SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્તશિક્ષણ ૧૫૩ નથીજ; પરંતુ શિક્ષણ એ કતવ્ય છે એવી ભાવના પણ કાંઇ બહુ જોવામાં નથી આવતી. આજે તે વિદ્યાર્થીઓમાં એકજ ગુલામગીરીની ભાવના પ્રચલિત છે કે, શિક્ષણ એટલે શિક્ષા. છેકરામાં જરાક જેટલી પણ સ્વતંત્રતાની ચમક નજરે પડે, તેનામાં જરાક જેટલુંયે ચેતન દેખાય કે તરતજ ધરનાં માણસા તેનાથી થાકીને આને હવે નિશાળમાં ધાળવા જોઇએ' એવા ઉદ્ગારા કાઢવા લાગે છે. શાળા એટલે શુ પૂરી રાખવાની જગા ! અર્થાતજ આ પવિત્ર કાર્યને ઉપાડનારા શિક્ષકા એટલે ઉપર્યુક્ત જેલ(શાળા)ના અધિકારીએ ! પણ આમાં દેષ કાને ? આપણા શિક્ષણની બાબતના મતે અને તદનુસાર આપણે જે પતિને-અથવા પતિના અભાવને અવલબ કરીએ છીએ તેને આ દેષ છે. વિદ્યાર્થીને ખબર પણ ન પડે, એવી રીતે તેને શિક્ષણ મળવુ તે એ. નાનપણમાં બાળક માતૃભાષા જેટલી સ્વા ભાવિક રીતે શીખી જાય છે, તેટલીજ સ્વાભાવિક રીતે તેને બધુ શિક્ષણ મળવુ જોઇએ. બાળક ‘વ્યાકરણ એ શું ચીજ છે' એ નહિ જાણતું હોય, તાપણુ કદી ‘મા આબ્યા' એમ ખેલવાનું નથી; એટલે કે તેને વ્યાકરણ સમજાઇજ ગયું છે. ફક્ત તેને વ્યાકરણ' શબ્દની ખબર નહિ હેય અથવા તેા વ્યાકરણની પરિભાષા તે જણતું નહિ હોય; પણ વ્યાકરણનુ મુખ્ય કા તા થઈ ચૂકેલુ છે. સાધ્ય-સાધનાની અદલાબદલી નહિં થવી જોએ, સાધ્યને માટે સાધના હોય છે, સાધને માટે સાધ્ય નથી હેતું. આજ વસ્તુ તમાં પણ લાગુ પડે છે. ગૌતમનાં ન્યાયસૂત્રેા કે એરિસ્ટાટલનુ તર્ક શાસ્ત્ર શામાટે વાંચવાં ? વ્યવસ્થિત વિચાર કરતાં આવડે, સાચાં અનુમાન કરી શકાય એટલા ખાતર. દીવા ઝાંખે ઝાંખે! થતા જાય તે ધણુ' કરીને તેમાં તેલ નિહ હાય એવું અનુમાન તે! બાળક પણ કાઢી શકે છે. તેના ભેજામાં પણ તક તેા હાય છેજ. એટલુ ખરૂં કે, તેને પંચાવયવી વાકય કે સિલાજીઝમ માંડતાં નહિ આવડે, વિદ્યાર્થીમાં તર્કશાસ્ત્ર પ્રથમથીજ હેાય છે. તેને વારંવાર ખારાક મળ્યા કરે એવા પ્રસંગો ઉભા કરવાનું કામજ શિક્ષણનું છે. સર્વાં કલા, સર્વાં સગુણ બીજરૂપે મનુષ્યમાં સ્વયંભૂજ છે; આપણે તે બીજોઇ શકતા નથી, પણ એ દેખાતું નથી એટલા ખાતર એ નથીજ એમ સાબીત ન થઇ શકે. પણ આ મત રૂસાને પસંદ નથી, એમ કેટલીક વાર દેખાય છે. મનુષ્ય સ્વભાવતઃ દુળ અને અનીતિમાન છે, તેને શિક્ષણથી બળવાન અને નીતિમાન બનાવવાના છે. મૂળથી તે તે પશુ છે, શિક્ષણથી તેને માણસ બનાવવાને છે. તેનુ પૂર્વસ્વરૂપ વાપોતૢ વાવ૪માંડદું પાપારમા વાપસંમય:। છે, તેનું ઉત્તરરૂપ શિક્ષણથી ઉત્પન્ન થવાનુ છે. આવી જાતની ભાષા તે કાક કાઈક વાર વાપરે છે. આની વિરુદ્ધનાં વાક્યા પણ તેના પુસ્તકમાં દેખાય છે તે ખરાંજ અને તેથીજ તેને મત અમુકજ પ્રકારને છે, એમ કહેવુ કઠણ છે; પરંતુ જો તેનેા એવેાજ મત હેાય તે તેમાં તેનેા બહુ દેખ નથી, પણ તે સમયની પરિસ્થિતિનેજ દોષ છે, એમ કહી શકાય એમ છે. વતંત્ર બુદ્ધિવાળા લેાકેા પણ પરિસ્થિતિના ગુલામ ભલે ન હેાય, તેપણુ કેટલેક અંશે તે પરિસ્થિતિથીજ બનેલા હોય છે. એમાં પણ રૂસના સમયની ક્રાંસની સ્થિતિ કેટલી ભયંકર હતી! આજે જેમ ભારતવર્ષમાં ૭૧ કરોડ જંતુઓના ભયંકર દેખાવ નજરે પડે છે, તેમજ ક્રાંસની પણ તેવીજ સ્થિતિ હતી. તેથી રૂસા જેવા જ્વાળામુખી અને જહાલ મનુષ્યનું ભાવનામય વિકારી હૃદય મનુષ્યજાતિના તિરસ્કારથી ભરેલુ હેાય તે તે ક્ષમ્ય છે. ગુલામગીરી જોતાંજ તેને ચીડ ચઢતી,તેનુ લેાહી ઉકળવા માંડતું, તેની વૃત્તિએ અનાવર થતી. આવી પરિસ્થિતિમાં મનુષ્યજાતિના તિરસ્કારને લીધે માણસ એ પશુ છે અને શિક્ષણને લીધેજ કાંઈક માણુસાઈમાં આવી શકે છે, એવા તેને મત થાય તે તે સમજી શકાય તેમ છે; પરંતુ રૂસેમાટે આપણને ગમે તેટલી સહાનુભૂતિ ઉત્પન્ન થાય, તેાપણ આવે! મત ગમે તે માણસ ગમે તે પિરસ્થિતિમાં પ્રતિપાદન કરે તેાયે તે અયેાગ્ય છે, એમાં તે શક નથી. મનુષ્ય સ્વભાવથીજ દુષ્ટ છે, એમ માનવામાં મનુષ્યજાતિને ઉપમ તે છેજ; પણ નિરાશાવાદની પરાકાષ્ઠા છે. જો મનુષ્ય મૂળથીજ દુષ્ટ હોય તેાપછી શિક્ષણને અવકાશજ નથી. વસ્તુથી તેને સ્વભાવ કાયમને માટે દૂર કરવા એ તર્ક ષ્ટિથી અશક્ય છે. તેમ મનુષ્યસ્વભાવ મૂળથીજ દુષ્ટ હશે તે તેને સુધારવા ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy