________________
૨૦૪
દાસબાબુનું સમાધિમંદિર આધુનિક યુગના કોઈ પણ રાજદ્વારી અગ્રેસરનું આવું ઉચિત સ્મારક થયું હોય એવું આપણી યાદદાસ્તમાં નથી. ઘણાયે વિદેહ પુરુષસિંહોની આરસ-પ્રતિમાઓ ઘણાંયે હિંદ ચેકચૌટાંને શોભાવતી હશે. મેદાને, રાજમાર્ગો, જળાશયો, નિશાળે, ધર્મશાળાઓ અને કેક વ્યાખ્યાન-મંદિરો ઉપર દેશસેવકનાં નામની તખ્તીઓ વિરાજતી હશે; પરંતુ દેશબંધનું આ સમાધિમંદિર તે એ સૌમાં અનેરી ભાત પાડે છે. એના જીવનમંત્રનો અને એના મૃત્યુ-સ દેશને એ વફાદાર શિલાલેખ છે. રાજદ્વારી વિયાનાં ઘમસાણમાં ઝંપલાવીને એક પ્રકારની પટ્ટાબાજી ખેલનારા એ ચિત્તરંજનનું ચિત્ત તો જળમાંહેના કમળસરિખું કેવળ એક જૂદીજ દનિ ઉપર ચાંટયું હતું. રાજકારણના અવળ સવળા દોરપર નાચ કરી રહેલા એ નટવરની નજર તો માત્ર આઘે આઘેના એક જ બિંદુ ઉપર ઠરેલી હતી. પક્ષાપક્ષીને સ્પર્ધા-ખેલો, ચુંટણી અને ધારાસભા-પ્રવેશની ધમાલ, મહાસભાને હસ્તગત કરવાનાં રમખાણ, લખાણો અને ભાવની ટપાટપીએ; એ બધી સૃષ્ટિમાં ચિત્તરંજનના હદયનો તાર-સાચો સૂર પકડતો ન હતો. એની આતમ-વીણાને મેળ તે ગ્રામ્ય- વનને પુનરુદ્ધારમાં જ મળતો હતો. એના જીવને ઝંપવા માટે ગ્રામ્ય-સુધારની યોજનાઓ રચાતી હતી. એના અંત:કરણને ગામડાંને જ મહાન વલોવી રહ્યો હતો. અને ગામડાં એટલે ? આરોગ્ય, શરીર-સુખાકારી, વૈદક જ્ઞાનને પ્રચાર તથા બાલસંરક્ષણના વિદ્ય વિસ્તાર. આજ એની આ બધી ભાવનાઓની સિદ્ધિનું સ્થંભારોપણ થયેલું જઈનજ કેમ જાણે અમરલોક ના એ નિવાસીએ આત્માના સુખની અબુધારા ટપકાવી હોય તેમ સેવા-સદનના સમારંભની ઘડીએ આકાશ અઝી રીતે વરસ્યું હતું–નં. ૧૪૬ રૂસરેડની ધરતી ભીંજાઈ હતી.
સેવા-સદનની દિવાલોનાં કણેકણમાં કેવળ એક દેશબંધુની સાધના નહિ, પણ સારયે દેશની ભાવના હુંકાઈ ગઈ છે. એના આયુષ્યભરમાં એને દ્વારે બેસીને મદદ પામેલાં સેંકડો અનાથોની આંતરડીના આશીર્વાદ, એ બંગલામાં એકઠી મળેલી સંખ્યાબંધ દેશભક્તોની મંડળીઓના મહ નિલાબ, કૈક સાધુ યરાના શબ્દોચ્ચાર કે પુણ્ય-વિચાર અને ખુદ એને પોતાનાજ આત્મહુતાશનમાંથી પ્રજવલતી હજારે મહે છે એની જવાળાએ; એ તમામનું એક અખંડ ધૂપસરીખું મંગળ વાતાવરણ એ મકાનનાં પુદગલોને પાવન કર્યા જ કરશે.
અને એથીયે ઉંચેરી પુનિતતા એ પતિદેવના સમાધિ-મંદિરને ગંગાસ્વરૂપિણી વાસન્તદેવીની આત્મ-સૌરભમાથી સાપડી રહેશે. ભરથારને પગલે પગલે ભેખ ધરી ચાલી નીકળનારી એ ભગવતી આજ પતિદેવના અવસાન પછી જીવે છે. કેવળ પતિદેવના જીવનકાર્યને પાર લઈ જવાની આકાંક્ષાએ, સેવા-સદનના સમા એ અધિષ્ઠાત્રી દેવી બની ઉભી છે. પતિ પાવર બનીને ઘૂમ્યો, તો સતી “જનના શબ્દને સાર્થક સમજાવવા શ્વાસ ભરે છે. સેવા-સદનને દ્વારેથી દેશની વાસંતીઓને ઘેરે એ સતી માતૃત્વની ચેતના કવા બેસી ગઈ છે. હિન્દની પ્રજાને, પૂર્વે કદી ને જોયેલું એવું મહિમામય દશ્ય જોવાનું સાંપડ્યું છે. હિન્દનાં સૌ રાજધારી પક્ષોને માટે એ દેવધામ બન્યું છે, વાદવિખવાદ અને પક્ષાપક્ષીમાં ખરડાઈ રહેલાં કંક અલ્પ માનવ-પ્રાણીઓને પિતાનું મૃત્યુપર કેવી રામા મંડાય તે સમજવાનું આ રહસ્ય-મંદિર ખુલ્લું થયું છે. માનવી જીવે છે ત્યાં તો એના ઘણા શ્વાસ સ રેટનીજ yકે મારી વાતાવરણને વિષયુક્ત બનાવે છે. અમૃતની ઝુકે તે દેશધુ સરીખાના મૃત્યુને મુખેથી જ નીકળવાની. જીવનના સંદેશા ફેક છે-જો મૃત્યુ પછી એ શાંત પડી જાય તો. દેશબંધુનું મૃત્યુ એ સેવા-સદનની અંદરથી સંજીવનની
કે નાખશે. ચિત્તરંજનના રાજદ્વારી સંદેશાઓ એ સેવા-મંદિરમાં થઈને જ આમવર્ગને પહેચશે. સદ્ગતની એ સમાવિ ઉપર આપણી પણ પ્રધાંજલિ અર્પણ થજે !
આંખો ઉઘ ડી રાખવામાં આવશે તે ત્યાં ત્યાં તક જોવામાં આવશે. કાન ઉઘાડા રાખવામાં આવશે તો મદદ માગતાં માગતાં મરી જનારની બૂમો સાંભળવામાં આવશે. કયી લાયક બાબતમાં મદદ આપવી તે માટે ખુલ્લા દિલને ખોટ પડશે નહિ, હાથ ઉઘાડા હશે તેને ઉદારતાભયો કામ કરવાની બોટ પડશે નહિ.
(આગળ ધમાંથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com