SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સધ્ધાપાસના અને તેના બ્રહ્મવિધા સાથે સબંધ ૩૪–સધ્ધાપાસના અને તેના બ્રહ્મવિદ્યા સાથે સંબંધ ૭૩ આ વિષય બહુ વિશાળ, ગહન તથા ઉપયોગી છે. સપ્ચાપાસના એ આયૌનું સર્વશ્રેષ્ઠ મંત્રાત્મક કમ છે. તેના અકેકા મંત્રની ભાવના, અર્થ અને શબ્દશક્તિને વિચાર કરવાનું કાર્ય પણ વિશાળ છે. બીજી તરફથી બ્રહ્મવિદ્યા, જેને રાજવિદ્યા, અધ્યાત્મવિદ્યા ઈત્યાદિ નામેાથી વ્યવસરાય છે, એ તે પ્રસિદ્ધ રીતેજ સર્વ વિદ્યાની માતારૂપ મહાવિદ્યા છે; એટલે એના ક્ષેત્રની વિશાળતાવિષે તેા કહેવાનુંજ શું ? જે સત્કમ સર્વ ભાવનાએના બીજભૂત સંસ્કારોના પ્રેરક બળતરીકે અત્યારસુધી સ શિષ્ટજનેથી ઉપાસાતું આવ્યું છે અને જે ઉપનિષદ્ગમ્ય વિદ્યાના અભ્યાસથી ઈશ્વર, ગુરુ અને શાસ્ત્રના પ્રસાદવડે, મુમુક્ષુ જતે પરમ તૈય તત્ત્વને વિજ્ઞાત કરી પોતાના જીવનને સર્વાશે કૃતકૃત્ય કરી લે છે, એ પુણ્યકર્મી અને મેાક્ષવિદ્યાની મહાકક્ષામાં શું ન આવે? એજ પ્રશ્ન છે; તથાપિ અત્રે તે એ બન્ને વિષયાનું દિગ્દર્શન માત્ર વિહંગાવલેાકન ન્યાયે કરીને તેમનેા પરસ્પર સંબંધ દર્શાવવાના યત્કિંચિત્ પ્રયત્ન કરવાનાજ અવકાશ છે. સધ્યેાપાસના એ ઉપનયન સંસ્કારવાળા સર્વ દ્રિોને સારૂ આવશ્યક નિત્યકમ છે અને બ્રહ્મવિદ્યા એ સ મુમુક્ષુ જતાને સારૂ પરમાર્થસિદ્ધિનું એકાંતિક સાધન છે; એટલે એ બન્નેની ઉપયેગતા પણ જાણીતીજ છે. अहरहः संध्यामुपासीत । એ શ્રુતિભગવતીનુ પુણ્યવિધાન છે, એ અધ્યાત્મવિદ્યાને વિસરનારને ઉપનિષદ્ કૃપણુતરીકે વર્ણવે છે; કેમકે એ વિદ્યા પરમ શાંતિરૂપ-પરમ પુસ્ખા રૂપ, મેાક્ષની સાધક છે, તથાપિ અંતઃકરણની નિર્માંળતા સાધ્યાવિના વેદાન્તના ગ્રંથૈને અભ્યાસ માત્ર વાગ્વિલાસને અર્થે કામ આવે છે, પણ મેક્ષ કે શાંતિને સાધી શકતે નથી. સધ્યેાપાસના એ વેદમૂલક કર્યું છે; માટે સ સનાતનધર્માવલંબી સોંપ્રદાયાને સરખી રીતે માન્ય છે. વેદશાખાદિવડે તેની મંત્રાદિ પ્રક્રિયામાં ભેદો હાય છે, તથાપિ એ પુણ્યકમ તત્ત્વતઃ સર્વને સુસ ંમત છે.સ્તાન, સધ્યા, જપ, હેામ, દેવપૂજન, આતિથ્ય અને વૈશ્વદેવ, એ વિપ્રનાં ષટ્કમેોંમાં સંધ્યાવંદન એ મુખ્ય છે. પ્રાતઃકાળથી પુણ્યસરકારાવડે જીવનતંત્રને નિયમવાની તેમાં ભાવના છે. ઉપનયન સ`સ્કારવિનાના સ` આર્યાને પણ એ ભાવનાને અંગે સમયે સમયે ઈશ્વરસ્મરાદિસંબંધી વિહિત ક્રિયાએ કરવાની છે. વર્તમાન સમયમાં બ્રહ્મવિદ્યાપ્રત્યે કઈક ચાહના દેખાય છે; પરંતુ સંધ્યેાપાસના તરફ અનેક સ્થળે નિખાલસ ખેદરકારીજ દષ્ટિગાચર થાય છે. આના કારણમાં એક કારણ તેા એ પણ છે કે,વેદાંતના ગ્રંથાને અભ્યાસ કરવાનું કાલેજના અભ્યાસક્રમમાં બની આવે છે, તેવેા પ્રસંગ ક`કાંડના અભ્યાસને સારૂં સંસ્કૃત પાઠશાળાએામાં પણ ભાગ્યેજ પ્રાપ્ત થાય છે. વળી બીજું કારણ એ પણ હાવાના સંભવ છે કે, વિદ્યા એ બુદ્ધિને વિષય છે અને કર્મકાંડમાં ક્રિયાની આવશ્યકતા રહે છે. જ્ઞાનના વિશેષ સંબધ આંતર્જગત સાથે અને ક્રિયાને ખાદ્યજગત સાથે છે. જ્ઞાન પુરુષને અને ક્રિયા પ્રકૃતિને મુખ્યતઃ અવલંબે છે. જ્ઞાન સ્વયંવેદ્ય છે અને ક્રિયા પ્રકટરૂપે દેખાઇ આવે છે. નવા {શક્ષણથી ઉત્પન્ન થયેલા નવીન વાતાવરણમાં સ્વતંત્રતા તરફ મનુષ્યાને ઝેક વધારે છે; અને તેથી આજ્ઞાપૂર્વક વિહિત કરાયેલી ક્રિયાએ જ્યારે તે નિત્ય હોય અને આત્મસયમની અપેક્ષા રાખતી હાય, ત્યારે તેના તરફ કાંઇક ઉપેક્ષાવૃત્તિ રાખવામાં આવે છે. તથાપિ આંતર અને બાહ્યજગતમાં સાક્ષીરૂપે આત્મા એતપ્રેાત છે અને જેમ નિઃશ્રેયસને સારૂ જ્ઞાનનું પ્રાધાન્ય છે, તેમ અભ્યુદય અને લેાકસંગ્રહને સારૂં સક્રિયાની આવશ્યકતા રહે છે. જ્યારે ખાદ્યજગતના ચિવૃત્તિમાંથી લય થાય, ત્યારે ક્રિયાની અપેક્ષા નથી; પણ ત્યાંસુધી તે છે, એટલુંજ નહિ પણ સધ્યેાપાસના જેવી સાત્વિક ક્રિયાએ તે જ્ઞાનને સારૂ અધિકારપ્રાપ્તિને અર્થે બહુજ ઉપયાગી છે અને ચિત્તશુદ્ધિવડે જીવનશુદ્ધિ સાધવામાં પણ બહુ સહાયકારક છે. સ'ધિકાળ અનેક રીતે ગહન હોય છે. માનવજીવનમાં અવસ્થાની સંધિઓના સમય વિકટ હાય છે. પ્રજાજીવનમાં પણ ભિન્ન સંસ્કૃતિએના, ભિન્ન સત્તાઓના અને ભિન્ન સમુદાયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy