SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ પર સર્વ દુઃખની દવા અથવા માલવીઓ-સ્મૃતિ સ્વરૂપ છે, જે પવિત્ર માં પવિત્ર છે, જે મંગલેમાં મંગલ છે, દેવતાઓનું દેવત છે અને સર્વ બ્રહ્માંડનો અવિનાશિ પિતા છે. ૭,૮ सनातनीयः सामाजाः सिक्खाः जैनाश्च सौगताः।स्वे स्वे कर्मण्यभिरतः भावयेयुः परस्परम् ॥९॥ સનાતનધર્મા, આર્યસમાજી, બ્રહ્મસમાજી, શીખ, જૈન અને બેઢોએ પિતા પોતાના ધર્મનું પાલન કરતાં કરતાં એકબીજાની સાથે પ્રેમભાવથી વર્તવું જોઈએ. ૯ विश्वासे दृढता स्वीये परनिन्दा विवर्जनम् । तितिक्षा मतभेदेषु प्राणिमात्रेषु मित्रता ॥१०॥ પોતાના ધર્મવિશ્વાસમાં દઢતા, બીજાઓની નિંદાને ત્યાગ, મતભેદોમાં (પછી તે ભલે ધર્મસંબંધી કે સાંસારિક વિષય સંબંધી હોય) સહનશીલતા અને પ્રાણિમાત્રમાં મિત્રતા રાખવી જોઈએ. ૧૦ 'श्रूयतां धर्मसवस्वं श्रुत्वा चाप्यवधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेपां न समाचरेत् ॥११॥ આ ધર્મસર્વસ્વને સાંભળે, સાંભળી તે પ્રમાણે આચરણ કરો. જેવું આચરણ પિતાપ્રત્યે થવાથી ગમે નહિ તેવું આચરણ તમે પણ બીજા પ્રત્યે કરશે નહિ. ૧૧ यदन्यविहितं नेच्छेदात्मनः कर्म पूरुषः । न तत्परस्य दुःखं वा जाननानिय मात्मनः ॥१२॥ - જે આચરણને મનુષ્ય પિતા માટે ઈ છે નહિ, તેવું આચરણ તેણે અન્ય પ્રત્યે પણ કરવું નહિં; કારણકે પોતાને ન કરે તેવી વાત કાઈ કરે તે કેટલું દુઃખ થાય છે? ૧૨ न कदाचिदिभेत्वन्यान्न कंचन विभीपयेत् । आयत्तिं समालंव्य जीवेत्सजन जीवनम् ॥१३॥ પિતે કોઇથી ન ડરે અને કેઈને ન ડરાવે. આર્યવૃત્તિનું અવલંબન કરીને સાજન પુરુષનું જીવન જીવે. ૧૩ सर्वे च सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिदुःखभाग भवेत्।। સર્વ સુખી રહે, સર્વ નિરોગી રહે, સર્વનું કલ્યાણ હે, કોઈ દુઃખી ના હા. ૧૪ इत्युक्तलक्षणा प्राणिदुःखध्वंसनतत्पराः । दया बलवतां शोभा न त्याज्या धर्मचारिभिः ।१५। પ્રાણુઓનાં દુઃખ અને ચિંતા દૂર કરવામાં તત્પર દયા એ બળવાનની શોભા છે. એને ત્યાગ એગ્ય નથી. ૧૫ पारसीयमुसल्मानरासाइययहीदोभः । देशभक्तः मिलित्वा च काया देश समुन्नतिः ॥१६॥ દેશોન્નતિનાં કામો દેશભક્ત પારસીઓ, મુસલમાન, બ્રિસ્તિઓ અને યહુદીઓની સાથે મળીને કરવાં જોઈએ. ૧૬ पुण्योऽयं भारतो वो हिंदुस्थानः प्रकीर्तितः। वरिष्ठः सर्व देशानां धनधर्मसुखप्रदः ॥१७॥ આ પુષ્યરૂપ ભારતવર્ષ હિંદુસ્થાન નામથી પ્રસિદ્ધ છે, પવિત્ર છે. ધન, ધર્મ અને સુખને આપનારો આ દેશ સર્વ દેશમાં ઉત્તમ છે. ૧૭ 'गायंति देवाः किल गीतकानि धन्यास्तु ये भारतभूमि भागे। स्वगोपवर्गस्य च हेतुभूते भवान् भूयः पुरुषाः सुरत्वात् ' ॥ १८ ॥ દેવતાઓ ગાય છે કે, જેમને જન્મ આ ભારતભૂમિમાં થાય છે તેઓ ધન્ય છે, કે જ્યાં જન્મીને મનુષ્ય સ્વર્ગસુખ અને મેક્ષ બંને મેળવે છે. ૧૮ मातृभूमिः पितृभूमिः कर्मभूमिः सुजन्मनाम् । भक्तिमहति देशोऽयं सेव्यःप्राणेधनैरपि।।१९।। આ અમારી માતૃભૂમિ છે, અમારી પિતૃભૂમિ છે, સુજન્માઓની કર્મભૂમિ છે. આ દેશની ખૂબ સેવા કરવી જોઈએ. પ્રાણ પાથરીને અને ધન ખચીને એની સેવા કરવી જોઈએ. ૧૯ उत्तमः सर्वधर्माणां हिन्द धर्मोऽयमुच्यते । रक्ष्यः प्रचारणीयश्च सर्वलोकहितषिभिः ॥२०॥ | સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવા આ ધર્મને હિંદુધર્મ કહે છે, સમગ્ર સંસારનું હિત ઈચ્છનારાઓએ આ ધર્મની ખૂબ રક્ષા અને પ્રચાર કરવો ઘટે છે. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034611
Book TitleShubh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy