SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ નિવૃત્તશિક્ષણ ૧૫૧ મનુષ્યને શિક્ષણ આપ્યાજ કરે છે. નૈયાયિકાના અણુથી લઇને સાંખ્યાન! મહત્તત્ત્વસુધી, ભૂમિતિના બિંદુથી માંડીને ભૂંગાળના સિંધુસુધી બધા નાનામેાટા પદાર્થો મનુષ્યના ગુરુજ્જ છે. વિચક્ષણ વિજ્ઞાનવેત્તાઓની દૂર-ચક્ષુમાં (દુરબીનમાં), વ્યવહાર-વિશારદેશનાં ચ`ચક્ષુમાં, કલ્પનાકુશળ કવિએનાં દિવ્યચક્ષુમાં અથવા તેા તાર્કિક તત્ત્વવેત્તાએનાં જ્ઞાનચક્ષુમાં જે જે પદાર્થો હોય કે ન પણ હોય, તે બધા પદાર્થીમાંથી આપણુને નિત્યપાઠ મળતા રહે છે. આ સિષ્ટ એ તે આપણા અભ્યાસમાટે આપણી સમક્ષ ઈશ્વરે ઉધાડી રાખેલેા શાશ્વત, દિવ્ય, આશ્રય મય, પવિત્ર ગ્રંથ છે. તેની આગળ વેદ બ્ય છે, કુરાન નકામું છે, ખાખલ નિળ છે; પણ આ ગ્રંથગંગા ગમે તેટલી ગભીર હાય, તેપણ મનુષ્ય તે તેમાંથી પેાતાનાજ કળશાથી પાણી લેવાને; અને તેથી જેવાં અને જેટલાનાં ખીને આપણી અંદર હશે તે અને તેટલું જ શિક્ષણ આપણને બહારથી મળવાનું. આને અનુભવતા દરેકને છે. આપણે આટલા આટલા વિષયે। શીખીએ છીએ, આટઆટલા ગ્રંથાવાંચીએ છીએ,આટઆટલા વિચારેા કરીએ છીએ, આટઆટલી વસ્તુઓ જોઇએ છીએ; પણ તેમાંથી કેટલી વસ્તુઓ આપણા સ્મરણમાં રહે છે ? મતલબ કે, આપણે ખાઘુજગતમાંથી જે બધું શીખીએ છીએ તે ભૂલી જઇએ છીએ અને તેની જગ્યાએ સકારાજ માત્ર બાકી રહી જાય છે. કિબહુના, શિક્ષણ એ માહિતી મરી ગયા પછી બાકી વધેલા સરકારે જ છે. આમ થવાનું કારણ ઉપર બતાવ્યું છે કે, જે આપણી અંદર નથી તે મહારથી મળવું અશક્ય છે. ખાદ્યશિક્ષણુ કાઇ સ્વતંત્ર કે તાત્ત્વિક પદાર્થ નથી, પણ કેવળ અભાવાત્મક કા છે. હવે આવી જગ્યાએ હમેશાં એવડે પેચ મૂકવામાં આવે છે. જો ખાદ્યશિક્ષણને મિથ્યા ગણીએ, તે। સરકારના ધડતરમાટે કાંઇ પણ ખાદ્યનિમિત્ત કે આલંબન કે આધાર હેાવા જોઇએ. ઉલટુ ખાશિક્ષણને જો સત્ય કે ભાવરૂપ ગણીએ તા ઉપર બતાવ્યા મુજબ અવિકાસને જેટલેા અંશ અનુકૂળ હેાય તેટલેાજ અંશ, અને તે પણ સંસ્કારરૂપે બાકી રહે છે; એટલે ઉભય પક્ષે વિપ્રતિપત્તિ સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં આ બંને શિક્ષણાના પરસ્પર સબંધ કયે। કહી શકાય ? પણ આ વાત નવીન નથી, એટલે એને નિકાલ પણ નવીન નથી. બધાં શાસ્ત્રોમાં આવી જાતના વાદ ઉભા થયા કરે છે અને તેને સર્વત્ર ઉકેલ પણ એકજ હાય છે. વેદાંતી વાદને દાખલે। ૯.૪એ કે “સુખના ખાદ્યપદાર્થ સાથે શું સંબંધ છે ?' અહીં પણ આજ મુશ્કેલી છે. જો ખાદ્યપદાર્થોમાં સુખ છે, એમ માનીએ તેા હમેશાં તેનાથી સુખ મળવું જોઇએ; પણ એમ થતું નથી. મનઃસ્થિતિ જો નાદુરસ્ત હોય તેા બીજા પ્રસંગોએ સુખ આપનારા પદાર્થો પણ સુખ આપી શકતા નથી. ખીજે પક્ષે જો ખાદ્યપદાર્થોમાં સુખ નથી, સુખ એ તેા માનસિક ભાવના છે' એમ માનીએ તે એવા અનુભવ હંમેશાં આવતા નથી. શેસપિયરે કહ્યા પ્રમાણે છા પોતેજ જો ઘેાડા બનતા તે દરેક મનુષ્ય ધોડેસ્વાર થયેા હાત. ત્યારે આ પ્રશ્નાને કેવી રીતે ઉકેલવા ? તેવુંજ બીજું ન્યાયશાસ્ત્રનું ઉદાહરણ લ્યા. ‘માટી અને માટલાના શું સંબંધ ?' એ પ્રશ્ન છે. માટી એટલેજ માટલું' એમ જો કહેશે, તે માટીથીજ પાણી ભરા. શામાટે માટલુ જોઇએ ? માટી પણ જૂદી છે અને માટલુ પણ જાદુ છે, એમ જો કહેતા હૈ। તેા અમારી માટી અને પાછી આપે। અને તમારૂં માટલું લઇ જાએ. આવી પરિસ્થિતિમાં આ બંનેનેા સબંધ શું? આ કયા સબંધ છે ? તે અમે સમજી શકતા નથી' એમ આપણે જો ગુજરાતીમાં એલીએ તે અમથુ' અજ્ઞાન દેખાય; માટે સંસ્કૃતમાં આ સબંધને અનિચનીય સબંધ' એવુ ભ, પ્રશસ્ત અને સંસ્કૃત નામ છે; પણ આ સંબંધમાં અનિવ ચનીય હાય તાપણું એક પક્ષે જેમ વાવારમળ વારો નામધેય વૃત્તિકેયેવ સત્યમ્ એટલે માટી તાત્ત્વિક અને માટલું અસત્ય, એમ જેમ તારતમ્યથી હરાવી શકાય છે; તેમજ ખીજે પક્ષે અંતઃશિક્ષણ ભાવરૂપ અને ખાદ્યશિક્ષણ અભાવરૂપ કા છે, એમ કહી શકાય છે. પણ આમ કહ્યા પછી બીજો મૂલેાપાટી પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આપણે શિક્ષણના ખે ભાગ કરેલા છે. તેમાંના અતઃશિક્ષણ કે આત્મિકવિકાસ ભાવરૂપ હાય તાપણુ તે દરેક વ્યક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy