SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી વિવેકાનઢજી १२२ - स्वामी विवेकानंदजी ૨૫૩ ૨૪ ભારતનરશ્રેષ્ઠ સ્વામી વિવેકાનંદના નામથી કાણુ અજાણ્યુ હશે? એએ ધર્મપ્રચારક હતા, સમાજસુધારક હતા, મહાપુરુષ હતા. એમના મુખમાંથી આ ઋષિમુનિઓએ યુગયુગાંતરમાં સચિત કરેલા જ્ઞાનરાશિ સરિતાનાં સ્રોતની માફક વહેતા હતા. ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસજીત:શક્તિને તેમનામાં સંચાર થતાં જે કાઈ અપૂર્વ ચારિત્ર્યસૃષ્ટિ ઉત્પન્ન થઇ હતી તે વિચારતાંજ શરીરે રામાંચ ખડાં થાય છે ! તેમના મુખમાંથી જ્યારે ગૌમુખીની જળધારાની માફક વેદ, વેદાંત, ઉપનિષદ્ અને સકળ વિશ્વના ધર્મશાસ્ત્રનેા સાર બહાર નીકળતે! ત્યારે ખરેખર સૌ કાઈ આશ્ચય - કિત બની જતું. ધનિષ્ઠા, કઠોર બ્રહ્મચય અને ગુરુકૃપાનુ સંમેલન થતાં તે તેજોગ વજ્રસમાન બની ગયા હતા. એમના જેટલું વક્તૃત્વ અને લેખનશક્તિ ભાગ્યેજ ખીજાનામાં હશે. તે જ્યારે અમેરિકામાં ભારતવના પ્રતિનિધિસ્વરૂપે ગયા ત્યારે ‘મેકિસમ’ બંદુક અનાવનારા અમેરિકા એ અપૂર્વ તેજોમય સન્યાસીને જેષ્ઠ વિસ્મિત થઈ ગયા હતા. " ‘‘જ્યારે વિવેકાનંદજી ઉડ્ડયા ત્યારે તેઓએ જોયું કે, તેમને તૈલિયનની સાથે કામ લેવાનું હતું. તે સમયને તે સિંહ હતા. ઉ ંદરની સાથે બિલાડી રમે તેમ તેએ તેમની સાથે ખેલતા હતા. સત્યસંધ સ્વામીજીની વાણી ઘણી વાર ભવિષ્યકથનતરીકે માનવામાં આવી છે. વમાનયુગમાં તેમનાં કથને વિશેષ પ્રમાણમાં પ્રત્યક્ષ માલૂમ પડે છે; અને તે સ વિચારણીય થઇ પડયાં છે. વિવેકાનંદ જેવા એક યુગપ્રવર્તક મહાપુરુષ, ભારતવર્ષના વિશેષ સદ્ભાગ્યે આપણી આ પતન પામેલી જાતિમાં જન્મ પામ્યા હતા. તેમની વજંગલ ભક્તિદ્વારા તેમણે સમસ્ત જગતને જાગૃત કરવાના પ્રયત્ન કર્યો હતા. સ્વદેશપર તેમને કેટલા પ્રેમ હતા તેનું પ્રમાણ આંકી શકાય એમ નથ!!‘સ્વદેરાપ્રેમ, સ્વદેશપ્રેમ'ની બૂમેા મારવાથીજ કાંઈ સ્વદેશપ્રેમ વ્યક્ત થતા નથી. સ્વદેશના પ્રેમને માટે શું કરવું' જોઇએ, તે સ્વામી વિવેકાનંદના ચરણામાં બેસીને તેમના વિચારાનુ મનન કરીને યુગેપર્યંત શીખવા જેવુ છે. તેને આ દેશની ધૂળની એક રજકણ પણ પ્રિય હતી. આ દેશનું જે કાંઇ ઉતરતું હાય તેને તે ઉચ્ચપદે લાવતા. આ દેશને જગતમાં કાર્ય મહત્ સ્થાન આપવાને માટેજ જાણે તેઓ ઉર્ષ્યા હતા ! આ દેશના ગુણુદેષ તેમણે જેવી રીતે ભારતવર્ષમાં ખતાવી આપ્યા છે, તેવી રીતે કાએ કદી પણ બતાવ્યા હશે કે કેમ એ શંકાસ્પદ છે. તેમના સ્વદેશપ્રેમ અધ ન હતા. તેએએ સ્વદેશને જગતની સભાઓમાં શ્રેષ્ઠ, વરેણ્ય, ગરીયાન્ કરવા પ્રયત્ન કર્યાં હતા;. પરંતુ તેમ કરવામાં કેવળ મેાટે અવાજે દેશનાં જયદુદુભી વગાડયે ચાલે એમ ન હતું. આપણે આપણી મેળે આપણી જાતને મેટા કહેવાથી આપણે મેટા છીએ એમ ચેાક્કસ મનાય નહિ; પરંતુ તેએ વિદેશીએ આગળ આપણા આધ્યાત્મિક આદ` નિયતાથી કહેતા, તેજ પ્રમાણે આપણી આગળ આપણા દોષસંબંધી પણ વધારે ભારપૂર્વક કહેવા ચૂકતા નહિ. તે સત્ય કહેતાં કદી સકાય પામ્યા નથી. તેઓ કહેતા કે, જેએ સત્યને આશ્રય કરે તેજ વિતમીઃ છે—અર્થાત્ તેમને કશાના ભય નથી, તાળીઓ પડાવવાના લેાભે તે અપ્રિય પણ સત્ય ખેલતાં અચકાયા નથી. ઉલટુ જ્યાં દેષ, ત્રુટી, અભાવ, વગેરે આંગળી કરી બતાવી આપવાની જરૂર હેાય ત્યાં તેઓ *ટકા લગાવવામાં પણ કાંઈ કસર રાખતા નહિ. હજારે। વર્ષથી જડતા અને આળસે આપણી જાતિનું હૃદય અડકાવી નાખેલુ જોતાં સ્વામીજીએ વિચાર કર્યો કે, એ જડતા ટાળવી હેાય તે મુક્તહરત આધાત કરવાજ પડશે, ત્યારેજ તેમાં પુનઃ ચૈતન્ય આવી શકશે; પરંતુ આપણી જડતા, એ ચાબુકના પ્રહારથી ટળી શકી નહિ, એ આપણું દુર્ભાગ્ય ! તેમાં સ્વામીજીને કંઇ દેષ નથી. તે જે ખરાબ માનતા હતા જેને કુસંસ્કાર કહેતા હતા તેનેા મૂળમાંથી ઉચ્છેદ કરવામાં તેમણે સહજ પણ પાછી પાની કરી નથી ! જગતની સભાએમાં ઉભા રહી તેમણે ભારતવર્ષના પ્રતિનિધિતરીકે ભૂતકાલીન સંસ્કૃતિનુ ગૌરવ હૃદયમાં રાખી આ ઋષિમુનિએના આદર્શોથી ઉભરાતા હ્રદયે જણાવ્યું હતું કે ‘“ભારતવર્ષમાં ધર્મપ્રાણુતા છે, આધ્યાત્મિકતા છે, ભક્તિનુ` પ્રસ્રવણ છે, જ્ઞાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy