SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસાઇઓની ચાલબાજી ૧૮૩ પાછી શ્વાસમાં વારંવાર જવાથી મરણશરણ થાય છે. ઈશ્વરે નિર્મળ હવા જે ઝવેરાતથી પણ કિંમતી વસ્તુ છે તે સર્વને માટે પુષ્કળ જથ્થામાં આપી છે, જેથી મફત મળે છે; છતાં ઘણુ મનુષ્યો તેને ઉપયોગ બરાબર કરતાં નથી એટલે બેસવાની ડાળ પોતેજ કાપે છે. ખુલ્લી હવામાં હમેશાં કસરત કરવાથી લોહી શુદ્ધ થાય છે, કસરત કરવી ન બની શકે તે રોજ પાંચ કે વધુ માઇલ ગામબહાર ઝડપથી ચાલવું. શરીરમાં અસંખ્ય કાણાંઓ છે તે વાટે પણ શ્વાસ-ઉરસ થાય છે; માટે જેમ બને તેમ કપડાં ઓછાં પહેરવાં અને જેમ બને તેમ ખુલ્લા શરીરે લાંબો વખત રહ્યા કરવું. આને હવાસ્નાન કહેવાય છે. ખોરાક વગર માણસ બે માસ સુધી જીવી શકે છે, પાણી વગર બે દિવસ સુધી; પણ હવાવગર બે મિનિટ પણ ચાલતું નથી. આ ઉપરથી સ્પષ્ટ થશે કે, માણસને ખોરાક કરતાં પાણીની ૩૦ ગણી વધારે જરૂરીઆત છે અને નિર્મળ હવાની ૮૬૪૦ ૦ ગણી વધારે જરૂરીઆત છે. ટૂંકા શ્વાસ કરતાં ઉંડા શ્વાસ વધારે ઉપયોગી છે. ઊંડા શ્વાસનું શાસ્ત્ર યુરોપીયન અને અમેરિકનો હિંદુઓ પાસેથી શીખ્યા છે. પ્રાણાયામ કરવાને એક હેતુ આમાં સમાયેલ છે. પ્રાણાયામને પશ્ચિમવાસીઓ ઉત્તમ પ્રાણપષક સાધન ગણે છે. ઊંડા શ્વાસ લેવા માટે કસરત કરવી. (“હાણા હિતેચ્છુઓના તા.૧૨-૭-૨૮ તથા ૨૩-૭–૨૮ના અંકમાં લે. રા. રમણીકલાલ છોટાલાલ) ૮–સાફોની વાઢવાની પ્રત્યેક હિંદુએ સાવચેત રહેવાની જરૂર સૌર ગામના એક દશ વર્ષના જગન્નાથ નામના હિંદુ બાળકની આ કથની બહાર પડી છે, જે ટુંકમાં અત્રે આપીએ છીએઃ “ચૈત્ર મહિનામાં મને સવારે એક ખ્રિસ્તી જેવાએ બોલાવ્યો અને ગામ બહાર લઈ જઈ પાનમાં કંઈક ખવડાવી દીધું, જેથી મને ચક્કર આવવા લાગ્યા. ત્યાં મને કાંઈક ખવડાવ્યું. મને ચંપારણ લઈ જવામાં આવ્યો અને છુપી રીતે રાખવામાં આવ્યો. ત્યાં મારા શરીરમાં ઘણી જગ્યાએ લો ગરમ કરી ડામ દેવામાં આવ્યા, જેથી મને કોઈ ઓળખી ન શકે, તેમજ હું નાસી ન જઈ શકું. ત્યાંથી મને વધુ ધમકાવીને કલકત્તા લઈ જવામાં આવ્યો. જ્યારે હું સ્ટેશન ઉપર પહોંચે ત્યારે મને બંધ ગાડીમાં બેસાડી એક એવા મકાનમાં લઈ ગયા કે મારી ઉંમરનાં ત્યાં હિંદુ છોકરાંઓ લગભગ ૩૦ હતાં. એઓ ચોધાર આંસુએ રડતાં હતાં; અને એક સાહેબ અને મેડમ ધુરા બતાવી છાનાં રાખતાં હતાં. જે આ રૂમમાં ૫૦ છોકરાંઓ પૂરાં થતાં તે કોણ જાણે કયાં તેમને પહેરા વચ્ચે મોકલી દેવામાં આવતાં. ખાવામાં રોટી, સરકારી અને માંસ બળાત્કાર આપવામાં આ વતું. બધાં બાળકો પાંચથી બાર વર્ષની ઉંમરનાં જ હતાં. મારા ઉપર સાહેબ અને મડમ ચોવીસ કલાક પહેરો ભરતાં. એક વાર સાહેબ જાજરૂમાં ગયા હતા અને મડમ સાહેબ બહાર ગયાં હતાં તે તકનો લાભ લઈ અમે પાંચ રાંઓએ હિંમતથી બારણું ખોલ્યું અને એકદમ નાઠાં. રસ્તામાં મારે ઓળખીતો માણસ મળી આવ્યો. તેણે મને ભાગલપુર પહોંચતો કર્યો. પેલા ચારને સાહેબે પકડી લીધા કે કેમ તે મને ખબર નથી.” આ છોકરો ગુમ થયો ત્યારે તેના બાપે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેને શોધવા ૨૦૦ હતા. જ્યારે છોકરો મળી આવ્યો ત્યારે તે થાણદાર દરોગા પાસે ખબર કહેવા અને છોકરાને નસાડનાર પેલા ઘાતકી અંગ્રેજ ઉપર કામ ચલાવવા જણાવ્યું; ત્યારે દરોગાએ જણાવ્યું કે, તે હરણ કરનાર સાહેબ મોટા ખાનદાન કુટુંબના છે, તેમને લાગવગ ભારે છે. તમે દા માંડશો તો ફાવશે નહિ, ઉલટા તમે દંડાઈ જશો. પ્રત્યેક હિંદુઓએ મુસ્લીમ જાળની સાથે આવા છુપા ઇસાઈ અત્યાચારોથી પણ પૂરા ચેતી જઈ આવાં ભોપાળાં જેમ બને તેમ શોધી કાઢી બહાર પાડી દેવાં જોઈએ. (“હિંદુ”ના તા-૮-૭-૧૯૨૮ના અંકમાંનાં ર. અશરફી શુકલ-ભાગલપુર-એમના લેખપરથી) જ સૂતી વખતે જરૂર પડે તો માથા ને કાન પર ઓઢવું જોઈએ, અને નાક ઉપર નજ ઓઢવું જોઈયે, નહિ તો એ પણ કોઈ ને કોઈ રીતે નુકશાનજ કરે છે. સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034613
Book TitleShubh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1929
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy