________________
૪૧૦
શુભસંગ્રહ-ભાગ ત્રીજો પેટાવ્યાથી દૂર ભાગશે. ખરું પૂછો તે અંધારું ઓરડામાંથી નાસીને દૂર જતું નથી, પરંતુ અજવાળું થાય, એટલે અંધારૂં નજ રહે. માટે અજવાળું એ પદાર્થ છે અને અંધારૂં એ પદાર્થની ગેરહાજરી છે. જૂના કાળમાં, વેદના મહાજ્ઞાનને સમજનારા જ્યારે હિંદમાં ઓછા થઈ ગયા, ત્યારે વંશપરંપરાના ઉંચપણનો ઈજારો લઈ બેસનારા લેભાગુ બ્રાહ્મણોએ પશુને હોમવાના યજ્ઞો વગેરે કરી કરાવીને લોકોને હેરાન હેરાન કરી નાખ્યા હતા. ખુદ “વેદ” જેવા મહાગ્રંથના નામથી પણ લેકે કંટાળી ગયેલા. તેઓને એમ થતું હતું કે, વેદમાં તે બધે આજ ગડબડ ગોટાળો ભેગો થયે હશે ?
એવા કઢંગા સમયમાં લોકસમાજ ઉપર પ્રભુને દયા આવી અને ભગવાન બુદ્ધ તથા ભગ વાન મહાવીર સ્વામીના અવતાર થયા; અને વેદને બાજુએ મૂકીને એ દયાળુ મહાપુરુષોએ સ્વતંત્ર શાસ્ત્રો રચીને જનસમાજનું સાચું કલ્યાણ સાધ્યું. હળવે હળવે એ બે ધર્મોને કે આખા હિંદમાં વાગ્યે અને ત્યાર બાદ, ચઢતી-પડતીના નિયમ પ્રમાણે એ ધર્મોમાં પણ ધતીંગ પેસવા માંડ્યાં ને તેનાથી લોકસમાજને ત્રાસ પેદા થયો. એને પરિણામે ભગવાન શંકરસ્વામીનો અવતાર થયો. એમણે પોતાની અલૌકિક શક્તિવડે “વેદ”ના લુપ્ત થયેલા સત્યને યથાવત પારખી લીધું અને પોતાની મહાસમર્થ ભાષામાં એનું વિવેચન ચેતક પ્રગટ કર્યું. એમણે વેદધર્મને નવેસરથી સ્થાપન કર્યો ખરો. પણ તે કાંઇ એના જુનાખખ સ્વરૂપમાં નહિ, પરંતુ પોતાના જમાનાને અનુકૂળ પડે એવા તાજા સ્વરૂપમાં સ્થાપન કર્યો અને આખા ભરતખંડમાં વેદમાર્ગને પાછો કે વગડાવ્યો. આ બીના અગાઉ આપણે કહી ગયા છીએ.
શંકરસ્વામીના સંપ્રદાયને “અત” સંપ્રદાય કહે છે. અદ્વૈત એટલે કે જયાં બીજું કાંઈ છેજ નહિ, પરમાત્મા એકજ છે. એ પરમાત્મા એટલે કે ઘટઘટ વ્યાપી રહેલું પ્રભુચંતન્ય' અથવા ફોર્સ” આપણે આપણી પામર આંખથી દેખી શકતા નથી. એ ચિંતન્ય દીવા જેવું સ્વયપ્રકાશિત છે; પરંતુ જ્યાં સુધી આપણે ઘટઘટમાં વ્યાપી રહેલા એ દીવાને દેખી નથી શકતા, ત્યાસુધી આપણને માત્ર અંધારૂં જ જણાયા કરે છે. આ કારણથી આઠે પહેાર આ ફાની દુનિયામાં આપણે મૂઢની પેઠે ઘસડાયા કરીએ છીએ; એટલે કે આપણે અંધારામાં ફાંફાં માર્યા કરીએ છીએ. અંધારામાં ફાંફાં મારનારને અથડાવાનો ભય હોય, પડી જવાને ભય હાય, વીંછીસર્પ વગેરેનો ભય હોય, વળી ખરેખરા વીંછી ને સર્ષ અંધારા ઓરડામાં જોકે હમેશાં નથી હતા, તો પણ આપણને એના ભયની કલ્પના તો થયા જ કરે છે. એ જ પ્રમાણે આ સંસારના અંધારામાં અથડાયા કરનારા જે આપણા મૂઢ બંધુઓ-તેએાને અનેક પ્રકારના સાચા-ખોટા માયાના ભયમાં ભટકવું પડે છે. જે જ્ઞાનરૂપી દીવો પ્રગટે તે સંસારને ભય એની મેળે જ દૂર ભાગે. સંસારના એવા અટપટા ભયને શંકરસ્વામી “માયા” કહે છે. માયા એ કલ્પિત ચીજ છે. દીવાની ગેરહાજરીમાં અંધારા જેવા કલ્પિત પદાર્થને જેમ આપણે સાચે માનીએ છીએ; તેજ પ્રમાણે સત્ય-જ્ઞાનની ગેરહાજરીમાં આ સંસારની માયાને આપણે સાચી માની બેઠા છીએ; અને તેને પરિણામે ભૂલભૂલામણીમાં ભટકી ભટકીને આપણું આ કઠોર જીવતર પૂરું કરીએ છીએ. માટે હે સજજનો ! જ્ઞાનરૂપી દીવો પ્રગટાવો, એટલે માયા ઉભી જ નહિ રહે, એમ ભગવાન શંકરસ્વામી પિકારી પોકારીને કહે છે. શંકરસ્વામીના પહેલાં ઘણાં વર્ષો ઉપર ભાગવત શાસ્ત્ર રચાયેલું હતું. એ સુંદર અને અનુપમ ભાગવત શાસ્ત્રમાં મંગળાચરણના સૌથી પહેલા લોકમાં એવીજ વાત કહેલી છે કે, હે સજજન ! આવો, આપણે પરમપદાર્થ જે “સત્ય” નામે ઓળખાય છે તેનું ધ્યાન ધરીએ. એ સત્ય સ્વયંપ્રકાશિત છે. એ સત્યને ઓળખાવવા માટે બીજે દીવા કરવાની જરૂર નથી. વળી એ સત્ય પિતાના પ્રકાશવડે આ ફાની માયાની ઠગબાજીને-માયાના ગડબડ ગોટાળાને હડસેલી કાઢે છે. મતલબ કે, આપણે સર્વવ્યાપી પરમાત્માના ચૈતન્યસ્વરૂપનુંજ્ઞાનસ્વરૂપનું જે રક્ષણ કર્યા કરીશું તો આ બિચારી કલ્પિત માયા આપણી સામું પણ જેવાની હિંમત નહિ કરે. યજ્ઞ કરવા, પશુ મારવાં, નાના-મોટા રાજાઓને નમાવવા, એવા રાજાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com