ દુઃખનિવારણના માર્યાં સને બતાવવા માટે તેમણે પોતાના શિષ્યાને આજ્ઞા કરી. તેમના વિશાળ હૃદયમાં ઉંચનીચની ભેદભાવના હતીજ નહિ, તેથી ચાંડાળથી માંડીને બ્રાહ્મણ સુધી સતે તેમણે એકસરખા અધિકારી ગણ્યા હતા. પેાતે જ્યારે વસાલીમાં હતા ત્યારે એક વેશ્યાને તેમણે નિર્વાણુમા ના ઉપદેશ કર્યો હતા; એટલુંજ નહિ પુછું બીજા અમીર-ઉમરાવાનાં આમંત્રણ છેાડી તેને ઘેર જમવા પણ પધાર્યા હતા. આ જાતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034614
Book TitleShubh Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1930
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy