SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના સાચા દાવનાર-તારણહાર કેવા હોય ? ૧૬૫ એનું દિલ ભરાઇ આવે છે, તારણહાર એકાંતે ખંદગી કરે છે. રાજાજી શેાધે છે કે, મારા લાડીલા શત્રુ કયાં? જેના હાથને પરાજય પામીને પણુ હુ આજે ગ ધરૂ' છું. એ સુભટ્ટને આજે મારી પાસે તેડી લાવા. મારે એની સાથે આજે કદી નથી મિલાવ્યા તેવી રીતે હાથ મિલાવવા છે. કાઇ ડીકને તેડી લાવા! ડીક ન આવ્યેા. એ બંદગી કરે છે. રાજાજીનુ હૃદય આજે શકાતુ નથી, એ ડીકની પાછળ દાડે છે. ડીંક ઉપર એને પ્યાર ઉભરાય છે. પ્રધાનને પૂછે છે કે આ આન્ટ્રેસ્સી ! ડીકને હું કયી રીતે વિભૂષિત કરી શકું ?” પ્રધાને કહ્યું કે મહારાજા! આપના હાથમાં લક્ષ્મી છે, પદવીઓ છે, હેાદ્દાઓ છે-બધું છે. બીજા સૌ કાઇને આપ નવાજી શકશે, પણ ડીકને એ તમામ સમૃદ્ધિથી પણ નહિ નવાજી -શકાય. હંગેરીના તારટ્ટાર તેા એ બધાં પ્રલેાભનેાથી પર ચાલ્યા ગયા છે. ” “બીજું તે। કાંઇ નહિ, ખેર; પરંતુ આ મારી તે રાણીજીની એક છબી લઇ જાઓ અને ડીકને કહેા કે, મારી આટલી ભેટ સ્વીકારે.’ રત્નજડત ચેાકડામાં મઢેલી એ રાજ-દંપતીની ખી રાજકર્તાના સાચા દિલનું સ્નેહ-ચિહ્ન કહેવાય; પરંતુ ડીકે તેા એ પણ ન સ્વીકાર્યું. ડીક પ્રાના કરે છે; જગષિતાની સન્મુખ ખડેા છે. રાજ-ભેટ એને નથી ખપતી. રાજાજીએ દીન શબ્દોમાં એટલુ જ પૂછાવ્યું કે એ ડીક ! તારા સરખા અડગ દુશ્મનપર વીરપૂજાની અને અહેશાનમંદીની મારી જે મિએ ઉછળે છે, એને વ્યક્ત કરવાને કાઇક રસ્તા તું બતાવ, મને નિરાશ ન કર ભાઈ !” ડીકે કહેવરાવ્યું કે મહારાજ! મારા મૃત્યુ પછી બસ આટલુંજ કહેજો કે “ડીક પ્રમાણિક આદમી હતા. ખસ, એથી વધુ મારે કાંઇ ન ખપે.” ત્રણજ દિવસમાં ગુહ્તાંન પૂરાં કરીને આખી પ્રજા ઉદ્યમે ચઢી ગઇ. રાજતંત્રનાં ચક્રો ગાઢવાવા લાગ્યાં. સર્વાનુમતની મદદથી રાજાએ ડીકને મુખ્ય સચિવના પદપર નિમત્ર્યા; પરંતુ ડીકે ના પાડી. પ્રધાનમંડળના સામાન્ય સચિવ બનવાની પણ એણે ના પાડી. “એ ડીક ! તને આ શુ' થયુ ?'' “કાંઇજ નહિ ભાઇ ! હું તે। હવે મારા વતન કહીડા ગામમાં ચાલ્યેા જઇશ, વાર્ષિક ત્રણસેા પાઉન્ડની મારી જે આવક છે, તે મામાટે ઘણી છે. હું બાકીનું આયુષ્ય ગ્રામ્ય શાંતિમાં ગુજારીશ, બેઠા બેઠા જગત્પિતાની બંદગી કર્યા કરીશ.મને જવા દે,હવે મારૂ કામ ખતમ થયું છે.” પણ પ્રજા આડી આવીને ઉભી રહી. ડીકના રસ્તા એણે રોકી લીધેા. માતાના વિયેાગે અચ્ચાં રડતાં હાય, તેવી વેદના પામીને પ્રજા અશ્રુભીની આંખે આજીજીની દૃષ્ટિ માંડતી ઉભી રહી. જનેતાએ ફૂલસરખાં નાનાં બચ્ચાં લાને તારણહારના રસ્તા આડે સુવાડી દીધાં. લાકડીને ટેકે ડગમગુ ચાલતાં ડે!સા-ડેાસીએએ આવને ૫કાનાં વચનેા ઉચ્ચાર્યાં કે “તારણહાર! શું આટલા બધે નિર્દય થાય છે ? ગામડામાં જઇને શું જલ્દી શાંતિ ભાગવવા બેસી જવું છે ? પ્રજાને અંતરિયાળ રઝળાવવી છે કે ? '' નિઃશ્વાસ નાખીને ડીક રાકાયા. તે પાર્લામેન્ટના એક સાધારણ સભાસદ બનીને રહ્યો. નવ વર્ષસુધી એ નમ્ર સ્થાનપરજ બેઠા રહ્યો; પરંતુ સમમાં સમ પ્રધાન કરતાંયે એના પ્રભાવ અધિક તાપે તપતા રહ્યો. એનુ-હ ંગેરીના એ તારણહારનું વચન કાઇએ ઉથાપ્યું નહિ એની નિખાલસ સલાહેાને સદાય સૌએ શિરપર ચઢાવ્યા કરી. એના મતના વિરાધી પક્ષા પણ એની સચ્ચાઇને વંદન કરતા રહ્યા. એ તે દેશ બધાનેા આરાધ્ય દેવતાજ હતા. શ્વેત વાળથી વિભૂષિત એ સિત્તેર વર્ષને પેાલાદી દેહ પાર્લામેન્ટમાં અને સારાયે દેશમાં પેાતાની પરિપક્વ વૃદ્ઘાવસ્થાના શીતળ પ્રભાવ પાથરતાજ રહ્યો. એના વિશાળ ચહેરાપરની કરચલીઓમાં પાંત્રીસ વર્ષના પ્રજાકીય ઇતિહાસની જાણે અકેક પ ંક્તિ લખાઇ ગઇ હોય તેમ માનીને લેાકેા એ રેખાને ઉકેલતા, પ્રેરણા પીતા, નમી પડતા. એની છત્રછાયા તળે તેા પ્રજાએ આબાદીના પંચપર કે ૐ અસાધારણ ડગલાં માંડી દીધાં. યૂરોપીય પ્રજાઓની અવગણના, હાંસી તેમજ તિરસ્કારભરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy