SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સિપાઈગીરીના સાદ ૧૧૨-હાલિકાના સદેશ પુનઃવિધાનના યજ્ઞ માંડી ખેડેલી પ્રજાના જીવનમાં પવન એ યુગસ દેશની, પ્રજાકલ્યાણના પવિત્ર યજ્ઞમાં પોતીકા હિસ્સા પૂરી જવાની સિંહનાદે ગર્જતી નાખત છે. કાગણની પૂર્ણિમાએ ભારતના જાયાઓનાં અંતરમાં પ્રાણ સિંચનારી એ નાખત ફરી વાર ગડગડશે. આજથી દશહજાર વર્ષ પહેલાં, નગાધિરાજ હિમાલયનાં ગિરિ-શિખરે। ઉપર, પુણ્યપ્રકૈાપથી સળગી રહેલા શંકરે તેમનુ' ત્રીજું લેાચન ઉધાડી, તેની જ્વાળાઓથી જે રાત્રે કામદેવને બાળીને ભસ્મ કર્યાં; આજથી પાંચ હજાર વર્ષ પહેલાં, વસુદેવ અને દેવકીના સૂત કહાનકુમારે જે તિથિએ પૂતના રાક્ષસીના પ્રાણ ચૂસી લીધા, એ રાત્રિએ-એ તિથિએ કામદહન કરવાના અને પૂતનાવધ આચરવાના સંદેશ ભારતવને ઝુંપડે ઝુંપડે અણુમેાલ્યા સંભળાશે. ભારતના પુનરુત્થાનના દીક્ષાધારી ભારતવાસીઓ! શંકરે કરેલા કામદહનની સવત્સરી ઉજવવા, આવતી પૂર્ણિમાની હુતાશનીમાં તમારી તમામ નખળાઆને હામી દેજો અને એ હુતાશનની રાખાડીનું તિલક કરી, કૃતનિશ્રય મનુષ્યા બની પાછા ઘેર સચરજો. ભારતના ઉજ્જ્વળ ભાવિના વિધાતાએ ! કહાનકુમારે કરેલા પૂતનાવધનું સંભારણું ધન્ય બનાવવા, આવતી પૂર્ણિમાની હાળાની સાક્ષીએ, ભારતને વિષપાન કરાવવા મથતા રાક્ષસેમ્બે ભસ્મીભૂત કરવાના નિરધાર રચો. ૧૫મ હાલિકા એ કામદહનના અને પૂતનાવધના કરવૈયાનું પર્વ છે; હાલિકા એ યૌવનના, ઉત્સાહના, શક્તિના પૂજારીઓનું પર્વ છે; હેાલિકા એ જીવાનેની જુવાનીને દેશ કાજે સમણુ કરનારા જોધમલ્લોનું પર્વ છે; એટલેજ વિજયાદશમીની જેમ હેાલિકાત્સવ પણ, શસ્ત્રવિદ્યાની તાલીમના અને વીરત્વની કસાટીના ઉત્સવ મનાયેા છે. હેાલિકાત્સવને ઉજવનાર પ્રત્યેક ભારતપુત્ર ફાગણી પૂનેમથી ચાળીસ દિવસ પહેલાં કેસરિયા વાધા સજે અને ચાળીસ દિવસસુધી અખાડાએમાં શરીરને વઢાર ખનાવવાની કવાયત આદરે. પછી પૂર્ણિમાની રાત્રિએ ગામના ગુરુજનાને હાથે વીરાને વીરચિત ઈનામેાની લ્હાણી થાય. એ આજસુધી આદર પામતી આવેલી હેલિકોત્સવની પ્રણાલિકા છે. ગુજરાત, એ પ્રણાલિકાને સજીવન કરા, હેાલિકાના પર્વને સ્વદેશના સૈનિક ખનવાના શપથ લેવાનુ પર્વ બનાવેશ. સ્વદેશના સૈનિકપને લાયક બનવા મહાવીર મારુતીરાજ અને ભીષ્મપિતામહ જેવા બ્રહ્મચય ધર્મની દીક્ષા લેવાનું પર્વ બનાવા. હેાલિકાના એ સદેશ છે. યુવકા! એ હેાલિકાને નાખતનાદ સાંભળજો અને જીવનમાં વણી દેજો. ( “ સૌરાષ્ટ્ર ” તા. ૩-૩-૨૮નું મુખપૃષ્ઠ) ૧૧૩-સિપાઈગીરીને સાદ એક યુવાન અખાડામાં જતા હતા. તેનાં માતપિતા તે સામે કકળી ઉઠયાં. તેના અખાડાના મિત્રને કહે કે ‘ છેકરાને અખાડામાં નથી મેાકલવા, તેનાં હાડકાં દુઃખવા આવે.' જવાખમાં પેલા અખાડાવાળા ભાઇએ કહ્યું કે · અખાડામાં આવવાથી, આજ તે માત્ર બે ચાર દિવસ હાડકાંજ દુ:ખશે; પણ અખાડામાં નહિ આવવાથી કાલે કાઇ મળશે તે હાડકાંના ચૂરેચૂરા કરી નાખશે અને તે અને તમે બધાં આંસુડાં સારતાં રહેશેા. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ કાઇ એક માષિતાની મનેાદશા નથી, એ તેા સાર્વત્રિક મનેાદશા છે. ખુદ ગરાસયા -અને રાજપૂતાનાં કુટુંબેામાં આજ માતાઓને પેાતાના કુંવરેાતે બહાર કાઢતાં કંઈ કંઈ થઈ જાય છે. સિપાઇના પાષાક પહેરવા, રાતદિવસ છાવણીમાં કાઢવા, ગામે ગામે કૅમ્પફાયરા કરી, કવાયત શીખવી, કવાયતી ચાલ ચાલવી, એ વસ્તુઓ આપણી પ્રજાને નથી સમજાતી. એમાં તે શક્તિના અપવ્યય અને શરીરની નિરક હીનતા જોઇ રહી છે. આજના જુવાનની ચાલમાં સિપાઈગીરી નથી, સ્વરમાં મર્દાનગી નથી, કામાં બહાદૂરી નથી અને બહાદૂરી, હિંમત વગેરે www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy