SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગાર તો છે જ, પણ સાથે સાથે તપસ્વી જીવનના પણ શણગાર છે. પ્રકૃતિ શાન્ત છે, એમ તે ઘણા પાસેથી સાંભળ્યું છે. છતાં શ્રી તીથ શ્રીજી મહારાજ સાધ્વીજી અને તપસ્વીજી છે, એટલા માટે તેને કસ એકદમ ઊંચ ન આંકી દેવાય. " કેમકે-સાધ્વીજી મહારાજાઓમાં પણ સ્ત્રી પ્રકૃતિ સુલભ કઈ કઈવાર હેજ કષાય, કંકાસ, થતું હોવાનું સાંભળીયે છીએ, તથા તપશ્ચર્યા સાથે પારણામાં જરૂરી અને ખાસ ચીજોની એષણા કરવાની પણ કેટલીક પ્રવૃત્તિઓ હેવાનું સાંભળીએ છીએ. પરંતુ, કંકાસ કરવાની તેમની પ્રવૃત્તિને કઈ પૂરાવો જ આપતું નથી. તથા, ગામડામાં એકાદ બે ચીજ આયંબીલને લાયક જે મળી આવે, તેનાથી કામ ચલાવી લઈ તપમાં આગળ પ્રગતિ કરવાની હકીકત મળી છે. આ ઉપરથી: પંચમ શાસનપ્રભાવક તપાસની પ્રભાવકને લાયકની કઈ શરત તેમનામાં અધૂરી રહે છે? લેખકને વર્તમાન દ્રવ્ય: ક્ષેત્ર: કાળ: ભાવ જોતાં કોઈ પણ ખાસ શરત અધૂરી લાગતી નથી. તેથી, તે તે ઘણા અંશમાં તપસ્વી પ્રભાવક કહેવાને લલચાય છે. “તપસ્યા કરતાં હૈ કે ડકા જેર બજાયા હ! વાચક મહાશ! હવે એક વાર એકાંતમાં આવે, શાંત સ્થળમાં આવે. તમારા મન, વચન, કાયાને એકાગ્ર અને પવિત્ર કરે. શાન્ત થાઓ. તમારી મનોવૃત્તિઓ, ઇન્દ્રિયના વેગ, એ બધું બહારથી ખેંચી લે. શરીરને પણ સ્થિર બનાવે, અને સાંભળે – આ જગતમાં એક મૂર્ણ કરતાં એક બુદ્ધિશાળીને તમે શા માટે વખાણે છે ? કહે. કહેશે કે “તેના આત્માને પ્રકાશ વધુ પડે છે. કેમકે–તેના આત્માની આડેના કર્મને જાડા પડદા કરતાં પાતળો પડદો હોય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034596
Book TitleRatnajyoti - Tirthshreeji Maharajno Tattvik Tunk Parichay
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1946
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy