SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આ સારૂં કે તે ? “જીએ જ્ઞાની બધું મારૂ જીવે ચેાગી તજી મારૂ, મુવા જેણે ભજ્યું મુવા હૈધા શેષે મારૂં. 37 ગાનારના વિચારાના પ્રતિધેાષ સ્પષ્ટપણે સમજાતેા હતેા. ગાણું એટલું તેા મધુર હતું કે, હું તે મુગ્ધ થઇ ત્યાં ઉભેાજ રહ્યો હતા. તેટલામાં ગાનારનું આત્મગત સંભાષણ મારા સાંભળવામાં આવ્યું. “હજારા હજાર શુક્ર છે તે પરમ માયાળુ પરમાત્માના કે તેમની માયાથી ભાઈ લક્ષ્મીદાસની સાથે હું નાનપણથી સેાબતમાં તે; છતાં મારા આત્મનિશ્ચયમાં અને મારા વિચારામાંથી ડગ્યા નથી. ભલે મને મીલમજીરાની દોસ્તી રહીભલે હું દરદીઓને સાથી રહ્યો. મને તે સેવામાં આરામ-વિરામ મળે છે. લક્ષ્મીદાસની મેટરના કરતાં તે ઘણે દરજ્જે મને વધારે પ્રિય છે. જાણે મારી આર્થિક સ્થિતિ સારી નથી તેાપણ મારું દિલ તવંગર છે, તેજ મને શાંતિ છે–તેજ મારી દાલત છે. હુ` મારા નિશ્ચયમાંથી ડગીશ નહિ. આ સારૂં કે તે? એ પ્રશ્નને ભલે ભાઈ લક્ષ્મી દાસ કર્યાં કરે. ૧૫૯ ખેલવાના અવાજ બંધ થયા. અલ્પ સમય પહેલાંજ સાંભળેલી લખપતિ લક્ષ્મીદાસની વાતપરના અનુસંધાનથી મને પ્રતીત થયું કે, ઉપરના ઉદ્ગાર તેના મિત્ર ભગવાનદાસના હેાવા જોઇએ. આ એ મિત્રાના ઉદ્ગાર સાંભળી એ વિષયપરત્વે વધારે જાણવાનું મને કુતૂહલ થયું; પરંતુ રાત્રિને સમય ઘણાજ વ્યતીત થયેલેા હાવાથી હુ` ઘેર ગયા અને વિચારના વમળમાંજ અનિદ્રા તદ્રિત સ્થિતિમાં રાખી પસાર કરી. વખતના વહેવાની સાથે ઉપરાક્ત રાત્રિની ધટનાસ’બધી વિશેષ જાણવાનુ` મળ્યું, લક્ષ્મીદાસ અને ભગવાનદાસ છે. બાળમિત્રા નાનપણથીજ સહાધ્યાયી હતા. એ બન્નેનાં માબાપેાનાં ઘર નજીક પડેશમાં હતાં. વળી તે અને ગીરગામ એકરાડપરની ગુજરાતી શાળામાં એકજ વર્ગમાં અભ્યાસ કરતા હતા, એટલે બન્નેને મિત્ર થવાના સાનુકૂળ સયેાગેા હતા; પરંતુ બાળપણથી બન્નેના વિચારામાં જમીન-આસમાન જેટલું અંતર રહેતું હતું. લક્ષ્મીદાસના વિચાર। મેટરગાડીમાં કરવાના, મુંબઇના શેરીક, રાવબહાદુર અને જે. પી. થવાના અને કરાડાધિપતિ થઇ માત્ર શારીરિક વૈભવેા ભાગવવાના હતા; જ્યારે ભગવાનદાસના વિચારા તેા “વસુધૈવ કુટુંવામ્” એટલે સમસ્ત જગતને પોતાનું કુટુંબ માની–પોતાનાથી બનતી માનવજાતિની સેવા કરવી-ગરીબ અને દરદીઓના દુઃખમાં મદદઆપી પેાતાને મળેલા માનવજીવનનું સાક કરવું અને તે પ્રમાણે સેવા કર્યાં બાદ-દ્વૈતની જાળને તેડી “તત્ત્વમસિ' ના પાને અમલમાં મૂકી આત્માનું પણ શ્રેય કરી આ જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, એ ચારે પુરુષાને સિદ્ધ કરવાની અભિલાષા તેનામાં હતી. ‘જેવાં ખીજ તેવાં વૃક્ષ' તે મુજબ ખરેખર આ બે મિત્રામાં બન્યુ. લક્ષ્મીદાસ તે ખી. એ. પાસ થયા પછી વકીલાતના ધંધા સારા, માની લેાકેા પાસેથી પૈસા પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન માની એલ. એલ. મી. ને અજમાશ કર્યાં. મુદ્ધિચાય ઉત્તમ હતું, એટલે તે પહેલે નંબરે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ધ ધા ધીકતા ચાલવા માંડયેા. પૈસે પુષ્કળ એકઠા કર્યાં. જે આવે તેને કહે મૃક પૈસા, નહિ તેા “નેા ટાઇમ” વાત કરવાને વખત નથી. આવી રીતે લક્ષ્મીદાસે લક્ષ્મીને સારા સમુચ્ચય કર્યાં. બીજી બાજુ લક્ષ્મીદાસભાઇને સ્વભાવ ‘જી, હા !' કરવાના ખુશામતીએ; એટલે સરકાર-દરબારમાં, શેઠીયા-”શાહુકારમાં પણ ઘણું સારૂં ફાવી ગયા. ઘેાડા વખતમાં તેઓ “જે. પી’” અને “રાવ બહાદુર” ની ઉપાધિ મેળવી શક્યા અને બૅન્કના ડાયરેક્ટર, મીલના પ્રેાપ્રાઈટર, લિમિટેડ 'પનીના સચાલક વગેરે વગેરે લક્ષ્મીદાસને તેા પૂ'છડાને પાર રહ્યો નહિ. પરાપકાર, આત્મભેગ વગેરે શબ્દો તેની નોંધપોથીમાં તેા ન હતા. પ્રિય પાઠક ! હવે આપણે ભગવાનદાસના જીવન તરફ નજર કરીએ. ભગવાનદાસે તેા પ્રીવીઅસ પરીક્ષા પાસ કરી, ડૉકટરી પરીક્ષા પસાર કરી, યથાશક્તિ માનવસેવા કરવાને નિશ્ચય કર્યાં હતા. તેઓ પણ બુદ્ધિચાતુર્યમાં કુશળ હાઈ એમ. બી. બી. એસ.ની ડૉક્ટરી પરીક્ષામાં પાસ થયા. પછીથી તેમ સરકારી નેકરી અને બીજી ખાનગી નેાકરીની સારી સારી જગ્યાની નિમણુકના ચાન્સ મળતા હતા; છતાં તેમણે નાકરીનેા સ્વીકાર કર્યો નહિ, પરંતુ ગરીખવની સેવા કરવાના ઉદ્દેશથી “પરેલ” અને “ભુલેશ્વર” દવાખાનાં ખાલ્યાં. પેાતાના ઉમદા સ્વભાવથી અને લક્ષ્મીની લાલચ ખીલકુલ નહિ હાવાથી ભગવાનદાસ ટુંક સમયમાં બહુજ લોકપ્રિય થઇ ગયા. પરેલના મીલમજીરામાં તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy