SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ઇટાલીના એક મહાવીર-મુસાલીની ૨૬-ઇટાલીના એક.મહાવીર–મુસાલીની લુહારની કાઢમાંથી સરમુખત્યારીના સિંહાસને ! ઇટાલીના કેડેપીએ નામના એક નાનકડા ગામમાં એક પીઢ લુહાર પેાતાની કાઢમાં કામ કરી રહ્યો હતા. તેની સામે ઉભે! ઉભે! તેને હજી તેા યૌવનને ઉંબરે પગ મૂકતા પુત્ર એરણુ ઉપર હાડા ઠોકી રહ્યો હતેા. તે વખતે એ પિતાને કે એના એ પુત્રને સ્વપ્નેયે ક્યાંથી ખ્યાલ હશે કે લેાખંડનાં ઘડતર ઘડનાર એ માણસ ઇટાલીના ભાવિનું ઘડતર ઘડવા સરજાયેા છે કે એના હાથમાંના થાડા જેવાજ લેાખડી હથેાડાવડે એને દેશદ્વારનાં ઘડતર ધડવાનુ રહેશે. એમને ભલે એ કલ્પના ન હોય, પરંતુ સર્જનહારે તે એ નિર્માણ નક્કી કરી રાખ્યુંજ હતુ. લુહારને એ બાળક ઇટાલીના ઉદ્દારક બનવાજ સરજાયા હતા. ૪૩: જન્મ કુંટુંબ-સરકાર એ બાળકનું નામ એનીટા મુસાલીની. એના જન્મ ઈ॰ સ૦ ૧૮૮૩ના જુલાઇ માસની તા. ૨૯ મી અને રિવવારે બપેરે એ વાગે થયા હતા. તેના પિતાનું નામ સીનાર - એલેકઝાન્ડ્રો મુસેાલીની અને માતાનું નામ સીનેારા રેાઞા. એ કુટુંબના પૂર્વજો મોસુલના મસ્લીનને વેપાર કર્તા હતા, તેથી કુટુંબનું નામ મુસેાલીની પડયું હતું. ઈટાલીના એ ભાગ્યવિધાતાને બુદ્ધિ, શક્તિ, શૌય અને સાહસના સ`કારા માતાપિતા પાસેથી વારસામાં મળ્યા હતા. એલેકઝાન્ડ્રા ભલે એક નિરક્ષર લુહાર હતા, પરંતુ તેની વતૃત્વશક્તિ મુગ્ધ કરે તેવી હતી. પિતાની એ શક્તિ પુત્રમાં પૂરેપૂરી ઉતરી હતી. એલેકઝાન્ડ્રો ઇટાલીની સામ્યવાદની (સેાશિયાલીઝમ) ચળવળના આગેવાન હતા અને એ લડતને માટે એણે ત્રણ ત્રણ વર્ષના આકસ અંદીવાસ વેચા હતા. એનીટાની માતા રાઝા પ્રેડેપીએની દેવી મનાતી. પતિ પ્રેાતાની કાઢમાં ધમણ પુંકતા અને લેાખંડ ટીપતા, ત્યારે પત્ની માળ ઉપર. એક નાનકડી નિશાળમાં ઇટાલીનાં સતાનેાનાં દિલમાં સ્વતંત્રતાને મંત્ર ૐંકતી હતી. ગામના લોકા તેને સાક્ષાત્ દેવી માફક પૂજતા. પુત્રનેા નામકરણુસંસ્કાર પણ એટલેાજ વિચિત્ર હતેા. એનુ નામ એક મેક્સિકન બળવાખારના નામે પાડવામાં આવ્યું હતું. એનીટા બાળપણથીજ અટકચાળા અને મસ્તીખાર હતા. માતાની નિશાળના બાંકડા નીચે ભરાઇ જઇ તે વિદ્યાથી એને પગે ચુટીએ ખણુતા અને પજવતા. એક નાનકડી છેાકરીની તે! એ પાછળજ લાગ્યા હતા.. નિશાળ છૂટે કે એનીટા એ છેકરીની પાછળ પડે, તેને જતી રેાકી રાખે, તેના ખાલની લટા પકડી ઘેાડાની રમત રમે અને કદી કદી તેા એ છે।કરીને નિર્દોષ ચુ'અનેાથી નવરાવી નાખે. રાજ બહારથી રમીને આવે, ત્યારે માથુ ફાડીનેજ આવે; છતાંયે કૈાનું અપમાન તા કદીયે સહન ન કરે. જેવા તે તેાફાની હતા, તેવાજ બહાદૂર પણ હતા. એક વખત મુસાલીનીની ટાળકી જામફળ ખાવા નીકળી. એક છેાકરેા ઝાડપર ચઢયા, બગીચાના માળી જોઈ ગયા. તેણે ગુસ્સાના આવેશમાં પેલા ઝાડપરના છેકરાને બંદુક મારી. બધા છેાકરા ગભરાઇને મૂકીએ વાળીને નાઠા; પરંતુ મુસાલીની અડગ ઉભા રહ્યો. તેણે પેલા ઝાડપરના છેકરાને નીચે ઉતાર્યો. તેના પગમાં ગાળી વાગી. હતી ત્યાં પાટા બાંધ્યા, તેને ધેર પહેાંચાડયા અને પછીજ પેતે ઘેર ગયેા. શિક્ષણ તેને શિક્ષણુ ઘણુ ખરૂં ધરેજ અપાયુ હતુ, તેની માતાજ તેની ગુરુ બની હતી. માતાએ બાળકમાં અક્ષરજ્ઞાન સાથે હૃદયસરકારે પણ રેડયા હતા. આથી ખેનીટાનુ દિલ એટલુ પ્રેમાળ બન્યું હતું કે જ્યારે સોળ વર્ષની વયે તેને પેાતાના ગામથી દૂરના શહેરમાં કૅલેજમાં દાખલ થવા માટે જવુ પડયું, ત્યારે તેને ખૂબ દુ:ખ થયુ અને તે રડી પડયા હતા. વિદ્યાભ્યાસ પૂરા કર્યાં પછી જીવનની શરૂઆત તેણે શિક્ષકતરીકે કરી. રંગીએ એમીલિયટ છઠ્ઠાના ગ્વાલ્ટીરી ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકતરીકે તેને જગ્યા મળી. તેના પ્રેમાળ સ્વભાવને લીધે તે થાડાજ સમયમાં વિદ્યાર્થીઓમાં પ્રિય થઇ પડયા. અહીં તેને જાહેર જીવનમાં ઝંપલાવવાને એક પ્રસંગ મળી ગયા. ગ્વાલ્ટીરીમાં ઇટાલીના વીર યેદ્દા ગેરીબાડીનું પૂતળુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy