SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૬ શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો ૧૮૩–ગુરુ ગાવિંદના પુત્રાનું બલિદાન યાને આ સંસ્કૃતિનું ભાન! ઇતિહાસ પેકાર કરી રહ્યો છે કે, જુલમથી કદી કાઈ જાતિ ખાઈ જતી નથી, ઉલટુ એવા પ્રસંગે મરેલી પ્રજામાં પ્રાણનેા સંચાર થાય છે. શીખાના દશમા ગુરુ ગોવિંદસિંહે મેાગલ ખાદશાહના જુલ્મથી દબાઈ જવાને બદલે શીખ પ્રજાને એક લડાયક કામ બનાવી દીધી. ગુરુ પેાતાનાં આદ` ચિરત્ર અને અનુપમ વ્યક્તિત્વના લીધે શાખામાં ધર્મનું બીજારાપણુ કરવા માટે યોગ્ય બની ગયા હતા. તેમણે ધર્મોને માટે સસ્વનું બલિદાન કરી દેવાથી અનેક લોકેા તેમના અનુયાયી બની ગયા. આ કારણથી મેગલ બાદશાહ ભય પામવા લાગ્યા અને કાઇ પણ પ્રકારે ગુરુગોવિંદના નાશ થાય, તેવા ઉપાયા વિચારવા લાગ્યા. ગુરુ આનંદપુર નામના ગામમાં રહેતા હતા. તે ગામને એક દિવસ મેાગલસેનાએ ઘેરી લીધું. એકાએક આ હુમલે આવી પડવાથી વીર શીખા ગભરાઇ ગયા, ગુરુ પેતે પણ વિચારમાં પડી ગયા અને થે!ડા સમયમાટે મુંઝવણમાં પડી ગયા. આટલા ગુણ્યાગાંયા શાખા લઇને મેાગલસેના સામે થવામાં આગમાં કૂદીને ભસ્મ થઇ જવા બરાબર હતું; તેમજ પેાતાનું સર્વસ્વ દુશ્મનાને આપી દેવા કરતાં મૃત્યુ પસંદ કરવા જેવું હતું. આ બેમાંથી ક્યા મા ગ્રહણ કરવા તેના વિચારમાં ગુરુ હતા, તેવામાં મેગલા તરફથી સંદેશા મળ્યા કે “ જે આ સમયે તમે આનંદપુર ાડીને ચાલ્યા જશા તે તમને કાઇ પણ જાતની હરકત કરવામાં નહિ આવે. ” ગુરુ ગોવિંદસિંહને આ સ ંદેશા ઉપર વિશ્વાસ ખેડા નહિ, પરંતુ તેમ કર્યાં સિવાય અન્ય માર્ગો હતેાજ નહિ. ખીજે દિવસે સવારે ગુરુએ આનંદપુરમાંથી બહાર નીકળી ચાલવા માંડયું; પરંતુ મુસલમાનેા કદી વચનની કિંમત સમજતાજ નથી. તેમણે વચનને! ભાંગ કરી મુઠ્ઠીભર શાખા ઉપર માર્ગોમાં હુમલે કર્યો અને તેઓને ઘેરી લીધા. શીખા મેગલા તરફથી આવી આશા રાખતાજ નહેાતા, તેઓ એકાએક આ હુમલાથી ગભરાઈ ગયા અને જેને જેમ ફાવે તેમ નાસવા લાગ્યા. અનેક મેાગલેાના હાથે કતલ થઇ ગયા. કેટલાકે સતલજ નદીમાં કૂદી પડી પેાતાના પ્રાણ ગુમાવ્યા. ગુરુ પેાતે કેટલાક વિશ્વાસુ સાથીએ સાથે રૂપનગર તરફ ચાલી નીકળ્યા. તેમની ધર્મપત્ની કેટલાક સાહસી શિખાને લઇ દિલ્હી રવાના થઈ ગઈ ! તેમની માતા કુંતેસિંહ તથા જોરાવરસિંહ નામના પેાતાના એ પૌત્રાને ( ગુરુના પુત્રાને) લઇને પેાતાના બ્રાહ્મણ રસાઈયા સાથે તેને ઘેર ગયાં; પરંતુ અહીં તે દુષ્ટ બ્રાહ્મણે વિશ્વાસધાત કરીને ઉક્ત બાળક-રત્નાને મેગલ સુબા વજીરખાનના હાથમાં સાંપી દીધા. તેમનાં ઘરેણાંની પેટી પેાતાના ધરમાં રાખી લીધી. વજીરખાનને ગુરુ ઉપર પ્રથમથીજ દ્વેષ હતા. તેને ગુરુના પુત્રે પેાતાના હાથમાં આવવાથી બદલેા લેવાને ઉત્તમ અવસર મળ્યા ! તેણે વિચાયું કે, આ ખાળકેાનેા વધ કરવા કરતાં તેમને મુસલમાન બનાવી દેવાથી ગુરુની આબરૂને વધારે ધકકા પહેાંચશે અને શરમથી ગુરુ ઊંચું મુખ કરી શકશે નહિ. ’ આવા વિચારથી એક દિવસ તેણે ઉક્ત બને બાળકાને પેાતાની પાસે ખેલાવ્યા. યવનેાના હાથમાં સપડાયાથી આ બંને ધર્માંવીર બાળકેાએ કેટલાક દિવસથી ખાધુ નહાતું. આથી તેમનાં ગુલાબ જેવાં તેજસ્વી મુખ ચીમળાઇ ગયાં હતાં. જ્યારે તેએ દરબારમાં આવ્યા, ત્યારે એક મુસલમાન સિપાઇએ વજ્રર્ખાનને સલામ કરવાની તેમને સૂચના કરી. જોરાવરસિંહે જવાબ આપ્યો કે “ અમે એકમાત્ર અકાલ પુરષ સિવાય કોઇને માથુ નમાવતા નથી. '' એમ કહી અક્કડ ઉભા રહ્યા. વજીરખાને તે બન્ને બાળકાને કહ્યું કે તમારા પિતાના અપરાધ અક્ષમ્ય છે, પરંતુ તમે નિર્દોષ બાળક છે.. તમારા ઉપર મને દયા આવે છે. જો તમે ઈસ્લામધર્માંતે સ્વીકારી લ્યે, તે તમને છેડી દેવામાં આવશે અને મેટા થશે, ત્યારે મેટી જાગીર બક્ષીસ આપી મેટા હાદ્દાઓ આપવામાં આવશે. વજીરખાન સમજતેા હતેા કે, જીવનદાન મળવાથી તેમજ મેાટા હેદ્દાની લાલચથી બંને બાળકેા ઇસ્લામને સ્વીકાર કરશે. તેને સ્વપ્નમાં પણ ખ્યાલ નહાતા કે, આ બાળકાની kr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy